Page 55
                    ਹਰਿ ਜੀਉ ਸਬਦਿ ਪਛਾਣੀਐ ਸਾਚਿ ਰਤੇ ਗੁਰ ਵਾਕਿ ॥
                   
                    
                                            
                        હંમેશા કાયમ રહેવાવાળા પ્રભુના નામમાં રંગાયેલા ગુરુના વાક્યો કે શબ્દો દ્વારા પરમાત્મા સાથે ઓળખાણ થઈ શકે છે
                                            
                    
                    
                
                                   
                    ਤਿਤੁ ਤਨਿ ਮੈਲੁ ਨ ਲਗਈ ਸਚ ਘਰਿ ਜਿਸੁ ਓਤਾਕੁ ॥
                   
                    
                                            
                        ગુરુ દ્વારા જે મનુષ્ય ની બેઠક હંમેશા સ્થિર પ્રભુના ઘરમાં ચરણોમાં થઇ જાય છે એના શરીરને માયા ની ગંદકી લગતી નથી
                                            
                    
                    
                
                                   
                    ਨਦਰਿ ਕਰੇ ਸਚੁ ਪਾਈਐ ਬਿਨੁ ਨਾਵੈ ਕਿਆ ਸਾਕੁ ॥੫॥
                   
                    
                                            
                        એ હંમેશા સ્થિર પ્રભુ જેના પર કૃપા ભરેલી નજર રાખે છે એને જ એમની પ્રાપ્તિ થાય છે એનું નામ સ્મરણ કર્યા વિના તેનાથી સંબંધ બની શકતો નથી. ।।5।।
                                            
                    
                    
                
                                   
                    ਜਿਨੀ ਸਚੁ ਪਛਾਣਿਆ ਸੇ ਸੁਖੀਏ ਜੁਗ ਚਾਰਿ ॥
                   
                    
                                            
                        જે લોકો એ હંમેશા સ્થિર પ્રભુ સાથે સંધિ બાંધી લીધી છે એ હંમેશા જ આધ્યાત્મિક આનંદમાં રહે છે
                                            
                    
                    
                
                                   
                    ਹਉਮੈ ਤ੍ਰਿਸਨਾ ਮਾਰਿ ਕੈ ਸਚੁ ਰਖਿਆ ਉਰ ਧਾਰਿ ॥
                   
                    
                                            
                        એ પોતાના અહંકાર અને માયા વાળી તૃષ્ણાને મારીને હંમેશા સ્થિર પ્રભુના નામને પોતાના હૃદયમાં ટકાવી રાખે છે
                                            
                    
                    
                
                                   
                    ਜਗ ਮਹਿ ਲਾਹਾ ਏਕੁ ਨਾਮੁ ਪਾਈਐ ਗੁਰ ਵੀਚਾਰਿ ॥੬॥
                   
                    
                                            
                        જગતમાં આવીને પ્રભુનું એક નામ જ લાભ છે જે મનુષ્ય એ કમાવવું જોઈએ અને નામ ગુરુની શિક્ષા દ્વારા જ મળી શકે છે. ।।6।।
                                            
                    
                    
                
                                   
                    ਸਾਚਉ ਵਖਰੁ ਲਾਦੀਐ ਲਾਭੁ ਸਦਾ ਸਚੁ ਰਾਸਿ ॥
                   
                    
                                            
                        હે વેપારી જીવ હંમેશા સ્થિર રહેવાવાળી પ્રભુનામ રૂપી રાશિ પુંજી જ એકત્ર કરવી જોઈએ એમાં એ નફો થાય છે જે હંમેશા કાયમ રહે છે
                                            
                    
                    
                
                                   
                    ਸਾਚੀ ਦਰਗਹ ਬੈਸਈ ਭਗਤਿ ਸਚੀ ਅਰਦਾਸਿ ॥
                   
                    
                                            
                        જે મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુની ભક્તિ કરે છે એની આગળ પ્રાર્થના કરે છે એ એની હંમેશા સ્થિર હાજરી માં બેસે  છે
                                            
                    
                    
                
                                   
