Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-692

Page 692

ਦਿਨ ਤੇ ਪਹਰ ਪਹਰ ਤੇ ਘਰੀਆਂ ਆਵ ਘਟੈ ਤਨੁ ਛੀਜੈ ॥ દિવસોથી પ્રહર તેમજ પ્રહારોથી ક્ષણ થઈને મનુષ્યની ઉમર ઓછી થતી જાય છે અને તેનું શરીર નબળું થતું રહે છે.
ਕਾਲੁ ਅਹੇਰੀ ਫਿਰੈ ਬਧਿਕ ਜਿਉ ਕਹਹੁ ਕਵਨ ਬਿਧਿ ਕੀਜੈ ॥੧॥ કાળરૂપી શિકારી તેની આજુબાજુ ખૂનીની જેમ ફરતો રહે છે. કહે, મૃત્યુથી બચવા માટે તે કઈ એવી વિધીનો પ્રયોગ કરે? ॥૧॥
ਸੋ ਦਿਨੁ ਆਵਨ ਲਾਗਾ ॥ તે દિવસ નજીક આવનાર છે, જ્યારે મૃત્યુએ તેના પ્રાણ છીની લેવાનું છે.
ਮਾਤ ਪਿਤਾ ਭਾਈ ਸੁਤ ਬਨਿਤਾ ਕਹਹੁ ਕੋਊ ਹੈ ਕਾ ਕਾ ॥੧॥ ਰਹਾਉ ॥ કહો, માતા-પિતા, ભાઈ, પુત્ર તેમજ સ્ત્રી આમાંથી કોઈ કોનું છે? ॥૧॥વિરામ॥
ਜਬ ਲਗੁ ਜੋਤਿ ਕਾਇਆ ਮਹਿ ਬਰਤੈ ਆਪਾ ਪਸੂ ਨ ਬੂਝੈ ॥ જ્યાં સુધી જીવનનો પ્રકાશ અર્થાત આત્મા શરીરમાં રહે છે, ત્યાં સુધી આ પશુ જેવો મૂર્ખ મનુષ્ય પોતાના આત્મ-સ્વરુપને સમજતો નથી.
ਲਾਲਚ ਕਰੈ ਜੀਵਨ ਪਦ ਕਾਰਨ ਲੋਚਨ ਕਛੂ ਨ ਸੂਝੈ ॥੨॥ તે બીજું વધારે જીવન જીવવાની લાલચ કરે છે પરંતુ તેને પોતાની આંખોથી કાંઈ પણ સમજાતું નથી ॥૨॥
ਕਹਤ ਕਬੀਰ ਸੁਨਹੁ ਰੇ ਪ੍ਰਾਨੀ ਛੋਡਹੁ ਮਨ ਕੇ ਭਰਮਾ ॥ કબીર કહે છે કે હે પ્રાણી! સાંભળ, પોતાના મનના બધા ભ્રમ છોડી દે.
ਕੇਵਲ ਨਾਮੁ ਜਪਹੁ ਰੇ ਪ੍ਰਾਨੀ ਪਰਹੁ ਏਕ ਕੀ ਸਰਨਾਂ ॥੩॥੨॥ હે પ્રાણી! એક પરમેશ્વરની શરણમાં જા અને ફક્ત તેના નામનું જ ભજન કર ॥૩॥૨॥
ਜੋ ਜਨੁ ਭਾਉ ਭਗਤਿ ਕਛੁ ਜਾਨੈ ਤਾ ਕਉ ਅਚਰਜੁ ਕਾਹੋ ॥ જે મનુષ્ય પરમાત્માના પ્રેમ તેમજ તેની ભક્તિ વિશે કાંઈ જાણે છે, તેના માટે કોઈ પણ આશ્ચર્યજનક વાત નથી.
ਜਿਉ ਜਲੁ ਜਲ ਮਹਿ ਪੈਸਿ ਨ ਨਿਕਸੈ ਤਿਉ ਢੁਰਿ ਮਿਲਿਓ ਜੁਲਾਹੋ ॥੧॥ જેમ જળમાં મળીને જળ બીજી વાર અલગ થતું નથી, તેમ જ કબીર જુલાહા પણ પોતાના આત્માભિમાનને સમાપ્ત કરીને પરમાત્મામાં લીન થઈ ગયો છે ॥૧॥
ਹਰਿ ਕੇ ਲੋਗਾ ਮੈ ਤਉ ਮਤਿ ਕਾ ਭੋਰਾ ॥ હે પરમાત્માના લોકો! હું તો બુદ્ધિનો ભોળો છું.
