Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-226

Page 226

ਪਰ ਘਰਿ ਚੀਤੁ ਮਨਮੁਖਿ ਡੋਲਾਇ ॥ પોતાના મનની પાછળ ચાલવાવાળો મનુષ્ય પારકા ઘરમાં પોતાના ચિત્તને ડોલાવે છે,
ਗਲਿ ਜੇਵਰੀ ਧੰਧੈ ਲਪਟਾਇ ॥ પરિણામ એ નીકળે છે કે વિકારોની જંજટમાં તે ફસાય છે અને તેના ગળામાં વિકારોની સાંકળ પાકી થતી જાય છે.
ਗੁਰਮੁਖਿ ਛੂਟਸਿ ਹਰਿ ਗੁਣ ਗਾਇ ॥੫॥ જે મનુષ્ય ગુરુના બતાવેલ રસ્તા પર ચાલે છે, તે પરમાત્માની મહિમા કરીને આ જંજટમાંથી બચી નીકળે છે ॥૫॥
ਜਿਉ ਤਨੁ ਬਿਧਵਾ ਪਰ ਕਉ ਦੇਈ ॥ જેમ વિધવા પોતાનું શરીર પારકા મનુષ્યને હવાલે કરે છે,
ਕਾਮਿ ਦਾਮਿ ਚਿਤੁ ਪਰ ਵਸਿ ਸੇਈ ॥ કામ-વાસનામાં ફસાઈને પૈસાની લાલચમાં ફસાઈને તે પોતાનું મન પણ પારકા મનુષ્યના વશમાં કરે છે,
ਬਿਨੁ ਪਿਰ ਤ੍ਰਿਪਤਿ ਨ ਕਬਹੂੰ ਹੋਈ ॥੬॥ પરંતુ પતિ વગર તેને ક્યારેય પણ શાંતિ નસીબ નથી થઈ શકતી, આમ જ પતિ પ્રભુને ભૂલનારી જીવ-સ્ત્રી પોતાને વિકારોને અધીન કરે છે, પરંતુ પતિ પ્રભુ વગર આધ્યાત્મિક સુખ કદી નથી મળી શકતું ॥૬॥
ਪੜਿ ਪੜਿ ਪੋਥੀ ਸਿੰਮ੍ਰਿਤਿ ਪਾਠਾ ॥ વિદ્વાન પંડિત વેદ-પુરાણ-સ્મૃતિઓ વગેરે ધર્મ પુસ્તકો વારંવાર વાંચે છે,
ਬੇਦ ਪੁਰਾਣ ਪੜੈ ਸੁਣਿ ਥਾਟਾ ॥ તેની કાવ્ય રચના વારંવાર સાંભળે છે,
ਬਿਨੁ ਰਸ ਰਾਤੇ ਮਨੁ ਬਹੁ ਨਾਟਾ ॥੭॥ પરંતુ જ્યાં સુધી તેનું મન પરમાત્માના નામ-રસનું રસિયું નથી બનતું, ત્યાં સુધી માયાના હાથો પર જ નાચ કરે છે ॥૭॥
ਜਿਉ ਚਾਤ੍ਰਿਕ ਜਲ ਪ੍ਰੇਮ ਪਿਆਸਾ ॥ જેમ બપૈયાને વરસાદ-જળથી પ્રેમ છે, વરસાદ-જળની તેને તરસ છે.
ਜਿਉ ਮੀਨਾ ਜਲ ਮਾਹਿ ਉਲਾਸਾ ॥ જેમ માછલી પાણીમાં ખુબ ખુશ રહે છે,
ਨਾਨਕ ਹਰਿ ਰਸੁ ਪੀ ਤ੍ਰਿਪਤਾਸਾ ॥੮॥੧੧॥ તેમ જ, હે નાનક! પરમાત્માનો ભક્ત પરમાત્માનું નામ-રસ પીને તૃપ્ત થઇ જાય છે ॥૮॥૧૧॥
ਗਉੜੀ ਮਹਲਾ ੧ ॥ ગૌરી રાગ મહેલ ૧
ਹਠੁ ਕਰਿ ਮਰੈ ਨ ਲੇਖੈ ਪਾਵੈ ॥ જો કોઈ મનુષ્ય મનની જીદ કરીને ધૂણીઓ વગેરે તપાવીને શારીરિક મુશ્કેલીઓ સહન કરે છે, તો તેનું આ કષ્ટ સહેવું કોઈ ગણતરીમાં નથી ગણાતું.
ਵੇਸ ਕਰੈ ਬਹੁ ਭਸਮ ਲਗਾਵੈ ॥ જો કોઈ મનુષ્ય શરીર પર રાખ ઘસે છે અને યોગ વગેરેના ઘણા વેશપલટા કરે છે, આ પણ વ્યર્થ જાય છે.