                    ਪਤਿ ਸਿਉ ਲੇਖਾ ਨਿਬੜੈ ਰਾਮ ਨਾਮੁ ਪਰਗਾਸਿ ॥੭॥
                   
                    
                                            
                        એના જીવનના સફરમાં લેખ પુરા સન્માન સાથે ચોખ્ખો થઈ જાય છે  કારણ કે એની અંદર પ્રભુનું નામ ઉજાગર થઈ જાય છે ।।7।।
                                            
                    
                    
                
                                   
                    ਊਚਾ ਊਚਉ ਆਖੀਐ ਕਹਉ ਨ ਦੇਖਿਆ ਜਾਇ ॥
                   
                    
                                            
                        પરમાત્મા બધા થી ઉંચા છે, પરમાત્મા બધા થી ઉંચા છે, બધી બાજુએથી આ જ કહેવામાં આવે છે હું પણ કહું છું કે પરમાત્મા બધા થી ઉંચા છે પરંતુ ખાલી કહેવાથી એના દર્શન કરી શકાતા નથી
                                            
                    
                    
                
                                   
                    ਜਹ ਦੇਖਾ ਤਹ ਏਕੁ ਤੂੰ ਸਤਿਗੁਰਿ ਦੀਆ ਦਿਖਾਇ ॥
                   
                    
                                            
                        જ્યારે સદગુરુ એ મને હે પ્રભુ તારા દર્શન કરાવી દીધા છે ત્યારે હવે હું જ્યાં પણ જોઉં ત્યાં તું જ માત્ર દેખાઈ પડે છે
                                            
                    
                    
                
                                   
                    ਜੋਤਿ ਨਿਰੰਤਰਿ ਜਾਣੀਐ ਨਾਨਕ ਸਹਜਿ ਸੁਭਾਇ ॥੮॥੩॥
                   
                    
                                            
                        હે નાનક! ગુરુ શરણમાં પાડીને આધ્યાત્મિક સ્થિરતા અવસ્થામાં ટકીને પ્રેમમાં જોડાઈને  એ સમજ આવી જાય છે કે પરમાત્માની જ્યોતિ એકરસ થઇ દરેક જગ્યાએ હાજર છે. ।।8।।।।3।।
                                            
                    
                    
                
                                   
                    ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥
                   
                    
                                            
                        શ્રી રાગ મહેલ ૧।।
                                            
                    
                    
                
                                   
                    ਮਛੁਲੀ ਜਾਲੁ ਨ ਜਾਣਿਆ ਸਰੁ ਖਾਰਾ ਅਸਗਾਹੁ ॥
                   
                    
                                            
                        ભોળી અને નાસમજ માછલીએ જાળને સમજી નહિ કે જાળ  એની મૃત્યુ નું કારણ બને છે અને એ ઊંડા ખારા સમુદ્રને સમજી નહિ  કે સમુદ્રમાં ટકી રહેવાથી જ એની જિંદગી હંમેશા રહી શકે છે
                                            
                    
                    
                
                                   
                    ਅਤਿ ਸਿਆਣੀ ਸੋਹਣੀ ਕਿਉ ਕੀਤੋ ਵੇਸਾਹੁ ॥
                   
                    
                                            
                        દેખાવામાં માછલી ખુબ સુંદર અને અક્કલમંદ લાગતી હોય છે પરંતુ એને જાળ પર વિશ્વાસ કરવો જોઈતો ન હતો
                                            
                    
                    
                
                                   
                    ਕੀਤੇ ਕਾਰਣਿ ਪਾਕੜੀ ਕਾਲੁ ਨ ਟਲੈ ਸਿਰਾਹੁ ॥੧॥
                   
                    
                                            
                        જાળ પર વિશ્વાસ કરવાના કારણે જ એ પકડાઈ જાય છે અને એના માથા પર થી મૃત્યુ ટળતું નથી જીવ એ જ ભૂલી જાય છે કે જિંદગીના ઊંડા સમુદ્ર પ્રભુમાં લીન રહેવાથી જ આધ્યાત્મિક જીવન કાયમ રહે છે મનુષ્ય મોહની માયા પર વિશ્વાસ કરી બેસે છે અને આધ્યાત્મિક મૃત્યુ સહન કરે છે મૃત્યુનો ડર દરેક સમયે એના માથા પર ફરતો રહે છે. ।।1।।
                                            
