Page 1343
                    ਧਾਵਤੁ ਰਾਖੈ ਠਾਕਿ ਰਹਾਏ
                   
                    
                                            
                        એનાથી ચંચળ મન કાબુ થઇ જાય છે અને 
                                            
                    
                    
                
                                   
                    ਸਚਾ ਨਾਮੁ ਮੰਨਿ ਵਸਾਏ ॥੪॥
                   
                    
                                            
                        સાચું નામ મનમાં સ્થિત થઇ જાય છે || ૪ ||
                                            
                    
                    
                
                                   
                    ਬਿਸਮ ਬਿਨੋਦ ਰਹੇ ਪਰਮਾਦੀ ॥
                   
                    
                                            
                        આનંદ ઉત્પન્ન કરવાવાળી રમતો અને ભવ્યતા ખતમ થઇ જાય છે.
                                            
                    
                    
                
                                   
                    ਗੁਰਮਤਿ ਮਾਨਿਆ ਏਕ ਲਿਵ ਲਾਗੀ ॥
                   
                    
                                            
                        ગુરુના ઉપદેશ પર આધાર રાખીને, વ્યક્તિ ઈશ્વરમાં ધ્યાન રાખે છે.
                                            
                    
                    
                
                                   
                    ਦੇਖਿ ਨਿਵਾਰਿਆ ਜਲ ਮਹਿ ਆਗੀ ॥
                   
                    
                                            
                        દર્શન કરીને જીવ ઇચ્છારૂપી અગ્નિને નામ રૂપી જળથી દૂર કરે છે.
                                            
                    
                    
                
                                   
                    ਸੋ ਬੂਝੈ ਹੋਵੈ ਵਡਭਾਗੀ ॥੫॥
                   
                    
                                            
                        આ રહસ્ય ને સમાજવાવાળાને ભાગ્યશાળી માનવામાં આવે છે || ૫ ||
                                            
                    
                    
                
                                   
                    ਸਤਿਗੁਰੁ ਸੇਵੇ ਭਰਮੁ ਚੁਕਾਏ ॥
                   
                    
                                            
                        જો આત્મા સદ્દગુરુની સેવા કરે તો તેના તમામ ભ્રમ દૂર થાય છે.
                                            
                    
                    
                
                                   
                    ਅਨਦਿਨੁ ਜਾਗੈ ਸਚਿ ਲਿਵ ਲਾਏ ॥
                   
                    
                                            
                        તે રાત-દિવસ જાગૃત રહીને તે ઈશ્વરમાં લીન રહે છે.
                                            
                    
                    
                
                                   
                    ਏਕੋ ਜਾਣੈ ਅਵਰੁ ਨ ਕੋਇ ॥ ਸੁਖਦਾਤਾ ਸੇਵੇ ਨਿਰਮਲੁ ਹੋਇ ॥੬॥
                   
                    
                                            
                        એક પરમશક્તિ સિવાય તે કોઈને માનતો નથી અને સુખદાતા પ્રભુની ઉપાસનાથી તે નિર્મલ થઇ જાય છે || ૬ ||
                                            
                    
                    
                
                                   
                    ਸੇਵਾ ਸੁਰਤਿ ਸਬਦਿ ਵੀਚਾਰਿ ॥
                   
                    
                                            
                        જ્યારે શબ્દના ચિંતન દ્વારા સેવામાં ધ્યાન લાગે છે ત્યારે
                                            
                    
                    
                
                                   
                    ਜਪੁ ਤਪੁ ਸੰਜਮੁ ਹਉਮੈ ਮਾਰਿ ॥
                   
                    
                                            
                        અહંકાર મટી જાય છે, આ જ જપ તપ સંયમ છે.
                                            
                    
                    
                
                                   
                    ਜੀਵਨ ਮੁਕਤੁ ਜਾ ਸਬਦੁ ਸੁਣਾਏ ॥
                   
                    
                                            
                        શબ્દને સાંભળવાવાળો જીવ મુક્ત થઇ જાય છે અને 
                                            
                    
                    
                
                                   
                    ਸਚੀ ਰਹਤ ਸਚਾ ਸੁਖੁ ਪਾਏ ॥੭॥
                   
                    
                                            
                        સત્કર્મ દ્વારા સાચું સુખ મળે છે || ૭ ||
                                            
                    
                    
                
                                   
                    ਸੁਖਦਾਤਾ ਦੁਖੁ ਮੇਟਣਹਾਰਾ ॥
                   
                    
                                            
                        ઈશ્વર સુખ દેવાવાળો છે, બધા દુઃખોને મટાડવા વાળો છે 
                                            
                    
                    
