Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-246

Page 246

ਇਸਤਰੀ ਪੁਰਖ ਕਾਮਿ ਵਿਆਪੇ ਜੀਉ ਰਾਮ ਨਾਮ ਕੀ ਬਿਧਿ ਨਹੀ ਜਾਣੀ ॥  માયાના મોહના પ્રભાવમાં સ્ત્રી અને મર્દ કામ-વાસનામાં ફસાઈ રહે છે, પરમાત્માનું નામ જપવાની વિધિ નથી શીખતા.
ਮਾਤ ਪਿਤਾ ਸੁਤ ਭਾਈ ਖਰੇ ਪਿਆਰੇ ਜੀਉ ਡੂਬਿ ਮੁਏ ਬਿਨੁ ਪਾਣੀ ॥ યાના મોહમાં ફસાયેલ જીવોને પોતાના માતા-મિતા-પુત્ર-ભાઈ જ ખુબ પ્રેમાળ લાગે છે, જે સરોવરમાં પાણી નથી,
ਡੂਬਿ ਮੁਏ ਬਿਨੁ ਪਾਣੀ ਗਤਿ ਨਹੀ ਜਾਣੀ ਹਉਮੈ ਧਾਤੁ ਸੰਸਾਰੇ ॥ પાણીની જગ્યાએ મોહ છે તેમાં ડુબીને નાકોનાક ફસાઈને જીવ આધ્યાત્મિક મૃત્યુ લઇ લે છે અને પોતાના આધ્યાત્મિક જીવનને નથી તપાસતા. આ રીતે સંસારમાં જીવોને અહંકારની ભટકણ લાગેલી છે.
ਜੋ ਆਇਆ ਸੋ ਸਭੁ ਕੋ ਜਾਸੀ ਉਬਰੇ ਗੁਰ ਵੀਚਾਰੇ ॥ જે પણ જીવ જગતમાં જન્મ લઈને આવે છે તે આ ભટકણમાં ફસાઈ જાય છે, આમાંથી તે જ બચે છે, જે ગુરુના શબ્દને પોતાના વિચાર-મંડળમાં વસાવે છે.
ਗੁਰਮੁਖਿ ਹੋਵੈ ਰਾਮ ਨਾਮੁ ਵਖਾਣੈ ਆਪਿ ਤਰੈ ਕੁਲ ਤਾਰੇ ॥ જે મનુષ્ય ગુરુના સન્મુખ થઈને પરમાત્માનું નામ ઉચ્ચારે છે, તે પોતે આ માયા-સરોવરથી પાર થઇ જાય છે, પોતાના કુળને પણ પાર પાડી દે છે.
ਨਾਨਕ ਨਾਮੁ ਵਸੈ ਘਟ ਅੰਤਰਿ ਗੁਰਮਤਿ ਮਿਲੇ ਪਿਆਰੇ ॥੨॥ હે નાનક! જે મનુષ્યના હૃદયમાં પરમાત્માનું નામ આવી વસે છે, તે ગુરુની મતિનો આશરો લઈને પ્રેમાળ પ્રભુને મળી જાય છે ॥૨॥
ਰਾਮ ਨਾਮ ਬਿਨੁ ਕੋ ਥਿਰੁ ਨਾਹੀ ਜੀਉ ਬਾਜੀ ਹੈ ਸੰਸਾਰਾ ॥ હે ભાઈ! આ જગત પરમાત્માનું રચેલ એક રમત છે આમ પરમાત્માના નામ વગર બીજું કોઈ હંમેશા કાયમ રહેનાર નથી.
ਦ੍ਰਿੜੁ ਭਗਤਿ ਸਚੀ ਜੀਉ ਰਾਮ ਨਾਮੁ ਵਾਪਾਰਾ ॥ હે ભાઈ! પરમાત્માનું નામ- વણજ જ હંમેશા કાયમ રહેનાર છે. અગમ્ય પહોંચથી ઉપર અને અનંત પરમાત્માનું નામ-વણજ જ હંમેશા કાયમ રહેનાર ધન છે, આ ધન ગુરુની મતિ પર ચાલવાથી મળે છે.
