Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-467

Page 467

"ਓਨੑੀ ਮੰਦੈ ਪੈਰੁ ਨ ਰਖਿਓ ਕਰਿ ਸੁਕ੍ਰਿਤੁ ਧਰਮੁ ਕਮਾਇਆ ॥ તે ક્યારેય બુરા કામની નજીક નથી જતા ભલા કામ કરે છે અને ધર્મને અનુસાર પોતાનું જીવન વિતાવે છે
"ਓਨੑੀ ਦੁਨੀਆ ਤੋੜੇ ਬੰਧਨਾ ਅੰਨੁ ਪਾਣੀ ਥੋੜਾ ਖਾਇਆ ॥ દુનિયાના ધંધા માં જે માયા નો ખર્ચ થાય છે તે મોહરૂપી જંજીર તેમણે તોડી દીધી છે થોડું જ ખાય છે થોડું જ પીવે છે ખાવાપીવાના ચસ્કા નથી શારીરિક નિર્વાહ માટે જ ખાય છે
ਤੂੰ ਬਖਸੀਸੀ ਅਗਲਾ ਨਿਤ ਦੇਵਹਿ ਚੜਹਿ ਸਵਾਇਆ ॥ હે પ્રભુ! તું બક્ષિશ કરવાવાળો છે બધાં જ જીવોને દાન-દક્ષિણા આપે છે
ਵਡਿਆਈ ਵਡਾ ਪਾਇਆ ॥੭॥ તેવી જ રીતે પ્રભુની મહિમા કરીને તે સંતોષી મનુષ્ય પ્રભુને પ્રાપ્ત કરી લે છે ।।૭।।
ਸਲੋਕ ਮਃ ੧ ॥ શ્લોક મહેલ ૧।।
ਪੁਰਖਾਂ ਬਿਰਖਾਂ ਤੀਰਥਾਂ ਤਟਾਂ ਮੇਘਾਂ ਖੇਤਾਂਹ ॥ મનુષ્ય વૃક્ષ તીર્થ વાદળ ખેતર દ્વીપ લોક મંડળ
ਦੀਪਾਂ ਲੋਆਂ ਮੰਡਲਾਂ ਖੰਡਾਂ ਵਰਭੰਡਾਂਹ ॥ ખંડ બ્રહ્માંડ સરોવર મેરુ પર્વત બધીએ ખાણ અને જીવ જંતુ
ਅੰਡਜ ਜੇਰਜ ਉਤਭੁਜਾਂ ਖਾਣੀ ਸੇਤਜਾਂਹ ॥ આ બધાંની ગણતરી નો અંદાજ તે પ્રભુ જાણે છે જેણે આ બધાંને પેદા કર્યા છે
ਸੋ ਮਿਤਿ ਜਾਣੈ ਨਾਨਕਾ ਸਰਾਂ ਮੇਰਾਂ ਜੰਤਾਹ ॥ હે નાનક! બધાં જીવ જંતુ પેદા કરીને
ਨਾਨਕ ਜੰਤ ਉਪਾਇ ਕੈ ਸੰਮਾਲੇ ਸਭਨਾਹ ॥ હે નાનક! પ્રભુ તે બધાનું પાલન-પોષણ કરે છે
ਜਿਨਿ ਕਰਤੈ ਕਰਣਾ ਕੀਆ ਚਿੰਤਾ ਭਿ ਕਰਣੀ ਤਾਹ ॥ જે કરતારે આ સૃષ્ટિની રચના કરી તેના પાલન પોષણની ફિકર પણ તેને જ છે
ਸੋ ਕਰਤਾ ਚਿੰਤਾ ਕਰੇ ਜਿਨਿ ਉਪਾਇਆ ਜਗੁ ॥ જે કરતારે આ જગતને પેદા કર્યું તેનો તે જ તેનો ખ્યાલ રાખે છે
ਤਿਸੁ ਜੋਹਾਰੀ ਸੁਅਸਤਿ ਤਿਸੁ ਤਿਸੁ ਦੀਬਾਣੁ ਅਭਗੁ ॥ હું તેને કુરબાન જાઉં છું તેની જયજયકાર કરું છું તે પ્રભુના આશરો સદાય અટલ છે