                
                                   
                    ਅਵਰੁ ਨ ਸੂਝਸਿ ਬੀਜੀ ਕਾਰਾ ॥
                   
                    
                                            
                        તેમની ભક્તિ સિવાય બીજા બધા કામ નકામા છે.
                                            
                    
                    
                
                                   
                    ਤਨੁ ਮਨੁ ਧਨੁ ਹਰਿ ਆਗੈ ਰਾਖਿਆ ॥
                   
                    
                                            
                        નાનક કહે છે કે જે વ્યક્તિ પોતાનું આખું શરીર, મન અને સંપત્તિ પ્રભુને સમર્પિત કરે છે,
                                            
                    
                    
                
                                   
                    ਨਾਨਕੁ ਕਹੈ ਮਹਾ ਰਸੁ ਚਾਖਿਆ ॥੮॥੨॥
                   
                    
                                            
                        તેને જ મહારસ મળે છે. || ૮ || ૨ ||
                                            
                    
                    
                
                                   
                    ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੧ ॥
                   
                    
                                            
                        પ્રભાતી મહેલ ૧ 
                                            
                    
                    
                
                                   
                    ਨਿਵਲੀ ਕਰਮ ਭੁਅੰਗਮ ਭਾਠੀ ਰੇਚਕ ਪੂਰਕ ਕੁੰਭ ਕਰੈ ॥
                   
                    
                                            
                        માણસ ન્યોલી કર્મ કરે છે, કુંડલિનીની મદદથી શ્વાસ ભરવાની, રોકી રાખવાની અને બહાર કાઢવાની ક્રિયા કરે છે.
                                            
                    
                    
                
                                   
                    ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਕਿਛੁ ਸੋਝੀ ਨਾਹੀ ਭਰਮੇ ਭੂਲਾ ਬੂਡਿ ਮਰੈ ॥
                   
                    
                                            
                        પણ સાચા ગુરુ વિના જ્ઞાન મળતું નથી અને ભ્રમમાં ભૂલો કરીને મૃત્યુ પામે છે.
                                            
                    
                    
                
                                   
                    ਅੰਧਾ ਭਰਿਆ ਭਰਿ ਭਰਿ ਧੋਵੈ ਅੰਤਰ ਕੀ ਮਲੁ ਕਦੇ ਨ ਲਹੈ ॥
                   
                    
                                            
                        અંધ વ્યક્તિ શરીરને સારી રીતે સાફ કરે છે, પરંતુ તેના મનની મલિનતા ક્યારેય દૂર થતી નથી.
                                            
                    
                    
                
                                   
                    ਨਾਮ ਬਿਨਾ ਫੋਕਟ ਸਭਿ ਕਰਮਾ ਜਿਉ ਬਾਜੀਗਰੁ ਭਰਮਿ ਭੁਲੈ ॥੧॥
                   
                    
                                            
                        પ્રભુના નામ વિના તમામ ક્રિયાઓ નિરર્થક છે, જેવી રીતે એક જાદુગર લોકોને મૂંઝવણમાં રાખે છે. || ૧ ||
                                            
                    
                    
                
                                   
                    ਖਟੁ ਕਰਮ ਨਾਮੁ ਨਿਰੰਜਨੁ ਸੋਈ ॥
                   
                    
                                            
                        પરમાત્માનું પવિત્ર નામ જ છ ક્રિયા છે.
                                            
                    
                    
                
                                   
                    ਤੂ ਗੁਣ ਸਾਗਰੁ ਅਵਗੁਣ ਮੋਹੀ ॥੧॥ ਰਹਾਉ ॥
                   
                    
                                            
                        હે પ્રભુ! તું ગુનો નો સાગર છે, પરંતુ મારામાં ફક્ત અવગુણ જ ભરેલા છે ||૧||વિરામ||
                                            
                    
                    
                
                                   
                    ਮਾਇਆ ਧੰਧਾ ਧਾਵਣੀ ਦੁਰਮਤਿ ਕਾਰ ਬਿਕਾਰ ॥
                   
                    
                                            
                        મનુષ્ય માયાના ધંધામાં ભાગદોડ કરે છે, ખોટી બુદ્ધિને કારણે વિકારયુક્ત કાર્ય કરે છે.
                                            
                    
                    
                
                                   
                    ਮੂਰਖੁ ਆਪੁ ਗਣਾਇਦਾ ਬੂਝਿ ਨ ਸਕੈ ਕਾਰ ॥
                   
                    
                                            