ਨਾਮੁ ਬਿਸਾਰਿ ਬਹੁਰਿ ਪਛੁਤਾਵੈ ॥੧॥ પરમાત્માનું નામ ભૂલીને તે અંતે પસ્તાય છે કે આ મહેનતોમાં જીવન વ્યર્થ ગુમાવ્યું ॥૧॥
ਤੂੰ ਮਨਿ ਹਰਿ ਜੀਉ ਤੂੰ ਮਨਿ ਸੂਖ ॥ હે ભાઈ! તું પોતાના મનમાં પ્રભુને વસાવી લે, અને આ રીતે તુ પોતાના મનમાં આધ્યાત્મિક આનંદ લે.
ਨਾਮੁ ਬਿਸਾਰਿ ਸਹਹਿ ਜਮ ਦੂਖ ॥੧॥ ਰਹਾਉ ॥ યાદ રાખ પરમાત્માના નામને ભૂલીને તું યમરાજોના દુઃખ સહીશ ॥૧॥ વિરામ॥
ਚੋਆ ਚੰਦਨ ਅਗਰ ਕਪੂਰਿ ॥ બીજી તરફ જો કોઈ મનુષ્ય અત્તર, ચંદન, અગર, કપૂર
ਮਾਇਆ ਮਗਨੁ ਪਰਮ ਪਦੁ ਦੂਰਿ ॥ વગેરે સુંગંધીઓના પ્રયોગમાં મસ્ત છે, માયાના મોહમાં મસ્ત છે, તો ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ તેનાથીપણ દૂર છે.
ਨਾਮਿ ਬਿਸਾਰਿਐ ਸਭੁ ਕੂੜੋ ਕੂਰਿ ॥੨॥ જો પ્રભુનું નામ ભૂલી દેવામાં આવે, તો આ બધા દુનિયાવાળા એશ પણ વ્યર્થ છે, સુખ નથી મળતું, મનુષ્ય સુખના વ્યર્થ પ્રયત્નોમાં રહે છે ॥૨॥
ਨੇਜੇ ਵਾਜੇ ਤਖਤਿ ਸਲਾਮੁ ॥ જો કોઈ મનુષ્ય રાજા પણ બની જાય, રાજ સિહાંસન પર બેઠેલાંને ભાલો-ઉઠાવનાર સેના તેમજ બાજાવાળા સલામો કરે,
ਅਧਕੀ ਤ੍ਰਿਸਨਾ ਵਿਆਪੈ ਕਾਮੁ ॥ તો પણ માયાની તૃષ્ણા જ વધે છે, કામ-વાસના પર બળ નાખે છે, આમાં આધ્યાત્મિક સુખ નથી! સુખ છે કેવળ પ્રભુના નામની ભક્તિમાં.
ਬਿਨੁ ਹਰਿ ਜਾਚੇ ਭਗਤਿ ਨ ਨਾਮੁ ॥੩॥ પરંતુ પ્રભુના ઓટલે થી માંગ્યા વગર ના તો ભક્તિ મળે છે ના નામ મળે છે ॥૩॥
ਵਾਦਿ ਅਹੰਕਾਰਿ ਨਾਹੀ ਪ੍ਰਭ ਮੇਲਾ ॥ વિદ્યાના બળ પર ધાર્મિક પુસ્તકોની ચર્ચાના ઝઘડામાં પડવાથી તેમજ વિદ્યાના અહંકારમાં પણ પરમાત્માનો મેળાપ નથી હોતો.
ਮਨੁ ਦੇ ਪਾਵਹਿ ਨਾਮੁ ਸੁਹੇਲਾ ॥ હે ભાઈ! પોતાનું મન દઈને જ, અહંકાર ગુમાવીને જ સુખોનો સ્ત્રોત પ્રભુ નામ પ્રાપ્ત કરીશ.
