Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-114

Page 114

ਅਨਦਿਨੁ ਸਦਾ ਰਹੈ ਭੈ ਅੰਦਰਿ ਭੈ ਮਾਰਿ ਭਰਮੁ ਚੁਕਾਵਣਿਆ ॥੫॥ તે મનુષ્ય દરરોજ દરેક સમય પરમાત્માના ડર આદરમાં ટકી રહે છે અને તે ડર આદરની કૃપાથી પોતાના મનને મારીને વિકારોને મારીને વિકારો તરફની દોડ ભાગ દુર કરી રાખે છે. ।।૫।।
ਭਰਮੁ ਚੁਕਾਇਆ ਸਦਾ ਸੁਖੁ ਪਾਇਆ ॥ જે મનુષ્યએ પોતાના મનની વિકારો તરફની દોડ ભાગ સમાપ્ત કરી લીધી, તેને હંમેશા આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કર્યો.
ਗੁਰ ਪਰਸਾਦਿ ਪਰਮ ਪਦੁ ਪਾਇਆ ॥ ગુરુની કૃપાથી તેને સૌથી ઊંચી આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી લીધી.
ਅੰਤਰੁ ਨਿਰਮਲੁ ਨਿਰਮਲ ਬਾਣੀ ਹਰਿ ਗੁਣ ਸਹਜੇ ਗਾਵਣਿਆ ॥੬॥ જીવનને પવિત્ર કરનારી ગુરુવાણીની સહાયતાથી તેનું મન પવિત્ર થઈ ગયું. તે આધ્યાત્મિક સ્થિરતામાં ટકીને હંમેશા પરમાત્માના ગુણ ગાતો રહે છે ।।૬।।
ਸਿਮ੍ਰਿਤਿ ਸਾਸਤ ਬੇਦ ਵਖਾਣੈ ॥ પંડિત વેદો, શાસ્ત્રો, સ્મૃતિઓવગેરે ધર્મ પુસ્તકો બીજા લોકોને વાંચી વાંચીને સંભળાવે છે,
ਭਰਮੇ ਭੂਲਾ ਤਤੁ ਨ ਜਾਣੈ ॥ પરંતુ પોતે માયાની ભટકણમાં પડીને કુમાર્ગ પર ચાલે છે. તે વાસ્તવિક્તાને નથી સમજતો.
ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਸੇਵੇ ਸੁਖੁ ਨ ਪਾਏ ਦੁਖੋ ਦੁਖੁ ਕਮਾਵਣਿਆ ॥੭॥ ગુરુની બતાવેલી સેવા કર્યા વગર તે આધ્યાત્મિક આનંદ નથી પ્રાપ્ત કરી શકતો, દુઃખ જ દુઃખ ઉત્પન્ન કરનાર કમાણી કરતો રહે છે ।।૭।।
ਆਪਿ ਕਰੇ ਕਿਸੁ ਆਖੈ ਕੋਈ ॥ પરંતુ આ બધી રમત પરમાત્માના પોતાના હાથમાં છે. બધા જીવોમાં વ્યાપક રહીને પરમાત્મા પોતે જ બધું જ કરે છે.
ਆਖਣਿ ਜਾਈਐ ਜੇ ਭੂਲਾ ਹੋਈ ॥ કોને કોણ કહી શકે છે કે તું કુમાર્ગ પર જઈ રહ્યો છે? કોઈને પણ સમજાવવાની જરૂર ત્યારે જ પડી શકે છે, જો તે પોતે કુમાર્ગ પર પડેલો હોય.
ਨਾਨਕ ਆਪੇ ਕਰੇ ਕਰਾਏ ਨਾਮੇ ਨਾਮਿ ਸਮਾਵਣਿਆ ॥੮॥੭॥੮॥ હે નાનક! પરમાત્મા પોતે જ બધા જીવોમાં વ્યાપક થઈને બધું જ કરી રહ્યો છે અને જીવો પાસે કરાવી રહ્યો છે, તે પોતે જ સર્વવ્યાપક રહીને પોતાના નામમાં જ લીન થઈ શકે છે ।।૮।।૭।।૮।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ॥ માઝ મહેલ ૩।।
ਆਪੇ ਰੰਗੇ ਸਹਜਿ ਸੁਭਾਏ ॥ પ્રભુ પોતે જ જે મનુષ્યને આધ્યાત્મિક સ્થિરતા ના રંગમાં રંગે છે, શ્રેષ્ઠ પ્રેમના રંગમાં રંગે છે,
ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਹਰਿ ਰੰਗੁ ਚੜਾਏ ॥ જેને ગુરુના શબ્દમાં જોડીને આ રંગ ચઢાવે છે, તેનું મન રંગાય જાય છે.