                        મૂર્ખ વ્યક્તિ અભિમાન કરીને સ્વયં જ મહાન માને છે, પરંતુ સાચા કાર્ય ને કોઈ સમજતું નથી.
                                            
                    
                    
                
                                   
                    ਮਨਸਾ ਮਾਇਆ ਮੋਹਣੀ ਮਨਮੁਖ ਬੋਲ ਖੁਆਰ ॥
                   
                    
                                            
                        માયામાં મોહિત થઈને તે વાસનામાં ફસાઈ જાય છે, એવો સ્વેચ્છાચારી કડવા વચન જ બોલે છે.
                                            
                    
                    
                
                                   
                    ਮਜਨੁ ਝੂਠਾ ਚੰਡਾਲ ਕਾ ਫੋਕਟ ਚਾਰ ਸੀਂਗਾਰ ॥੨॥
                   
                    
                                            
                        એ ચાંડાલનું સ્નાન પણ મિથ્યા છે અને ચાર પ્રકારના કામોનો શૃંગાર પણ વ્યર્થ છે. ||૨||
                                            
                    
                    
                
                                   
                    ਝੂਠੀ ਮਨ ਕੀ ਮਤਿ ਹੈ ਕਰਣੀ ਬਾਦਿ ਬਿਬਾਦੁ ॥
                   
                    
                                            
                        તેનું મન મિથ્યા છે અને જીવન-આચાર વાદ-વિવાદ એ જ રહે છે.
                                            
                    
                    
                
                                   
                    ਝੂਠੇ ਵਿਚਿ ਅਹੰਕਰਣੁ ਹੈ ਖਸਮ ਨ ਪਾਵੈ ਸਾਦੁ ॥
                   
                    
                                            
                        આવા અહંકારી અસત્યમાં ફસાયેલા રહે છે અને સદ્દગુરુને માણતા નથી.
                                            
                    
                    
                
                                   
                    ਬਿਨੁ ਨਾਵੈ ਹੋਰੁ ਕਮਾਵਣਾ ਫਿਕਾ ਆਵੈ ਸਾਦੁ ॥
                   
                    
                                            
                        હરિનામનું સ્મરણ કર્યા વિના અન્ય ક્રિયાઓ કરવાથી આનંદ પ્રાપ્ત થતો નથી.
                                            
                    
                    
                
                                   
                    ਦੁਸਟੀ ਸਭਾ ਵਿਗੁਚੀਐ ਬਿਖੁ ਵਾਤੀ ਜੀਵਣ ਬਾਦਿ ॥੩॥
                   
                    
                                            
                        દુષ્ટોની સંગતમાં રહેવાથી દુ:ખ જ આવે છે અને ઝેર મળવાથી જીવનનો અંત આવે છે. || ૩ ||
                                            
                    
                    
                
                                   
                    ਏ ਭ੍ਰਮਿ ਭੂਲੇ ਮਰਹੁ ਨ ਕੋਈ ॥
                   
                    
                                            
                        હે મૂંઝવણમાં ભુલાઈ ગયેલા લોકો! કોઈ ભૂલમાં પડશો નહીં
                                            
                    
                    
                
                                   
                    ਸਤਿਗੁਰੁ ਸੇਵਿ ਸਦਾ ਸੁਖੁ ਹੋਈ ॥
                   
                    
                                            
                        સદ્દગુરુની સેવામાં તલ્લીન રહેવાથી હંમેશા સુખ મળી શકે છે.
                                            
                    
                    
                
                                   
                    ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਮੁਕਤਿ ਕਿਨੈ ਨ ਪਾਈ ॥
                   
                    
                                            
                        સદ્દગુરુ વિના કોઈને મુક્તિ મળી નથી.
                                            
                    
                    
                
                                   
                    ਆਵਹਿ ਜਾਂਹਿ ਮਰਹਿ ਮਰਿ ਜਾਈ ॥੪॥
                   
                    
                                            
                        નહીંતર આવાગમનમાં જીવ વારંવાર જન્મે છે અને મૃત્યુ પામે છે || ૪ ||
                                            
                    
                    
                
                                   
                    ਏਹੁ ਸਰੀਰੁ ਹੈ ਤ੍ਰੈ ਗੁਣ ਧਾਤੁ ॥
                   
                    
                                            
                        આ શરીર ત્રણ ગુણોનું બનેલું છે અને 
                                            
                    
                    
                
                                   
                    ਇਸ ਨੋ ਵਿਆਪੈ ਸੋਗ ਸੰਤਾਪੁ ॥
                   
                    
                                            
                        એને શોક - સંતાપ સતાવે છે.
                                            
