Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-754

Page 754

ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਸਤਿ ਕਰਿ ਜਾਣੈ ਗੁਰ ਕੈ ਭਾਇ ਪਿਆਰੇ ॥ તે પ્રેમાળ ગુરુની રજા પ્રમાણે હરિનું નામ સત્ય માને છે.
ਸਚੀ ਵਡਿਆਈ ਗੁਰ ਤੇ ਪਾਈ ਸਚੈ ਨਾਇ ਪਿਆਰੇ ॥ તેને ગુરુથી જ નામની સાચી મહાનતા પ્રાપ્ત કરી છે અને સત્ય નામથી જ પ્રેમ કરે છે.
ਏਕੋ ਸਚਾ ਸਭ ਮਹਿ ਵਰਤੈ ਵਿਰਲਾ ਕੋ ਵੀਚਾਰੇ ॥ એક સાચો પરમાત્મા જ બધામાં ક્રિયાન્વિત છે પરંતુ કોઈ દુર્લભ મનુષ્ય જ આનો વિચાર કરે છે.
ਆਪੇ ਮੇਲਿ ਲਏ ਤਾ ਬਖਸੇ ਸਚੀ ਭਗਤਿ ਸਵਾਰੇ ॥੭॥ જયારે પ્રભુ પોતે જ જીવને પોતાની સાથે મળાવી લે છે તો તે તેને ક્ષમા કરી દે છે અને પોતાની ભક્તિ દ્વારા તેનું જીવન સુંદર બનાવી દે છે ॥૭॥
ਸਭੋ ਸਚੁ ਸਚੁ ਸਚੁ ਵਰਤੈ ਗੁਰਮੁਖਿ ਕੋਈ ਜਾਣੈ ॥ કોઈ ગુરુમુખ જ જાણે છે કે એક સત્ય પરમાત્મા જ બધામાં સક્રિય છે.
ਜੰਮਣ ਮਰਣਾ ਹੁਕਮੋ ਵਰਤੈ ਗੁਰਮੁਖਿ ਆਪੁ ਪਛਾਣੈ ॥ દુનિયામાં જન્મ તેમજ મૃત્યુ તેના હુકમમાં જ થઈ રહ્યું છે. ગુરુમુખ જ પોતાના આત્મસ્વરૂપને ઓળખે છે.
ਨਾਮੁ ਧਿਆਏ ਤਾ ਸਤਿਗੁਰੁ ਭਾਏ ਜੋ ਇਛੈ ਸੋ ਫਲੁ ਪਾਏ ॥ જ્યારે જીવ પરમાત્માના નામનું ધ્યાન કરે છે તો તે ગુરુને ખુબ સારો લાગે છે. તે જેવી ઈચ્છા કરે છે, તે જ ફળ પ્રાપ્ત કરે છે.
ਨਾਨਕ ਤਿਸ ਦਾ ਸਭੁ ਕਿਛੁ ਹੋਵੈ ਜਿ ਵਿਚਹੁ ਆਪੁ ਗਵਾਏ ॥੮॥੧॥ હે નાનક! જે પોતાના મનમાંથી અહંકાર સમાપ્ત કરી લે છે, તેનું બધું જ યોગ્ય થઈ જાય છે ॥૮॥૧॥
ਸੂਹੀ ਮਹਲਾ ੩ ॥ સુહી મહેલ ૩॥
ਕਾਇਆ ਕਾਮਣਿ ਅਤਿ ਸੁਆਲ੍ਹ੍ਹਿਉ ਪਿਰੁ ਵਸੈ ਜਿਸੁ ਨਾਲੇ ॥ હે ભાઈ! શરીરરૂપી ખુબ સુંદર જીવ-સ્ત્રી તે જ છે, જેની સાથે તેનો પતિ-પ્રભુ વસે છે.
ਪਿਰ ਸਚੇ ਤੇ ਸਦਾ ਸੁਹਾਗਣਿ ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਸਮ੍ਹ੍ਹਾਲੇ ॥ તે ગુરુના શબ્દ અંતરમનમાં વસાવીને રાખે છે અને સાચા પ્રભુના મેળાપથી હંમેશા સુહાગન બની રહે છે.
ਹਰਿ ਕੀ ਭਗਤਿ ਸਦਾ ਰੰਗਿ ਰਾਤਾ ਹਉਮੈ ਵਿਚਹੁ ਜਾਲੇ ॥੧॥ જે મનુષ્ય પરમાત્માની ભક્તિમાં હંમેશા લીન રહે છે, તે પોતાના અંતરથી અહંકારને સળગાવી દે છે ॥૧॥
ਵਾਹੁ ਵਾਹੁ ਪੂਰੇ ਗੁਰ ਕੀ ਬਾਣੀ ॥ સંપૂર્ણ ગુરુની વાણી ધન્ય-ધન્ય છે.