ਨਾਨਕ ਸਚੇ ਨਾਮ ਬਿਨੁ ਕਿਆ ਟਿਕਾ ਕਿਆ ਤਗੁ ॥੧॥ હે નાનક! તે હરિ નું સાચું નામ સ્મરણ કર્યા વગર તિલક જનોઈ બધા ધાર્મિક વેશ નો કોઈ જ અર્થ નથી ।।૧।।
ਮਃ ੧ ॥ મહેલ ૧।।
ਲਖ ਨੇਕੀਆ ਚੰਗਿਆਈਆ ਲਖ ਪੁੰਨਾ ਪਰਵਾਣੁ ॥ લાખો સારા કાર્યો કરવામાં આવે લાખો ધર્મના કાર્યો કરવામાં આવે અને તે બધાં લોકોની નજરમાં એકદમ સરસ હોય
ਲਖ ਤਪ ਉਪਰਿ ਤੀਰਥਾਂ ਸਹਜ ਜੋਗ ਬੇਬਾਣ ॥ તીર્થ ઉપર જઈને લાખો તપ સાધના કરવામાં આવે જંગલોમાં જઇને સમાધિમાં સ્થિર થઈને યોગ સાધના કરવામાં આવે રણભૂમિ ઉપર જઈને શૂરવીરો અનંત બહાદુરી વાળા કારનામાં દેખાડે
ਲਖ ਸੂਰਤਣ ਸੰਗਰਾਮ ਰਣ ਮਹਿ ਛੁਟਹਿ ਪਰਾਣ ॥ યુદ્ધમાં દુશ્મનની સન્મુખ થઈને જાન પણ કુરબાન કરી દેવામાં આવે લાખો રીતે કંઈ પણ કરવામાં આવે
ਲਖ ਸੁਰਤੀ ਲਖ ਗਿਆਨ ਧਿਆਨ ਪੜੀਅਹਿ ਪਾਠ ਪੁਰਾਣ ॥ જ્ઞાનની ચર્ચા કરવામાં આવે મનને એકાગ્ર કરવાના પ્રયત્ન કરવામાં આવે અનંત વાર પુરાણ અને ધર્મ પુસ્તકોના પાઠ કરવામાં આવે
ਜਿਨਿ ਕਰਤੈ ਕਰਣਾ ਕੀਆ ਲਿਖਿਆ ਆਵਣ ਜਾਣੁ ॥ જેણે આ સૃષ્ટિની રચના કરી છે અને જેણે જીવોનું જન્મ-મરણ નક્કી કરી રાખ્યું છે એટલે તેની બક્ષિશ ને પાત્ર બનવા માટે તેના નામનું સ્મરણ જ ઉત્તમ છે
ਨਾਨਕ ਮਤੀ ਮਿਥਿਆ ਕਰਮੁ ਸਚਾ ਨੀਸਾਣੁ ॥੨॥ હે નાનક! આ બધી સમજદારી વ્યર્થ છે દરબારમાં સ્વીકાર થવા માટે તે પ્રભુની બક્ષિશ જ સાચો પરવાનો છે ।।૨।।
ਪਉੜੀ ॥ પગથિયું ૮
ਸਚਾ ਸਾਹਿਬੁ ਏਕੁ ਤੂੰ ਜਿਨਿ ਸਚੋ ਸਚੁ ਵਰਤਾਇਆ ॥ હે પ્રભુ! કેવળ તું જ પૂર્ણ રીતે સ્થિર રહેવા વાળો માલિક છે અને તે પોતે જ પોતાના સ્થિરતાનો ગુણ આ જગતમાં આપ્યો છે
ਜਿਸੁ ਤੂੰ ਦੇਹਿ ਤਿਸੁ ਮਿਲੈ ਸਚੁ ਤਾ ਤਿਨ੍ਹ੍ਹੀ ਸਚੁ ਕਮਾਇਆ ॥ પણ આ ગુણ માત્ર તે જીવને જ મળી શકે જેને તું સ્વયં આપે, તારી કૃપાથી તે માણસ તારી રચના પ્રમાણે પોતાનું જીવન બનાવે છે