ਜਉ ਤਨੁ ਕਾਸੀ ਤਜਹਿ ਕਬੀਰਾ ਰਮਈਐ ਕਹਾ ਨਿਹੋਰਾ ॥੧॥ ਰਹਾਉ ॥ જો કબીર પોતાનું શરીર કાશી બનારસમાં ત્યાગી દે અને મોક્ષ પ્રાપ્ત કરી લે તો આમાં મારા રામનો મારા પર કયો ઉપકાર છે ॥૧॥વિરામ॥
ਕਹਤੁ ਕਬੀਰੁ ਸੁਨਹੁ ਰੇ ਲੋਈ ਭਰਮਿ ਨ ਭੂਲਹੁ ਕੋਈ ॥ હે લોકો! કબીર કહે છે કે ધ્યાનપૂર્વક સાંભળો, કોઈ ભ્રમમાં પડીને ન ભૂલો;
ਕਿਆ ਕਾਸੀ ਕਿਆ ਊਖਰੁ ਮਗਹਰੁ ਰਾਮੁ ਰਿਦੈ ਜਉ ਹੋਈ ॥੨॥੩॥ જેના હૃદયમાં રામ સ્થિત છે, તેના માટે શું કાશી અને જંગલ મગહર છે, અર્થાત શરીરનો ત્યાગ કરવા માટે બંને એક સમાન છે ॥૨॥૩॥
ਇੰਦ੍ਰ ਲੋਕ ਸਿਵ ਲੋਕਹਿ ਜੈਬੋ ॥ ਓਛੇ ਤਪ ਕਰਿ ਬਾਹੁਰਿ ਐਬੋ ॥੧॥ જો કોઈ મનુષ્ય તપ કરીને ઇન્દ્રલોક તેમજ શિવલોકમાં ચાલ્યો જાય છે તો ઓછા તપ અથવા દુષ્કર્મોને કારણે તે ફરી પાછો આવી જાય છે ॥૧॥
ਕਿਆ ਮਾਂਗਉ ਕਿਛੁ ਥਿਰੁ ਨਾਹੀ ॥ હું પરમાત્માથી શું માંગુ? કારણ કે આ સૃષ્ટિમાં કોઈ પણ વસ્તુ સ્થિર નથી અર્થાત બધું જ નશ્વર થનારું છે.
ਰਾਮ ਨਾਮ ਰਖੁ ਮਨ ਮਾਹੀ ॥੧॥ ਰਹਾਉ ॥ તેથી રામના નામને જ પોતાના મનમાં વસાવીને રાખ ॥૧॥વિરામ॥
ਸੋਭਾ ਰਾਜ ਬਿਭੈ ਬਡਿਆਈ ॥ દુનિયામાં શોભા, ધરતીનું રાજ્ય શાસન, એશ્વર્ય-વૈભવ તેમજ મોટાઈ
ਅੰਤਿ ਨ ਕਾਹੂ ਸੰਗ ਸਹਾਈ ॥੨॥ અંતમાં કોઈના પણ મિત્ર તેમજ સહાયક બનતા નથી ॥૨॥
ਪੁਤ੍ਰ ਕਲਤ੍ਰ ਲਛਮੀ ਮਾਇਆ ॥ પુત્ર, પત્ની, ધન-મિલકત તેમજ સંપત્તિ - આનાથી કહે,
ਇਨ ਤੇ ਕਹੁ ਕਵਨੈ ਸੁਖੁ ਪਾਇਆ ॥੩॥ ક્યારે કોને સુખ પ્રાપ્ત કર્યું છે? ॥૩॥
ਕਹਤ ਕਬੀਰ ਅਵਰ ਨਹੀ ਕਾਮਾ ॥ કબીરનું કહેવું છે કે મારી બીજી કોઈ ઈચ્છા નથી,
ਹਮਰੈ ਮਨ ਧਨ ਰਾਮ ਕੋ ਨਾਮਾ ॥੪॥੪॥ કારણ કે મારા મનનું ધન તો રામનું નામ છે ॥૪॥૪॥
ਰਾਮ ਸਿਮਰਿ ਰਾਮ ਸਿਮਰਿ ਰਾਮ ਸਿਮਰਿ ਭਾਈ ॥ હે ભાઈ! પ્રેમથી રામનું સ્મરણ કરતો રહે, હંમેશા રામનું જ સ્મરણ કર.