ਮਨੁ ਤਨੁ ਰਤਾ ਰਸਨਾ ਰੰਗਿ ਚਲੂਲੀ ਭੈ ਭਾਇ ਰੰਗੁ ਚੜਾਵਣਿਆ ॥੧॥ તેનું શરીર રંગાય જાય છે. તેની જીભ નામ રંગમાં ગાઢ લાલ થઈ જાય છે, ગુરુ તેને પ્રભુના ડર આદરમાં રાખીને પ્રભુના પ્રેમમાં જોડીને નામ-રંગ ચઢાવે છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਨਿਰਭਉ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥ હું હંમેશા તેના બલિદાનથી કુરબાન જાવ છું, જે તે પરમાત્માને પોતાના મનમાં વસાવે છે, જેને કોઈનો ડર નથી.
ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਹਰਿ ਨਿਰਭਉ ਧਿਆਇਆ ਬਿਖੁ ਭਉਜਲੁ ਸਬਦਿ ਤਰਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ જેને ગુરુની કૃપાથી નિર્ભય પરમાત્માનું ધ્યાન ધર્યું છે, પરમાત્મા તેને ગુરુ શબ્દમાં જોડીને ઝેરરૂપી સંસાર સમુદ્રથી પાર કરાવે છે ।।૧।।વિરામ।।
ਮਨਮੁਖ ਮੁਗਧ ਕਰਹਿ ਚਤੁਰਾਈ ॥ પોતાના મનની પાછળ ચાલવાવાળા મૂર્ખ મનુષ્ય ચતુરાઈઓ કરે છે
ਨਾਤਾ ਧੋਤਾ ਥਾਇ ਨ ਪਾਈ ॥ અને કહે છે કે અમે તીર્થ સ્નાન વગેરે પુણ્ય કર્મ કરીએ છીએ. પરંતુ, પોતાના મનની પાછળ ચાલવાવાળા મનુષ્ય બહારથી કેટલુંય પવિત્ર કર્મ કરનાર હોય પરમાત્માની હાજરીમાં સ્વીકાર નથી થતું.
ਜੇਹਾ ਆਇਆ ਤੇਹਾ ਜਾਸੀ ਕਰਿ ਅਵਗਣ ਪਛੋਤਾਵਣਿਆ ॥੨॥ તે જગત માં આધ્યાત્મિક જીવનથી જેમ ખાલી હાથ આવે છે તેમ જ ખાલી હાથ ચાલ્યો જાય છે. જગતમાં અવગુણ કરી કરીને અંતે પસ્તાવો કરતો જ ચાલ્યો જાય છે ।।૨।।
ਮਨਮੁਖ ਅੰਧੇ ਕਿਛੂ ਨ ਸੂਝੈ ॥ પોતાના મનની પાછળ ચાલવાવાળા મનુષ્યને, માયાના મોહમાં આંધળા થયેલા મનુષ્યને સાચા જીવન વિચાર વિષે કશું જ દેખાતું નથી.
ਮਰਣੁ ਲਿਖਾਇ ਆਏ ਨਹੀ ਬੂਝੈ ॥ પાછલા જન્મમાં મનમુખતાને અધીન કરેલા કર્મોની અનુસાર આધ્યાત્મિક મૃત્યુના સંસ્કાર પોતાના મનના પાટિયા પર લખાવીને તે જગતમાં આવે છે અહીં પણ તેને સમજ નથી આવતી,
ਮਨਮੁਖ ਕਰਮ ਕਰੇ ਨਹੀ ਪਾਏ ਬਿਨੁ ਨਾਵੈ ਜਨਮੁ ਗਵਾਵਣਿਆ ॥੩॥ પોતાના મનની પાછળ ચાલીને જ કર્મ કરતો રહે છે અને સાચા જીવન સંયોગની સમજ મેળવતો નથી, અને પરમાત્માના નામથી વંચિત રહીને માનવ જન્મને વ્યર્થ ગુમાવે છે ।।૩।।
ਸਚੁ ਕਰਣੀ ਸਬਦੁ ਹੈ ਸਾਰੁ ॥ હે ભાઈ! હંમેશા સ્થિર પ્રભુનું નામ જપવું જ કરવા યોગ્ય કામ છે
ਪੂਰੈ ਗੁਰਿ ਪਾਈਐ ਮੋਖ ਦੁਆਰੁ ॥ ગુરુના શબ્દ હૃદયમાં વસાવવા જ શ્રેષ્ઠ ઉદ્યમ છે. પુરા ગુરુ દ્વારા જ વિકારોથી છુટકારો મેળવવાનો દરવાજો મળે છે.