ਸਤਿਗੁਰਿ ਮਿਲਿਐ ਸਚੁ ਪਾਇਆ ਜਿਨ੍ਹ੍ਹ ਕੈ ਹਿਰਦੈ ਸਚੁ ਵਸਾਇਆ ॥ જેને સદગુરુ મળી જાય છે તેમને આ પૂર્ણ સ્થિરતા વાળા વાળું દાન મળી જાય છે સદગુરુ તેમના હૃદયમાં સ્થિર થઈ જાય છે
ਮੂਰਖ ਸਚੁ ਨ ਜਾਣਨ੍ਹ੍ਹੀ ਮਨਮੁਖੀ ਜਨਮੁ ਗਵਾਇਆ ॥ મૂર્ખ ને સ્થિરતાની કોઈ સમજ નથી આવતી તે તેનાથી વંચિત રહીને પોતાનો જન્મ વ્યર્થ ગુમાવે છે
ਵਿਚਿ ਦੁਨੀਆ ਕਾਹੇ ਆਇਆ ॥੮॥ જગતમાં તેમના જન્મનો કોઈ જ લાભ નથી હોતો ||૮||
ਸਲੋਕੁ ਮਃ ੧ ॥ શ્લોક મહેલ ૧।।
ਪੜਿ ਪੜਿ ਗਡੀ ਲਦੀਅਹਿ ਪੜਿ ਪੜਿ ਭਰੀਅਹਿ ਸਾਥ ॥ જો કોઈ મનુષ્ય આટલી બધી પોથી વાંચી લે જેનાથી ઘણી બધી મેડીઓ ભરાઈ જાય,
ਪੜਿ ਪੜਿ ਬੇੜੀ ਪਾਈਐ ਪੜਿ ਪੜਿ ਗਡੀਅਹਿ ਖਾਤ ॥ જેનાથી રૂપિયાના ઢગલે ઢગલા થઈ જાય અને કેટલાય ખાડા પુરાઈ જાય
ਪੜੀਅਹਿ ਜੇਤੇ ਬਰਸ ਬਰਸ ਪੜੀਅਹਿ ਜੇਤੇ ਮਾਸ ॥ જો વાંચી વાંચીને વર્ષોના વર્ષ વિતાવી દે અને વાંચી વાંચીને ઘણા બધા મહિનાઓ પણ વીતી જાય
ਪੜੀਐ ਜੇਤੀ ਆਰਜਾ ਪੜੀਅਹਿ ਜੇਤੇ ਸਾਸ ॥ પુસ્તકો વાંચી વાંચીને આખી ઉંમર પણ કાઢી નાખે અને વાંચીને બધાંએ શ્વાસ પણ કાઢી નાખે
ਨਾਨਕ ਲੇਖੈ ਇਕ ਗਲ ਹੋਰੁ ਹਉਮੈ ਝਖਣਾ ਝਾਖ ॥੧॥ તો પણ ઈશ્વરના દરબારમાં આમાંથી કશું જ સ્વીકાર નથી હે નાનક! પ્રભુની દરગાહમાં તો ફક્ત પ્રભુ ની મહિમા જ સ્વીકાર થાય છે કોઈ ઉદ્યમ કરવો પોતાના અહંકાર માં જ અટકવાનું છે ।।૧।।
ਮਃ ੧ ॥ મહેલ ૧।।
ਲਿਖਿ ਲਿਖਿ ਪੜਿਆ ॥ਤੇਤਾ ਕੜਿਆ ॥ જેટલું કોઈ મનુષ્ય લખવા-વાંચવાનું જાણે છે તેટલું જ તેને પોતાની વિદ્યા ઉપર ઘમંડ થઈ જાય છે
ਬਹੁ ਤੀਰਥ ਭਵਿਆ ॥ਤੇਤੋ ਲਵਿਆ ॥  જેટલો કોઈ ઘણી બધી તીર્થ યાત્રા કરે છે અને ઘણી જગ્યાએ કહેતો ફરે છે કે હું તો ફલાણા તીર્થ ઉપર સ્નાન કરીને આવ્યો છું તીર્થ યાત્રા પણ અહંકાર નું કારણ બની જાય છે