                    
                    
                
                                   
                    ਸੋ ਸੇਵਹੁ ਜਿਸੁ ਮਾਈ ਨ ਬਾਪੁ ॥
                   
                    
                                            
                        તો એ પરમાત્માની ઉપાસના કરો, જેના કોઈ માતા અથવા પિતા નથી.
                                            
                    
                    
                
                                   
                    ਵਿਚਹੁ ਚੂਕੈ ਤਿਸਨਾ ਅਰੁ ਆਪੁ ॥੫॥
                   
                    
                                            
                        મનમાંથી તરસ તેમજ અહં ને દૂર કરો || ૫ ||
                                            
                    
                    
                
                                   
                    ਜਹ ਜਹ ਦੇਖਾ ਤਹ ਤਹ ਸੋਈ ॥
                   
                    
                                            
                        હું જ્યાં પણ જોઉં છું, ત્યાં પરમેશ્વર જ વિદ્યમાન છે.
                                            
                    
                    
                
                                   
                    ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਭੇਟੇ ਮੁਕਤਿ ਨ ਹੋਈ ॥
                   
                    
                                            
                        પરંતુ સદ્દગુરુના મિલાપ વિના મુક્તિ નથી મળતી.
                                            
                    
                    
                
                                   
                    ਹਿਰਦੈ ਸਚੁ ਏਹ ਕਰਣੀ ਸਾਰੁ ॥
                   
                    
                                            
                        હૃદયમાં સત્યને રાખીને ઉત્તમ કર્મ છે,
                                            
                    
                    
                
                                   
                    ਹੋਰੁ ਸਭੁ ਪਾਖੰਡੁ ਪੂਜ ਖੁਆਰੁ ॥੬॥
                   
                    
                                            
                        અન્ય પૂજા - પાઠ બધા પાખંડ છે || ૬ ||
                                            
                    
                    
                
                                   
                    ਦੁਬਿਧਾ ਚੂਕੈ ਤਾਂ ਸਬਦੁ ਪਛਾਣੁ ॥
                   
                    
                                            
                        જ્યારે અગવડ દૂર થાય છે તો શબ્દ જ ઓળખ થઇ જાય છે.
                                            
                    
                    
                
                                   
                    ਘਰਿ ਬਾਹਰਿ ਏਕੋ ਕਰਿ ਜਾਣੁ ॥
                   
                    
                                            
                        ત્યારે જીવ ઘરની બહાર એક જ પ્રભુને માને છે.
                                            
                    
                    
                
                                   
                    ਏਹਾ ਮਤਿ ਸਬਦੁ ਹੈ ਸਾਰੁ ॥
                   
                    
                                            
                        શબ્દને માનવામાં જ ઉત્તમ બુદ્ધિ છે,
                                            
                    
                    
                
                                   
                    ਵਿਚਿ ਦੁਬਿਧਾ ਮਾਥੈ ਪਵੈ ਛਾਰੁ ॥੭॥
                   
                    
                                            
                        અગવડમાં અપમાન જ પ્રાપ્ત થાય છે || ૭ ||
                                            
                    
                    
                
                                   
                    ਕਰਣੀ ਕੀਰਤਿ ਗੁਰਮਤਿ ਸਾਰੁ ॥
                   
                    
                                            
                        ગુરુનો ઉત્તમ સિધ્ધાંત એ જ છે કે સારા કર્મ જ પરમાત્મા ના કીર્તિ ગાન કરવા છે.
                                            
                    
                    
                
                                   
                    ਸੰਤ ਸਭਾ ਗੁਣ ਗਿਆਨੁ ਬੀਚਾਰੁ ॥
                   
                    
                                            
                        સંત પુરુષોની સંગતમાં પ્રભુના ગુણો તેમજ જ્ઞાનનું ચિંતન હોય છે.
                                            
                    
                    
                
                                   
                    ਮਨੁ ਮਾਰੇ ਜੀਵਤ ਮਰਿ ਜਾਣੁ ॥
                   
                    
                                            
                        જે મનની વાસનાઓ ને સમાપ્ત કરી દે છે. એને જીવન મુક્તિ માની મળી જાય છે.
                                            
                    
                    
                
                                   
                    ਨਾਨਕ ਨਦਰੀ ਨਦਰਿ ਪਛਾਣੁ ॥੮॥੩॥
                   
                    
                                            
                        હે નાનક! પરમાત્માની કૃપા દ્રષ્ટિથી જ એની ઓળખ હોય છે ||૮||૬||
                                            
                    
                    
                
                    
             
				