ਰਾਮ ਨਾਮੁ ਵਾਪਾਰਾ ਅਗਮ ਅਪਾਰਾ ਗੁਰਮਤੀ ਧਨੁ ਪਾਈਐ ॥ અનંત પરમાત્માનું નામ-વણજ જ હંમેશા કાયમ રહેનાર ધન છે, આ ધન ગુરુની મતિ પર ચાલવાથી મળે છે.
ਸੇਵਾ ਸੁਰਤਿ ਭਗਤਿ ਇਹ ਸਾਚੀ ਵਿਚਹੁ ਆਪੁ ਗਵਾਈਐ ॥ પ્રભુની સેવા-ભક્તિ, પ્રભુ ચરણોમાં ધ્યાન જોડવું – આ હંમેશા કાયમ રહેનારી રાશિ છે આની કૃપાથી પોતાની અંદરથી સ્વયં ભાવ દૂર કરી શકાય છે.
ਹਮ ਮਤਿ ਹੀਣ ਮੂਰਖ ਮੁਗਧ ਅੰਧੇ ਸਤਿਗੁਰਿ ਮਾਰਗਿ ਪਾਏ ॥ અમને અલ્પ-બુદ્ધિવાળાઓને, મુર્ખોને, માયાના મોહમાં અંધ થયેલાઓને સદગુરુએ જ જીવનના સાચા રસ્તા પર નાખ્યા છે.
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਸਬਦਿ ਸੁਹਾਵੇ ਅਨਦਿਨੁ ਹਰਿ ਗੁਣ ਗਾਏ ॥੩॥ હે નાનક! ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય ગુરુના શબ્દમાં જોડાઈને સુંદર આધ્યાત્મિક જીવનવાળા બની જાય છે, અને, તે દરેક સમયેપરમાત્માના ગુણ ગાતા રહે છે ॥૩॥
ਆਪਿ ਕਰਾਏ ਕਰੇ ਆਪਿ ਜੀਉ ਆਪੇ ਸਬਦਿ ਸਵਾਰੇ ॥ પરંતુ, હે ભાઈ! જીવોના વશમાં કાંઈ નથી. માયા-સરમાં ડૂબવાથી બચાવનાર પ્રભુ પોતે જ છે,
ਆਪੇ ਸਤਿਗੁਰੁ ਆਪਿ ਸਬਦੁ ਜੀਉ ਜੁਗੁ ਜੁਗੁ ਭਗਤ ਪਿਆਰੇ ॥ પ્રભુ પોતે જ પ્રેરણા કરીને જીવોથી કામ કરાવે છે, જીવોમાં વ્યાપક થઈને પોતે જ બધું કરે છે, પ્રભુ પોતે જ ગુરુના શબ્દમાં જોડીને જીવોના જીવન સુંદર બનાવે છે.
ਜੁਗੁ ਜੁਗੁ ਭਗਤ ਪਿਆਰੇ ਹਰਿ ਆਪਿ ਸਵਾਰੇ ਆਪੇ ਭਗਤੀ ਲਾਏ ॥ પ્રભુ પોતે જ સદગુરુ મળાવે છે, પોતે જ ગુરુના શબ્દ બક્ષે છે, અને પોતે જ દરેક યુગમાં પોતાના ભક્તોને પ્રેમ કરે છે.
ਆਪੇ ਦਾਨਾ ਆਪੇ ਬੀਨਾ ਆਪੇ ਸੇਵ ਕਰਾਏ ॥ દરેક યુગમાં હરિ પોતાના ભક્તોની પ્રેમ કરે છે, પોતે જ તેના જીવનને સંવારે છે, પોતે જ તેને ભક્તિમાં જોડે છે. તે પોતે જ બધાના દિલની જાણનાર અને ઓળખનાર છે.
ਆਪੇ ਗੁਣਦਾਤਾ ਅਵਗੁਣ ਕਾਟੇ ਹਿਰਦੈ ਨਾਮੁ ਵਸਾਏ ॥ હે ભાઈ! પરમાત્મા પોતે જ પોતાના ગુણોનું દાન બક્ષે છે અમારા અવગુણ દૂર કરે છે અને અમારા હૃદયમાં પોતાનું નામ વસાવે છે.