ਅਨਦਿਨੁ ਬਾਣੀ ਸਬਦਿ ਸੁਣਾਏ ਸਚਿ ਰਾਤੇ ਰੰਗਿ ਰੰਗਾਵਣਿਆ ॥੪॥ ગુરુ જેને દરેક સમય પોતાની વાણી દ્વારા પરમાત્માની મહિમા સંભળાવતા રહે છે, તે હંમેશા સ્થિર પ્રભુના નામનાં રંગમાં રંગાય જાય છે. તે તેના પ્રેમ રંગમાં રંગાય જાય છે ।।૪।।
ਰਸਨਾ ਹਰਿ ਰਸਿ ਰਾਤੀ ਰੰਗੁ ਲਾਏ ॥ જે મનુષ્યની જીભ પૂરી લગન લગાવીને પરમાત્માના નામ રસમાં રંગવામાં આવે છે.
ਮਨੁ ਤਨੁ ਮੋਹਿਆ ਸਹਜਿ ਸੁਭਾਏ ॥ તેનું મન આધ્યાત્મિક સ્થિરતામાં મસ્ત રહે છે, તેનું શરીર પ્રેમ રંગમાં મગ્ન રહે છે.
ਸਹਜੇ ਪ੍ਰੀਤਮੁ ਪਿਆਰਾ ਪਾਇਆ ਸਹਜੇ ਸਹਜਿ ਮਿਲਾਵਣਿਆ ॥੫॥ આધ્યાત્મિક સ્થિરતામાં ટકીને તે પ્રેમાળ પ્રીતમ પ્રભુને મળે છે, તે હંમેશા જ આધ્યાત્મિક સ્થિરતા માં લીન રહે છે ।।૫।।
ਜਿਸੁ ਅੰਦਰਿ ਰੰਗੁ ਸੋਈ ਗੁਣ ਗਾਵੈ ॥ જે મનુષ્યના હૃદયમાં લગન છે, તે જ હંમેશા પરમાત્માની મહિમાનાં ગીત ગાય છે.
ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਸਹਜੇ ਸੁਖਿ ਸਮਾਵੈ ॥ તે ગુરુના શબ્દમાં જોડાઈને આધ્યાત્મિક સ્થિરતામાં આધ્યાત્મિક આનંદમાં મગ્ન થઈને રહે છે.
ਹਉ ਬਲਿਹਾਰੀ ਸਦਾ ਤਿਨ ਵਿਟਹੁ ਗੁਰ ਸੇਵਾ ਚਿਤੁ ਲਾਵਣਿਆ ॥੬॥ હું હંમેશા તે લોકોથી કુરબાન જાવ છું, જેને ગુરુ દ્વારા બતાવેલા કાર્યમાં પોતાનું મન લગાવેલું છે ।।૬।।
ਸਚਾ ਸਚੋ ਸਚਿ ਪਤੀਜੈ ॥ જેનું મન હંમેશા સ્થિર પ્રભુનું નામ સ્મરણ કરીને હંમેશા સ્થિરની યાદમાં ટપકતું રહે છે તે શ્રેષ્ઠ અંતરાત્મામાં ટકીને પરમાત્માના ગુણ ગાતા રહે છે.
ਗੁਰ ਪਰਸਾਦੀ ਅੰਦਰੁ ਭੀਜੈ ॥ ગુરુની કૃપાથી જે મનુષ્યનું હૃદય મહિમાનાં રસથી ભીનું રહે છે,
ਬੈਸਿ ਸੁਥਾਨਿ ਹਰਿ ਗੁਣ ਗਾਵਹਿ ਆਪੇ ਕਰਿ ਸਤਿ ਮਨਾਵਣਿਆ ॥੭॥ પ્રભુ પોતે જ તેને આ શ્રદ્ધા બક્ષે છે કે મહિમાનું કાર્ય જ સાચું જીવન કાર્ય છે ।।૭।।
ਜਿਸ ਨੋ ਨਦਰਿ ਕਰੇ ਸੋ ਪਾਏ ॥ પરંતુ, પ્રભુનું નામ સ્મરણ કરવાની સમજ તે જ મનુષ્ય મેળવે છે, જેના પર પ્રભુ કૃપાની નજર કરે છે.