                    
                    
                
                                   
                    ਭਾਈ ਰੇ ਇਉ ਸਿਰਿ ਜਾਣਹੁ ਕਾਲੁ ॥
                   
                    
                                            
                        હે ભાઈ! પોતાના માથા પર મૃત્યુને એવી રીતે સમજો
                                            
                    
                    
                
                                   
                    ਜਿਉ ਮਛੀ ਤਿਉ ਮਾਣਸਾ ਪਵੈ ਅਚਿੰਤਾ ਜਾਲੁ ॥੧॥ ਰਹਾਉ ॥
                   
                    
                                            
                        જેવી રીતે માછલી પર અચાનક માછીમારનું જાળ આવી પડે છે તેવી જ રીતે મનુષ્યના માથા પર પણ અચાનક જ મૃત્યુ આવી પડે છે. ।।1।। વિરામ।।
                                            
                    
                    
                
                                   
                    ਸਭੁ ਜਗੁ ਬਾਧੋ ਕਾਲ ਕੋ ਬਿਨੁ ਗੁਰ ਕਾਲੁ ਅਫਾਰੁ ॥
                   
                    
                                            
                        આખું જગત મૃત્યુનો ડર માં બંધાયેલું હોય છે ગુરુની શરણમાં આવ્યા વિના મૃત્યુ નો ડર બધા ના માથા પર અડગ છે
                                            
                    
                    
                
                                   
                    ਸਚਿ ਰਤੇ ਸੇ ਉਬਰੇ ਦੁਬਿਧਾ ਛੋਡਿ ਵਿਕਾਰ ॥
                   
                    
                                            
                        જે મનુષ્ય હંમેશા  સ્થિર પ્રભુના પ્રેમમાં રંગાયેલો રહે છે એ વિકારોને છોડીને મન ની માયા ની અસમંજસ વાળી પરિસ્થિતિ છોડીને મૃત્યુ ના સંમતિથી બચી જાય છે
                                            
                    
                    
                
                                   
                    ਹਉ ਤਿਨ ਕੈ ਬਲਿਹਾਰਣੈ ਦਰਿ ਸਚੈ ਸਚਿਆਰ ॥੨॥
                   
                    
                                            
                        હું એના પર કુરબાન થાઉં છું જે ગુરુ ની શરણમાં પાડીને પ્રભુના ઓટલા પર સ્વીકાર થાય છે. ।।2।।
                                            
                    
                    
                
                                   
                    ਸੀਚਾਨੇ ਜਿਉ ਪੰਖੀਆ ਜਾਲੀ ਬਧਿਕ ਹਾਥਿ ॥
                   
                    
                                            
                        જેમ બાજ અને શિકારી ના  હાથમાં પકડેલી જાળ પક્ષીઓ માટે મૃત્યુ નો સંદેશ છે એવી જ રીતે માયાનો મોહ મનુષ્યો માટે આધ્યાત્મિક મૃત્યુ નું કારણ છે
                                            
                    
                    
                
                                   
                    ਗੁਰਿ ਰਾਖੇ ਸੇ ਉਬਰੇ ਹੋਰਿ ਫਾਥੇ ਚੋਗੈ ਸਾਥਿ ॥
                   
                    
                                            
                        જેની ગુરુએ રક્ષા કરી છે એ બધા માયાજાળ માંથી બચી નીકળ્યા અને બાકી બધા માયાના વેશ સાથે મોહ ની જાળમાં ફસાઈ ગયા
                                            
                    
                    
                
                                   
                    ਬਿਨੁ ਨਾਵੈ ਚੁਣਿ ਸੁਟੀਅਹਿ ਕੋਇ ਨ ਸੰਗੀ ਸਾਥਿ ॥੩॥
                   
                    
                                            
                        જેના ભાગમાં પ્રભુનામ નથી એમને શોધી શોધીને માયાની જાળમાં ફેંકવામાં આવે છે એનું બીજું કોઈ સાથી મિત્ર બનતું નથી જે એમને આ જાળ માંથી કાઢી શકે. ।।3।।
                                            
                    
                    
                
                                   