ਦੂਜੈ ਭਾਇ ਅਗਿਆਨੁ ਦੁਹੇਲਾ ॥੪॥ પ્રભુને ભૂલીને બીજાના જ પ્રેમમાં રહેવાથી દુઃખદ અજ્ઞાન જ વધશે ॥૪॥
ਬਿਨੁ ਦਮ ਕੇ ਸਉਦਾ ਨਹੀ ਹਾਟ ॥ જેમ રાજ પુંજી વગર દુકાનનો સોદો નથી લઇ શકાતો,
ਬਿਨੁ ਬੋਹਿਥ ਸਾਗਰ ਨਹੀ ਵਾਟ ॥ તેમ જ જહાજ વગર સમુદ્રનો સફર નથી થઇ શકતો,
ਬਿਨੁ ਗੁਰ ਸੇਵੇ ਘਾਟੇ ਘਾਟਿ ॥੫॥ તેમ જ ગુરુની શરણ પડ્યા વગર જીવન સફરમાં આધ્યાત્મિક રાશિ-પુંજી તરફથી હાનિ જ હાનિમાં રહેવું પડે છે ॥૫॥
ਤਿਸ ਕਉ ਵਾਹੁ ਵਾਹੁ ਜਿ ਵਾਟ ਦਿਖਾਵੈ ॥ હે ભાઈ! તે સંપૂર્ણ ગુરુને ધન્ય-ધન્ય કહે જે સાચી જીવન રાહ દેખાડી દે છે,
ਤਿਸ ਕਉ ਵਾਹੁ ਵਾਹੁ ਜਿ ਸਬਦੁ ਸੁਣਾਵੈ ॥ જે પરમાત્માની મહિમાનાં શબ્દ સંભળાવે છે,
ਤਿਸ ਕਉ ਵਾਹੁ ਵਾਹੁ ਜਿ ਮੇਲਿ ਮਿਲਾਵੈ ॥੬॥ અને આ રીતે જે પરમાત્માના મેળાપમાં મેળાવી દે છે. ॥૬॥
ਵਾਹੁ ਵਾਹੁ ਤਿਸ ਕਉ ਜਿਸ ਕਾ ਇਹੁ ਜੀਉ ॥ હે ભાઈ! તે પરમાત્માની મહિમા કર જેની આપેલી આ જીવ છે.
ਗੁਰ ਸਬਦੀ ਮਥਿ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਉ ॥ ગુરુના શબ્દો દ્વારા પરમાત્માના ગૂણોને વારંવાર વિચારીને આધ્યાત્મિક જીવન દેનાર નામ રસ પી.
ਨਾਮ ਵਡਾਈ ਤੁਧੁ ਭਾਣੈ ਦੀਉ ॥੭॥ તે પ્રભુ તને પોતાની રજા માં નામ જપવાની ઉદારતા આપશે. ॥૭॥
ਨਾਮ ਬਿਨਾ ਕਿਉ ਜੀਵਾ ਮਾਇ ॥ હે માં! પરમાત્માના નામ વગર હું આધ્યાત્મિક જીવન નઈ જીવી શકું
ਅਨਦਿਨੁ ਜਪਤੁ ਰਹਉ ਤੇਰੀ ਸਰਣਾਇ ॥ હે પ્રભુ! હું તારી શરણે આવ્યો છું, કૃપા કર હું દિવસ રાત તારું જ નામ જપ્યા કરું.
ਨਾਨਕ ਨਾਮਿ ਰਤੇ ਪਤਿ ਪਾਇ ॥੮॥੧੨॥ હે નાનક! જો પ્રભુના નામ-રંગમાં રંગાયેલા રહીયે, ત્યારે જ લોક-પરલોકમાં આદર-માન મળે છે ॥૮॥૧૨॥
ਗਉੜੀ ਮਹਲਾ ੧ ॥ ગૌરી રાગ મહેલ ૧
ਹਉਮੈ ਕਰਤ ਭੇਖੀ ਨਹੀ ਜਾਨਿਆ ॥ “હું ધર્મી છું, હું ધર્મી છું” આ હું હું કરતા કરતા ગર્ભિત ધાર્મિક વેશથી ક્યારેય કોઈએ પરમાત્માની સાથે ગાઢ સંધિ નથી નાંખી.
ਗੁਰਮੁਖਿ ਭਗਤਿ ਵਿਰਲੇ ਮਨੁ ਮਾਨਿਆ ॥੧॥ ગુરુની શરણ પડીને જ પરમાત્માની ભક્તિમાં મન રમે છે. પરંતુ, આવો સ્વયં ભાવ ત્યાગનાર કોઈ એકાદ જ હોય છે ॥૧॥
ਹਉ ਹਉ ਕਰਤ ਨਹੀ ਸਚੁ ਪਾਈਐ ॥ હું મોટો ધર્મી છું, હું મોટો રાજા છું, આવું હું હું કરતા કરતા ક્યારેય હંમેશા કાયમ રહેનાર પરમાત્મા મળી શકતા નથી.