ਗੁਰ ਪਰਸਾਦੀ ਹਉਮੈ ਜਾਏ ॥ ગુરુની કૃપાથી નામ સ્મરણ કરવાથી તેનો અહંકાર દૂર થઈ જાય છે.
ਨਾਨਕ ਨਾਮੁ ਵਸੈ ਮਨ ਅੰਤਰਿ ਦਰਿ ਸਚੈ ਸੋਭਾ ਪਾਵਣਿਆ ॥੮॥੮॥੯॥ હે નાનક! તે મનુષ્યના મનમાં પ્રભુનું નામ વસી જાય છે, હંમેશા સ્થિર રહેનાર પરમાત્માના ઓટલે તેને શોભા મળે છે ।।૮।।૮।।૯।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ॥ માઝ મહેલ ૩।।
ਸਤਿਗੁਰੁ ਸੇਵਿਐ ਵਡੀ ਵਡਿਆਈ ॥ જો મનુષ્ય ગુરુને પોતાની જીંદગીનો આશરો બનાવી લે, તો તેને આ ખુબ ઇજ્જત મળે છે કે
ਹਰਿ ਜੀ ਅਚਿੰਤੁ ਵਸੈ ਮਨਿ ਆਈ ॥ તે પરમાત્મા તેના મનમાં આવી વસે છે જેને દુનિયાની કોઈ ચિંતા સ્પર્શ પણ કરી શકતી નથી..
ਹਰਿ ਜੀਉ ਸਫਲਿਓ ਬਿਰਖੁ ਹੈ ਅੰਮ੍ਰਿਤੁ ਜਿਨਿ ਪੀਤਾ ਤਿਸੁ ਤਿਖਾ ਲਹਾਵਣਿਆ ॥੧॥ હે ભાઈ! પરમાત્મા જાણે એક ફળદાયી વૃક્ષ છે જેમાંથી આધ્યાત્મિક જીવન આપનાર નામ-રસ બહાર નીકળે છે. જે મનુષ્યએ તે રસ પી લીધો, નામ-રસે તેની માયાની તરસ દૂર કરી દીધી ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਸਚੁ ਸੰਗਤਿ ਮੇਲਿ ਮਿਲਾਵਣਿਆ ॥ હું બલિદાન આપું છું, કુરબાન છું. તે હંમેશા સ્થિર રહેનાર પરમાત્મા સાધુ-સંગતમાં મેળવીને પોતાના ચરણોમાં જોડી લે છે.
ਹਰਿ ਸਤਸੰਗਤਿ ਆਪੇ ਮੇਲੈ ਗੁਰ ਸਬਦੀ ਹਰਿ ਗੁਣ ਗਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ પરમાત્મા પોતે જ સાધુ-સંગતનો મેળાપ કરે છે, જે મનુષ્ય સાધુ-સંગતમાં જોડાય છે તે ગુરુના શબ્દથી પરમાત્માના ગુણ ગાય છે ।।૧।।વિરામ।।
Scroll to Top
https://siprokmrk.polinema.ac.id/storage/proposal/ http://pendaftaran-online.poltekkesjogja.ac.id/
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/ http://pui.poltekkesjogja.ac.id/whm/gcr/ https://perpus.unik-cipasung.ac.id/Perps/ https://informatika.nusaputra.ac.id/mon/ https://biroinfrasda.sipsipmas.jayawijayakab.go.id/application/core/ https://e-journal.upstegal.ac.id/pages/catalog/ https://perpus.pelitacemerlangschool.sch.id/system/-/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/
https://siprokmrk.polinema.ac.id/storage/proposal/ http://pendaftaran-online.poltekkesjogja.ac.id/
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/ http://pui.poltekkesjogja.ac.id/whm/gcr/ https://perpus.unik-cipasung.ac.id/Perps/ https://informatika.nusaputra.ac.id/mon/ https://biroinfrasda.sipsipmas.jayawijayakab.go.id/application/core/ https://e-journal.upstegal.ac.id/pages/catalog/ https://perpus.pelitacemerlangschool.sch.id/system/-/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/