                    ਸਚੋ ਸਚਾ ਆਖੀਐ ਸਚੇ ਸਚਾ ਥਾਨੁ ॥
                   
                    
                                            
                        મૃત્યુ નાં ડરથી અને આધ્યાત્મિક મૃત્યુ થી માટે હે ભાઈ એ હંમેશા સ્થિર રહેવાવાળા પ્રભુનું કરવું જોઈએ જેનું સ્થાન અટળ છે
                                            
                    
                    
                
                                   
                    ਜਿਨੀ ਸਚਾ ਮੰਨਿਆ ਤਿਨ ਮਨਿ ਸਚੁ ਧਿਆਨੁ ॥
                   
                    
                                            
                        જેનું મન પ્રભુ સ્મરણ માં લાગી જાય છે એના મનમાં એ પ્રભુની યાદ ની લગની લાગી જાય છે
                                            
                    
                    
                
                                   
                    ਮਨਿ ਮੁਖਿ ਸੂਚੇ ਜਾਣੀਅਹਿ ਗੁਰਮੁਖਿ ਜਿਨਾ ਗਿਆਨੁ ॥੪॥
                   
                    
                                            
                        ગુરુ ની શરણમાં પડીને એના મનમાં અને મુખમાં પ્રભુ સાથે ઊંડી સંગત ટકી જાય છે એ લોકો પવિત્ર માનવામાં આવે છે. ।।4।।
                                            
                    
                    
                
                                   
                    ਸਤਿਗੁਰ ਅਗੈ ਅਰਦਾਸਿ ਕਰਿ ਸਾਜਨੁ ਦੇਇ ਮਿਲਾਇ ॥
                   
                    
                                            
                        હે મારા મન! સજ્જન પ્રભુને મળવા માટે હંમેશા પોતાના ગુરુ આગળ પ્રાર્થના કરતું રહે. ગુરુ સજ્જન પ્રભુ સાથે મિલાપ કરાવે છે
                                            
                    
                    
                
                                   
                    ਸਾਜਨਿ ਮਿਲਿਐ ਸੁਖੁ ਪਾਇਆ ਜਮਦੂਤ ਮੁਏ ਬਿਖੁ ਖਾਇ ॥
                   
                    
                                            
                        જો સજ્જન પ્રભુ મળી જાય તો આધ્યાત્મિક  આનંદ મળી જાય છે યમદૂતો તો એમ સમજો કે ઝેર ખાઈને મરી જાય છે યમદૂતો નજીક આવતા નથી
                                            
                    
                    
                
                                   
                    ਨਾਵੈ ਅੰਦਰਿ ਹਉ ਵਸਾਂ ਨਾਉ ਵਸੈ ਮਨਿ ਆਇ ॥੫॥
                   
                    
                                            
                        જો સજ્જન પ્રભુ મળી જાય તો હું હંમેશા એના નામમાં ટકી રહી શકું છું એનું  નામ હંમેશા મારા મનમાં આવીને વસે છે. ।।5।।
                                            
                    
                    
                
                                   
                    ਬਾਝੁ ਗੁਰੂ ਗੁਬਾਰੁ ਹੈ ਬਿਨੁ ਸਬਦੈ ਬੂਝ ਨ ਪਾਇ ॥
                   
                    
                                            
                        ગુરુ શરણમાં પડ્યા વિના જીવો માટે ચારેય તરફ માયા ના મોહ નો અંધકાર છે ગુરુના શબ્દ વિના સમજણ પડતી નથી કે માયાના મોહમાં ફસાયેલો છું
                                            
                    
                    
                
                                   
                    ਗੁਰਮਤੀ ਪਰਗਾਸੁ ਹੋਇ ਸਚਿ ਰਹੈ ਲਿਵ ਲਾਇ ॥
                   
                    
                                            
                        જે મનુષ્યના હૃદયમાં ગુરુની શિક્ષા સાથે આધ્યાત્મિક પ્રકાશ થાય છે એ હંમેશા સ્થિર પ્રભુમાં પોતાનું ધ્યાન જોડીને રાખે છે
                                            
                    
                    
                
                                   