ਪੂਰੇ ਗੁਰ ਤੇ ਉਪਜੀ ਸਾਚਿ ਸਮਾਣੀ ॥੧॥ ਰਹਾਉ ॥ સંપૂર્ણ ગુરુના હૃદયથી ઉત્પન્ન થયેલ આ સત્યમાં જ સમાઈ રહે છે ॥૧॥વિરામ॥
ਕਾਇਆ ਅੰਦਰਿ ਸਭੁ ਕਿਛੁ ਵਸੈ ਖੰਡ ਮੰਡਲ ਪਾਤਾਲਾ ॥ ખંડ, મંડળ તેમજ પાતાળ વગેરે બધું જ શરીરમાં જ વસે છે,
ਕਾਇਆ ਅੰਦਰਿ ਜਗਜੀਵਨ ਦਾਤਾ ਵਸੈ ਸਭਨਾ ਕਰੇ ਪ੍ਰਤਿਪਾਲਾ ॥ આ શરીરમાં જ જગતને જીવન દેનાર પ્રભુ વસે છે, જે બધા જીવોનો ઉછેર કરે છે.
ਕਾਇਆ ਕਾਮਣਿ ਸਦਾ ਸੁਹੇਲੀ ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਸਮ੍ਹ੍ਹਾਲਾ ॥੨॥ જે મનુષ્ય ગુરુમુખ બનીને પરમાત્માનું નામ સ્મરણ કરતો રહે છે, તેની શરીરરૂપી સ્ત્રી હંમેશા સુખી રહે છે ॥૨॥
ਕਾਇਆ ਅੰਦਰਿ ਆਪੇ ਵਸੈ ਅਲਖੁ ਨ ਲਖਿਆ ਜਾਈ ॥ આ શરીરમાં પરમાત્મા પોતે જ વસે છે પરંતુ અદ્રશ્ય પ્રભુ જોઈ શકાતો નથી.
ਮਨਮੁਖੁ ਮੁਗਧੁ ਬੂਝੈ ਨਾਹੀ ਬਾਹਰਿ ਭਾਲਣਿ ਜਾਈ ॥ મૂર્ખ સ્વેચ્છાચારી આ સત્યને સમજતો નથી અને તે પરમાત્માને શોધવા માટે બહાર જંગલોમાં જાય છે.
ਸਤਿਗੁਰੁ ਸੇਵੇ ਸਦਾ ਸੁਖੁ ਪਾਏ ਸਤਿਗੁਰਿ ਅਲਖੁ ਦਿਤਾ ਲਖਾਈ ॥੩॥ જે ગુરુની સેવા કરે છે, તે હંમેશા સુખ પ્રાપ્ત કરે છે. ગુરુએ મને અદ્રશ્ય પરમાત્માનાં દર્શન કરાવી દીધા છે ॥૩॥
ਕਾਇਆ ਅੰਦਰਿ ਰਤਨ ਪਦਾਰਥ ਭਗਤਿ ਭਰੇ ਭੰਡਾਰਾ ॥ આ શરીરમાં જ રત્ન-પદાર્થ હાજર છે અને ભક્તિના ભંડાર ભરેલ છે.
ਇਸੁ ਕਾਇਆ ਅੰਦਰਿ ਨਉ ਖੰਡ ਪ੍ਰਿਥਮੀ ਹਾਟ ਪਟਣ ਬਾਜਾਰਾ ॥ આ શરીરમાં જ પૃથ્વીના નવ ખંડ, દુકાનો, નગર તેમજ બજાર છે.
ਇਸੁ ਕਾਇਆ ਅੰਦਰਿ ਨਾਮੁ ਨਉ ਨਿਧਿ ਪਾਈਐ ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਵੀਚਾਰਾ ॥੪॥ આ શરીરમાં જ પરમાત્માનાં નામની નવનિધિ હાજર છે પરંતુ આની પ્રાપ્તિ ગુરુના શબ્દ ચિંતન દ્વારા જ થાય છે ॥૪॥
ਕਾਇਆ ਅੰਦਰਿ ਤੋਲਿ ਤੁਲਾਵੈ ਆਪੇ ਤੋਲਣਹਾਰਾ ॥ તોલનાર પરમાત્મા પોતે જ શરીરમાં આ રત્ન-પદાર્થોને તોલીને તોલાવે છે.