ਬਹੁ ਭੇਖ ਕੀਆ ਦੇਹੀ ਦੁਖੁ ਦੀਆ ॥ કોઈ ને રીઝવવા માટે કોઈ ચિન્હ ધારણ કરેલું હોય અને કોઈ પોતાના શરીરને કષ્ટ આપતો હોય
ਸਹੁ ਵੇ ਜੀਆ ਅਪਣਾ ਕੀਆ ॥ તેના માટે પણ આ કહેવું જ યોગ્ય છે કે હે ભાઈ! પોતાના કરેલા કાર્યોનું દુઃખ આ વેશ ધારણ કરીને શરીરને દુઃખ આપીને પણ ઈશ્વરના દરવાજા ઉપર તું સ્વીકાર નહીં થઈ શકે
ਅੰਨੁ ਨ ਖਾਇਆ ਸਾਦੁ ਗਵਾਇਆ ॥ અને જેણે પણ છોડી દીધું છે પ્રભુનું સ્મરણ નથી કરતા તેને આ જ કામ સારા લાગે છે
ਬਹੁ ਦੁਖੁ ਪਾਇਆ ਦੂਜਾ ਭਾਇਆ ॥ તેને પોતાની જિંદગી દુઃખદાયી બનાવી દીધી છે અને દુઃખ સહી રહ્યો છે
ਬਸਤ੍ਰ ਨ ਪਹਿਰੈ ॥ ਅਹਿਨਿਸਿ ਕਹਰੈ ॥ કપડાં નથી પહેરતો દિવસ-રાત દુઃખી રહે છે એકાંતમાં ચૂપ રહીને અસલી રાહથી તૂટેલો છે
ਮੋਨਿ ਵਿਗੂਤਾ ॥ ਕਿਉ ਜਾਗੈ ਗੁਰ ਬਿਨੁ ਸੂਤਾ ॥ તો બતાવો માયાની ઊંઘ માં સૂતેલો મનુષ્ય ગુરુ વગર કેવી રીતે જાગી શકે?
ਪਗ ਉਪੇਤਾਣਾ ॥ ਅਪਣਾ ਕੀਆ ਕਮਾਣਾ ॥ પગ માં ચપ્પલ નથી પહેરતો ઉઘાડા પગે ફરે છે પોતાની કરેલી આ જે ભૂલ છે તેનું દુઃખ સહન કરી રહ્યો છે
ਅਲੁ ਮਲੁ ਖਾਈ ਸਿਰਿ ਛਾਈ ਪਾਈ ॥ ખૂબ જ સારાં સારાં ભોજન છોડીને જૂઠું ભોજન ખાય છે અને માથે રાખ ચોળી ને રાખેલી છે
ਮੂਰਖਿ ਅੰਧੈ ਪਤਿ ਗਵਾਈ ॥ અજ્ઞાની મૂરખે પોતાની ઈજ્જત પણ ગુમાવી દીધી છે
ਵਿਣੁ ਨਾਵੈ ਕਿਛੁ ਥਾਇ ਨ ਪਾਈ ॥ પ્રભુ ના નામ વગર કોઈપણ ઉદ્યમ સ્વીકાર નથી
ਰਹੈ ਬੇਬਾਣੀ ਮੜੀ ਮਸਾਣੀ ॥ કોઈ રણમાં, કબ્રસ્તાનમાં અથવા સ્મશાનમાં રહે છે,
ਅੰਧੁ ਨ ਜਾਣੈ ਫਿਰਿ ਪਛੁਤਾਣੀ ॥ એ આંધળો મૂર્ખ ને ઈશ્વર નો રસ્તો નથી સમજતો સમય વીતી જાય પછી પસ્તાય છે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top