ਹਉਮੈ ਜਾਇ ਪਰਮ ਪਦੁ ਪਾਈਐ ॥੧॥ ਰਹਾਉ ॥ જયારે અહંકાર દૂર થઇ, ત્યારે જ સૌથી ઉંચો આધ્યાત્મિક દરજ્જો પ્રાપ્ત કરી શકાય છે ॥૧॥વિરામ॥
ਹਉਮੈ ਕਰਿ ਰਾਜੇ ਬਹੁ ਧਾਵਹਿ ॥ “અમે મોટા રાજા છીએ”, આ અહંકારને કારણે જ રાજા એકબીજાના દેશો પર ઘણી વાર આક્રમણ કરતા રહે છે
ਹਉਮੈ ਖਪਹਿ ਜਨਮਿ ਮਰਿ ਆਵਹਿ ॥੨॥ પોતાની ઉદારતાના ગુમાનમાં દુઃખી થાય છે, પરિણામ એ નીકળે છે કે પ્રભુની યાદ ભુલાવીને જન્મ મરણના ચક્કરમાં પડી રહે છે ॥૨॥
ਹਉਮੈ ਨਿਵਰੈ ਗੁਰ ਸਬਦੁ ਵੀਚਾਰੈ ॥ જે ભાગ્યશાળી મનુષ્ય ગુરુના શબ્દ વિચારે છે, પોતાના વિચાર મંડળમાં ટકાવે છે, તેનો અહંકાર દૂર થઇ જાય છે,
ਚੰਚਲ ਮਤਿ ਤਿਆਗੈ ਪੰਚ ਸੰਘਾਰੈ ॥੩॥ તે ભટકણમાં નાખનારી પોતાની હલકી બુદ્ધિ ત્યાગે છે, અને કામાદિક પાંચેય દુશ્મનોનો નાશ કરે છે ॥૩॥
ਅੰਤਰਿ ਸਾਚੁ ਸਹਜ ਘਰਿ ਆਵਹਿ ॥ જે લોકોના હૃદયમાં હંમેશા કાયમ રહેનાર પરમાત્મા વસે છે, તે સ્થિર આધ્યાત્મિક સ્થિતિમાં ટકી રહે છે.
ਰਾਜਨੁ ਜਾਣਿ ਪਰਮ ਗਤਿ ਪਾਵਹਿ ॥੪॥ આખી સૃષ્ટિના માલિક પ્રભુની સાથે ગાઢ સંધિ નાખીને તે સૌથી ઉંચી આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરે છે ॥૪॥
ਸਚੁ ਕਰਣੀ ਗੁਰੁ ਭਰਮੁ ਚੁਕਾਵੈ ॥ જે મનુષ્યના મનની ભટકણ ગુરુ દૂર કરે છે હંમેશા સ્થિર પ્રભુનું સ્મરણ તેનું નિત્ય કર્મ બની જાય છે,
ਨਿਰਭਉ ਕੈ ਘਰਿ ਤਾੜੀ ਲਾਵੈ ॥੫॥ તે નિર્ભય પ્રભુના ચરણોમાં હંમેશા પોતાનું ધ્યાન જોડી રાખે છે ॥૫॥
ਹਉ ਹਉ ਕਰਿ ਮਰਣਾ ਕਿਆ ਪਾਵੈ ॥ “હું હું , હું હું” ને કારણે આધ્યાત્મિક મૃત્યુ જ મળે છે, આનાથી બીજું કોઈ આધ્યાત્મિક ગુણ મળતું નથી.
ਪੂਰਾ ਗੁਰੁ ਭੇਟੇ ਸੋ ਝਗਰੁ ਚੁਕਾਵੈ ॥੬॥ જે મનુષ્યને સંપૂર્ણ ગુરુ મળી જાય છે, તે અહંકારની આ કહેવતને અંદરથી સમાપ્ત કરી લે છે ॥૬॥
ਜੇਤੀ ਹੈ ਤੇਤੀ ਕਿਹੁ ਨਾਹੀ ॥ અહંકારને આશરે જેટલી પણ દોડ ભાગ છે આ બધી દોડ ભાગ કોઈ આધ્યાત્મિક લાભ નથી પહોંચાડતી.
ਗੁਰਮੁਖਿ ਗਿਆਨ ਭੇਟਿ ਗੁਣ ਗਾਹੀ ॥੭॥ ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય ગુરૂથી જ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્માના ગુણ ગાય છે ॥૭॥
error: Content is protected !!
Scroll to Top
https://dinkes.pacitankab.go.id/comm/pandemo/ https://dinkes.pacitankab.go.id/comm/smaxwin/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/situs-gacor/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/demo-slot/ https://pdp.pasca.untad.ac.id/apps/akun-demo/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/
https://jackpot-1131.com/ jp1131
https://dinkes.pacitankab.go.id/comm/pandemo/ https://dinkes.pacitankab.go.id/comm/smaxwin/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/situs-gacor/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/demo-slot/ https://pdp.pasca.untad.ac.id/apps/akun-demo/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/
https://jackpot-1131.com/ jp1131