ਇਹੁ ਮਨੁ ਰਤਨੁ ਜਵਾਹਰ ਮਾਣਕੁ ਤਿਸ ਕਾ ਮੋਲੁ ਅਫਾਰਾ ॥ આ મન રત્ન, જવાહર તેમજ માણેક છે અને આનું મૂલ્ય ખૂબ મોટું છે.
ਮੋਲਿ ਕਿਤ ਹੀ ਨਾਮੁ ਪਾਈਐ ਨਾਹੀ ਨਾਮੁ ਪਾਈਐ ਗੁਰ ਬੀਚਾਰਾ ॥੫॥ પરમાત્માનું નામ કોઈ પણ મુલ્યે મેળવી શકાતું નથી. આ તો ગુરુના ઉપદેશ દ્વારા જ મેળવાય છે ॥૫॥
ਗੁਰਮੁਖਿ ਹੋਵੈ ਸੁ ਕਾਇਆ ਖੋਜੈ ਹੋਰ ਸਭ ਭਰਮਿ ਭੁਲਾਈ ॥ જે મનુષ્ય ગુરુમુખ બની જાય છે, તે પોતાના શરીરમાં જ નામને શોધે છે. બાકી આખી દુનિયા ભ્રમમાં જ ભુલાયેલી છે.
ਜਿਸ ਨੋ ਦੇਇ ਸੋਈ ਜਨੁ ਪਾਵੈ ਹੋਰ ਕਿਆ ਕੋ ਕਰੇ ਚਤੁਰਾਈ ॥ જેને પરમાત્મા પોતાનું નામ દે છે, તે જ તેને પ્રાપ્ત કરે છે. બીજું કોઈ શું ચતુરાઈ શું કરી શકે છે?
ਕਾਇਆ ਅੰਦਰਿ ਭਉ ਭਾਉ ਵਸੈ ਗੁਰ ਪਰਸਾਦੀ ਪਾਈ ॥੬॥ આ શરીરમાં જ પ્રભુનો ભય તેમજ પ્રેમ વસે છે પરંતુ આ ગુરુની કૃપાથી જ મેળવાય છે ॥૬॥
ਕਾਇਆ ਅੰਦਰਿ ਬ੍ਰਹਮਾ ਬਿਸਨੁ ਮਹੇਸਾ ਸਭ ਓਪਤਿ ਜਿਤੁ ਸੰਸਾਰਾ ॥ આ શરીરમાં ત્રિદેવ - બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવશંકર વસે છે, જેનાથી આખા સંસારની ઉત્પત્તિ થઈ છે.
ਸਚੈ ਆਪਣਾ ਖੇਲੁ ਰਚਾਇਆ ਆਵਾ ਗਉਣੁ ਪਾਸਾਰਾ ॥ જન્મ-મરણરૂપી ફેલાવ કરીને સાચા પ્રભુએ પોતાની એક રમત રચેલી છે.
ਪੂਰੈ ਸਤਿਗੁਰਿ ਆਪਿ ਦਿਖਾਇਆ ਸਚਿ ਨਾਮਿ ਨਿਸਤਾਰਾ ॥੭॥ સંપૂર્ણ સદ્દગુરૂએ પોતે જ દેખાડી દીધું છે કે સત્ય-નામ દ્વારા જ મુક્તિ થાય છે ॥૭॥
ਸਾ ਕਾਇਆ ਜੋ ਸਤਿਗੁਰੁ ਸੇਵੈ ਸਚੈ ਆਪਿ ਸਵਾਰੀ ॥ આ શરીર જે સદ્દગુરૂની સેવા કરે છે, સાચા પ્રભુએ પોતે જ તેને સુંદર બનાવી દીધો છે.
ਵਿਣੁ ਨਾਵੈ ਦਰਿ ਢੋਈ ਨਾਹੀ ਤਾ ਜਮੁ ਕਰੇ ਖੁਆਰੀ ॥ પ્રભુના નામ વગર સત્યના દરવાજા પર મનુષ્યને બીજી કોઈ નિર્ભરતા મળતી નથી અને તો જ યમ તેને હેરાન કરે છે.
ਨਾਨਕ ਸਚੁ ਵਡਿਆਈ ਪਾਏ ਜਿਸ ਨੋ ਹਰਿ ਕਿਰਪਾ ਧਾਰੀ ॥੮॥੨॥ હે નાનક! જેના પર પ્રભુએ પોતાની કૃપા કરી છે, તેને જ સત્ય-નામની મહાનતા પ્રાપ્ત થઈ છે ॥૮॥૨॥
Scroll to Top
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/