ਰਾਮ ਨਾਮ ਸਿਮਰਨ ਬਿਨੁ ਬੂਡਤੇ ਅਧਿਕਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ કારણ કે રામ નામના સ્મરણ વગર ઘણા બધા લોકો સંસાર સમુદ્રમાં જ ડૂબી જાય છે ॥૧॥વિરામ॥
ਬਨਿਤਾ ਸੁਤ ਦੇਹ ਗ੍ਰੇਹ ਸੰਪਤਿ ਸੁਖਦਾਈ ॥ સ્ત્રી, પુત્ર, સુંદર શરીર, ઘર તેમજ સંપત્તિ - આ બધું સુખ દેનાર લાગે છે પરંતુ
ਇਨ੍ਹ੍ਹ ਮੈ ਕਛੁ ਨਾਹਿ ਤੇਰੋ ਕਾਲ ਅਵਧ ਆਈ ॥੧॥ જ્યારે તારા મૃત્યુનો સમય આવશે, ત્યારે આમાંથી કંઈ પણ તારું રહેશે નહીં ॥૧॥
ਅਜਾਮਲ ਗਜ ਗਨਿਕਾ ਪਤਿਤ ਕਰਮ ਕੀਨੇ ॥ અલાજમ બ્રાહ્મણ, ગજીન્દ્ર હાથી તેમજ એક વેશ્યાએ જીવન ભર પતિત કર્મ જ કર્યા હતા,
ਤੇਊ ਉਤਰਿ ਪਾਰਿ ਪਰੇ ਰਾਮ ਨਾਮ ਲੀਨੇ ॥੨॥ પરંતુ રામ નામનું સ્મરણ કરવાથી તે પણ સંસાર સમુદ્રથી પાર થઈ ગયા ॥૨॥
ਸੂਕਰ ਕੂਕਰ ਜੋਨਿ ਭ੍ਰਮੇ ਤਊ ਲਾਜ ਨ ਆਈ ॥ હે પ્રાણી! પૂર્વ જન્મમાં તું ડુક્કર તેમજ કૂતરાની યોનિઓમાં ભટકતો રહ્યો, પરંતુ તો પણ તને શરમ ન આવી.
ਰਾਮ ਨਾਮ ਛਾਡਿ ਅੰਮ੍ਰਿਤ ਕਾਹੇ ਬਿਖੁ ਖਾਈ ॥੩॥ રામ નામરૂપી અમૃતને છોડીને તું શા માટે વિષય-વિકારરૂપી ઝેર ખાય છે ॥૩॥
ਤਜਿ ਭਰਮ ਕਰਮ ਬਿਧਿ ਨਿਖੇਧ ਰਾਮ ਨਾਮੁ ਲੇਹੀ ॥ તું શાસ્ત્રોની વિધિ પ્રમાણે કરવા યોગ્ય કર્મ તેમજ નિષેધ કર્મોનો ભ્રમ છોડીને રામ નામનું જ સ્મરણ કરતો રહે.
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਜਨ ਕਬੀਰ ਰਾਮੁ ਕਰਿ ਸਨੇਹੀ ॥੪॥੫॥ કબીર કહે છે કે ગુરુની કૃપાથી રામને પોતાનો મિત્ર બનાવ ॥૪॥૫॥
ਧਨਾਸਰੀ ਬਾਣੀ ਭਗਤ ਨਾਮਦੇਵ ਜੀ ਕੀ ધનાસરી વાણી ભગત નામદેવ જી ની
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਗਹਰੀ ਕਰਿ ਕੈ ਨੀਵ ਖੁਦਾਈ ਊਪਰਿ ਮੰਡਪ ਛਾਏ ॥ લોકોએ ગાઢ પાયો ખોદીને તેના પર ખુબ ઊંચા-ઊંચા મહેલ બનાવડાવ્યા છે.
ਮਾਰਕੰਡੇ ਤੇ ਕੋ ਅਧਿਕਾਈ ਜਿਨਿ ਤ੍ਰਿਣ ਧਰਿ ਮੂੰਡ ਬਲਾਏ ॥੧॥ પરંતુ માર્કન્ડેય ઋષિથી પણ વધુ લાંબી ઉમરવાળું કોણ થયું છે? જેને તણખલાની ઝૂંપડી બનાવીને જ પોતાનુ જીવન વિતાવ્યું હતું ॥૧॥
ਹਮਰੋ ਕਰਤਾ ਰਾਮੁ ਸਨੇਹੀ ॥ મારો રચયિતા રામ જ મારો શુભચિંતક છે.
ਕਾਹੇ ਰੇ ਨਰ ਗਰਬੁ ਕਰਤ ਹਹੁ ਬਿਨਸਿ ਜਾਇ ਝੂਠੀ ਦੇਹੀ ॥੧॥ ਰਹਾਉ ॥ હે પ્રાણી! તું શા માટે અભિમાન કરે છે? તારું આ નશ્વર શરીર એક દિવસ જરૂર નાશ થઈ જશે ॥૧॥વિરામ॥
Scroll to Top
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/