ਨਾਨਕ ਸਦ ਬਲਿਹਾਰੀ ਸਚੇ ਵਿਟਹੁ ਆਪੇ ਕਰੇ ਕਰਾਏ ॥੪॥੪॥ નાનક કહે છે, હું તે હંમેશા કાયમ રહેનાર પરમાત્માથી સદકે જાવ છું તે પોતે જ બધું કરે છે અને પોતે જ બધું કરાવે છે ॥૪॥૪॥
ਗਉੜੀ ਮਹਲਾ ੩ ॥ ગૌરી રાગ મહેલ ૩॥
ਗੁਰ ਕੀ ਸੇਵਾ ਕਰਿ ਪਿਰਾ ਜੀਉ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਏ ॥ હે પ્રેમાળ જીંદ! ગુરુની સેવા કર, ગુરુના શરણે પડ અને પરમાત્માનું નામ સ્મરણ કર. આ રીતે તો પોતાનામાંથી દૂર નહિ જાય, માયાના મોહની ભટકણથી બચી જઈશ.
ਮੰਞਹੁ ਦੂਰਿ ਨ ਜਾਹਿ ਪਿਰਾ ਜੀਉ ਘਰਿ ਬੈਠਿਆ ਹਰਿ ਪਾਏ ॥ હે જીંદ! હૃદય ઘરમાં ટકી રહેવાથી પરમાત્મા મળી જાય છે. જે જીવ આધ્યાત્મિક સ્થિરતામાં ટકીને, હંમેશા સ્થિર પ્રભુના પ્રેમમાં જોડાઈને હંમેશા પ્રભુ ચરણમાં ચિત્ત જોડે છે, તે હૃદય ઘરમાં ટકી રહીને પરમાત્માને શોધી લે છે.
ਘਰਿ ਬੈਠਿਆ ਹਰਿ ਪਾਏ ਸਦਾ ਚਿਤੁ ਲਾਏ ਸਹਜੇ ਸਤਿ ਸੁਭਾਏ ॥ તેથી, હે જીંદ! ગુરુની બતાવેલી સેવા ખુબ સુખ દેનારી છે પરંતુ આ સેવા તે જ મનુષ્ય કરે છે જેનાથી પરમાત્મા પોતે કરાવે જેને પોતે પ્રેરણા કરે.
ਗੁਰ ਕੀ ਸੇਵਾ ਖਰੀ ਸੁਖਾਲੀ ਜਿਸ ਨੋ ਆਪਿ ਕਰਾਏ ॥ તે મનુષ્ય ફરી પોતાના હૃદય ખેતરમાં પરમાત્માનું નામ જ વાવે છે ત્યાં નામ જ ઉગે છે,
ਨਾਮੋ ਬੀਜੇ ਨਾਮੋ ਜੰਮੈ ਨਾਮੋ ਮੰਨਿ ਵਸਾਏ ॥ તે મનુષ્ય પોતાના મનમાં હંમેશા નામ જ વસાવી રાખે છે.
ਨਾਨਕ ਸਚਿ ਨਾਮਿ ਵਡਿਆਈ ਪੂਰਬਿ ਲਿਖਿਆ ਪਾਏ ॥੧॥ હે નાનક! હંમેશા સ્થિર પ્રભુમાં જોડાઈને, પ્રભુ નામમાં ટકીને મનુષ્ય લોક-પરલોકમાં આદર મેળવે છે, નામ જપવાની કૃપાથી પહેલા જન્મમાં કરેલા કર્મોના સંસ્કારોના લેખ મનુષ્યની અંદર અંકુરિત થઇ જાય છે ॥૧॥
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਮੀਠਾ ਪਿਰਾ ਜੀਉ ਜਾ ਚਾਖਹਿ ਚਿਤੁ ਲਾਏ ॥ હે પ્રેમાળ જીંદ! પરમાત્માનું નામ મીઠું છે પરંતુ આ તને ત્યારે જ સમજ આવશે જ્યારે તું ચિત્ત જોડીને આ નામ-રસ ચાખીશ.
ਰਸਨਾ ਹਰਿ ਰਸੁ ਚਾਖੁ ਮੁਯੇ ਜੀਉ ਅਨ ਰਸ ਸਾਦ ਗਵਾਏ ॥ હે નિષ્કર્મણ્ય જીભ! પરમાત્માના નામનો સ્વાદ ચાખી અને અન્ય રસોનો સ્વાદ ત્યાગી દે.