                    ਤਿਥੈ ਕਾਲੁ ਨ ਸੰਚਰੈ ਜੋਤੀ ਜੋਤਿ ਸਮਾਇ ॥੬॥
                   
                    
                                            
                        એ આધ્યાત્મિક અવસ્થામાં મૃત્યુ નો ડર પહોંચતો જ નથી કેમ કે જીવનની જ્યોતિ પરમાત્માની જ્યોતિ માં જ લીન રહે છે. ।।6।।
                                            
                    
                    
                
                                   
                    ਤੂੰਹੈ ਸਾਜਨੁ ਤੂੰ ਸੁਜਾਣੁ ਤੂੰ ਆਪੇ ਮੇਲਣਹਾਰੁ ॥
                   
                    
                                            
                        હે પ્રભુ! તું જ મારો મિત્ર છે તું જ મારા દુઃખ દર્દ જાણવાવાળો છે તું સ્વયં જ મને પોતાના ચરણોમાં મળવવા માટે સમર્થ છે
                                            
                    
                    
                
                                   
                    ਗੁਰ ਸਬਦੀ ਸਾਲਾਹੀਐ ਅੰਤੁ ਨ ਪਾਰਾਵਾਰੁ ॥
                   
                    
                                            
                        ગુરુ શબ્દો દ્વારા જ તારી મહિમા કરી શકાય છે આમ તો તારા બધા ગુણો અનંત છે તારા ગુણો નો આ પાર કે પેલે પાર કોઈ છેડો શોધી શકાતો નથી
                                            
                    
                    
                
                                   
                    ਤਿਥੈ ਕਾਲੁ ਨ ਅਪੜੈ ਜਿਥੈ ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਅਪਾਰੁ ॥੭॥
                   
                    
                                            
                        જેના હૃદયમાં ગુરુ શબ્દ ટકેલું છે અનંત પ્રભુ સ્વયં ટકેલા છે ત્યાં પરમાત્મા નો ડર પહોંચી શકતો નથી. ।।7।।
                                            
                    
                    
                
                                   
                    ਹੁਕਮੀ ਸਭੇ ਊਪਜਹਿ ਹੁਕਮੀ ਕਾਰ ਕਮਾਹਿ ॥
                   
                    
                                            
                        માયાના મોહમાં જાળમાંથી નીકળવું જીવો ના વસની વાત નથી પરમાત્માના હુકમથી જ બધા જીવો જન્મે  છે એના હુકમ થી જ કર્મો કરવામાં આવે છે
                                            
                    
                    
                
                                   
                    ਹੁਕਮੀ ਕਾਲੈ ਵਸਿ ਹੈ ਹੁਕਮੀ ਸਾਚਿ ਸਮਾਹਿ ॥
                   
                    
                                            
                        પ્રભુના હુકમમાં જ સૃષ્ટિ મૃત્યુ નાં ડર ને આધીન છે હુકમ પ્રમાણે જ જીવ હંમેશા સ્થિર પ્રભુની યાદ માં ટકી રહે છે
                                            
                    
                    
                
                                   
                    ਨਾਨਕ ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋ ਥੀਐ ਇਨਾ ਜੰਤਾ ਵਸਿ ਕਿਛੁ ਨਾਹਿ ॥੮॥੪॥
                   
                    
                                            
                        હે નાનક!  એ બધું જ થાય છે જે એ પરમાત્માને ઠીક લાગે છે આ જીવો ના વશમાં કઈ જ નથી. ।।8।।૪।।
                                            
                    
                    
                
                                   
                    ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥
                   
                    
                                            
                        શ્રી રાગ મહેલ ૧।।
                                            
                    
                    
                
                                   
                    ਮਨਿ ਜੂਠੈ ਤਨਿ ਜੂਠਿ ਹੈ ਜਿਹਵਾ ਜੂਠੀ ਹੋਇ ॥
                   
                    
                                            
                        જો જીવનું મન વિકારોની પીડા થી ખોટું થઇ ગયું છે, તો તેના શરીરમાં પણ ખોટું જ ખોટું છે, બધી જ્ઞાનેન્દ્રિયો વિકારો તરફ જ દોડે છે, તેની જીભ ખાવાની ચુસ્કી સાથે એંઠી થયેલી રહે છે