ਸਦਾ ਹਰਿ ਰਸੁ ਪਾਏ ਜਾ ਹਰਿ ਭਾਏ ਰਸਨਾ ਸਬਦਿ ਸੁਹਾਏ ॥ પરંતુ જીભનું પણ શું વશ? જ્યારે પરમાત્માને યોગ્ય લાગે, ત્યારે જ જીભ હંમેશા પરમાત્માના નામનો સ્વાદ લે છે, અને ગુરુના શબ્દમાં જોડાઈને સુંદર થઈ જાય છે.
ਨਾਮੁ ਧਿਆਏ ਸਦਾ ਸੁਖੁ ਪਾਏ ਨਾਮਿ ਰਹੈ ਲਿਵ ਲਾਏ ॥ હે જીંદ! જે મનુષ્ય નામ સ્મરણ કરે છે નામમાં ધ્યાન જોડી રાખે છે, તે હંમેશા આધ્યાત્મિક આનંદ મેળવે છે,
ਨਾਮੇ ਉਪਜੈ ਨਾਮੇ ਬਿਨਸੈ ਨਾਮੇ ਸਚਿ ਸਮਾਏ ॥ નામની કૃપાથી તેની અંદર નામ-રસની તમન્ના ઉત્પન્ન થઇ જાય છે, નામની કૃપાથી તેની અંદરથી બીજા રસોની પકડ દૂર થઇ જાય છે, નામ જપવાની કૃપાથી તે હંમેશા સ્થિર પ્રભુમાં લીન રહે છે.
ਨਾਨਕ ਨਾਮੁ ਗੁਰਮਤੀ ਪਾਈਐ ਆਪੇ ਲਏ ਲਵਾਏ ॥੨॥ હે નાનક! પરમાત્માનું નામ ગુરુની મતિ પર ચાલવાથી જ મળે છે, પરમાત્મા પોતે જ પોતાના નામની લગન ઉત્પન્ન કરે છે ॥૨॥
ਏਹ ਵਿਡਾਣੀ ਚਾਕਰੀ ਪਿਰਾ ਜੀਉ ਧਨ ਛੋਡਿ ਪਰਦੇਸਿ ਸਿਧਾਏ ॥ હે પ્રેમાળ જીંદ! જેમ આ બેગાની નોકરી ખુબ દુઃખદાયી હોય છે કે મનુષ્ય પોતાની સ્ત્રીને ઘર છોડીને પરદેશ ચાલ્યો જાય છે, તેમ જ પરમાત્માને ભૂલાવીને બીજી ખુશામદો ખુબ દુઃખદાયી છે કારણ કે જીવ-સ્ત્રી પોતાનું આંતરિક આધ્યાત્મિક ઠેકાણું છોડીને જગ્યા-જગ્યાએ બહાર ભટકતી ફરે છે.
ਦੂਜੈ ਕਿਨੈ ਸੁਖੁ ਨ ਪਾਇਓ ਪਿਰਾ ਜੀਉ ਬਿਖਿਆ ਲੋਭਿ ਲੁਭਾਏ ॥ હે પ્રેમાળ જીવ! માયાના મોહમાં ફસાઈને કોઈએ ક્યારેય સુખ નથી મેળવ્યું. મનુષ્ય માયાના લોભમાં ફસાઈ જાય છે.
ਬਿਖਿਆ ਲੋਭਿ ਲੁਭਾਏ ਭਰਮਿ ਭੁਲਾਏ ਓਹੁ ਕਿਉ ਕਰਿ ਸੁਖੁ ਪਾਏ ॥ જયારે મનુષ્ય માયાના લોભમાં ફસાઈ છે ત્યારે માયા માટે ભટકણમાં પડીને ખોટા માર્ગ પર પડી જાય છે, તે સ્થિતિમાં આ સુખ કેવી રીતે મેળવી શકે છે?
ਚਾਕਰੀ ਵਿਡਾਣੀ ਖਰੀ ਦੁਖਾਲੀ ਆਪੁ ਵੇਚਿ ਧਰਮੁ ਗਵਾਏ ॥ હે જીવ! માયા માટે આ ઓટલા-ઓટલાની ખુશામદ ખુબ દુઃખદાયી છે, મનુષ્ય પોતાનું આધ્યાત્મિક જીવન માયાને બદલે વેચીને પોતાનું કર્તવ્ય છોડી બેસે છે.


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top