Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-638

Page 638

ਹਉਮੈ ਮਾਰਿ ਮਨਸਾ ਮਨਹਿ ਸਮਾਣੀ ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਪਛਾਤਾ ॥੪॥ પોતાના આત્મ અભિમાનને નાશ કરીને તેમજ તૃષ્ણાને મનમાં જ મટાડીને મેં ગુરુના શબ્દ દ્વારા પરમ-સત્યને ઓળખી લીધું છે ॥૪॥
ਅਚਿੰਤ ਕੰਮ ਕਰਹਿ ਪ੍ਰਭ ਤਿਨ ਕੇ ਜਿਨ ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਪਿਆਰਾ ॥ જે લોકોને હરિનું નામ પ્રેમાળ લાગે છે, પ્રભુ તેના બધા કાર્ય સરળતાથી પૂર્ણ કરી દે છે.
ਗੁਰ ਪਰਸਾਦਿ ਸਦਾ ਮਨਿ ਵਸਿਆ ਸਭਿ ਕਾਜ ਸਵਾਰਣਹਾਰਾ ॥ બધા કાર્ય સંવારનાર પરમાત્મા ગુરુની અપાર કૃપાથી હંમેશા જ મનમાં વસી રહે છે.
ਓਨਾ ਕੀ ਰੀਸ ਕਰੇ ਸੁ ਵਿਗੁਚੈ ਜਿਨ ਹਰਿ ਪ੍ਰਭੁ ਹੈ ਰਖਵਾਰਾ ॥੫॥ જેનો મારો હરિ-પ્રભુ રખેવાળ છે, જે તેની સાથે હરીફાઈ કરે છે, તે નાશ થઈ જાય છે ॥૫॥
ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਸੇਵੇ ਕਿਨੈ ਨ ਪਾਇਆ ਮਨਮੁਖਿ ਭਉਕਿ ਮੁਏ ਬਿਲਲਾਈ ॥ સદ્દગુરૂની સેવા કર્યા વગર ક્યારેય કોઈને પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. મનમુખ મનુષ્ય તો રોતા તેમજ રાડો પાડતા જ પ્રાણ ત્યાગી ગયો છે અને
ਆਵਹਿ ਜਾਵਹਿ ਠਉਰ ਨ ਪਾਵਹਿ ਦੁਖ ਮਹਿ ਦੁਖਿ ਸਮਾਈ ॥ યોની-ચક્રમાં ફસાઈને જન્મતો-મરતો જ રહે છે અને કોઈ સુખનું સ્થાન મેળવતો નથી. તે તો દુઃખમાં દુઃખી રહીને મટી જાય છે.
ਗੁਰਮੁਖਿ ਹੋਵੈ ਸੁ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਵੈ ਸਹਜੇ ਸਾਚਿ ਸਮਾਈ ॥੬॥ જો કોઈ ગુરુમુખ બની જાય છે તો તે નામ અમૃતને પીને સરળ જ સત્યમાં સમાઈ જાય છે ॥૬॥
ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਸੇਵੇ ਜਨਮੁ ਨ ਛੋਡੈ ਜੇ ਅਨੇਕ ਕਰਮ ਕਰੈ ਅਧਿਕਾਈ ॥ સદ્દગુરૂની સેવા કર્યા વગર મનુષ્યને જન્મોનો બંધન છોડતો નથી, ભલે તે કેટલાય પ્રકારના અનેક કર્મકાંડ કરતો રહે.
ਵੇਦ ਪੜਹਿ ਤੈ ਵਾਦ ਵਖਾਣਹਿ ਬਿਨੁ ਹਰਿ ਪਤਿ ਗਵਾਈ ॥ જે વેદોનો અભ્યાસ કરે છે, તે પણ વાદ-વિવાદમાં જ રહે છે અને પરમાત્મા વગર પોતાનું માન-સન્માન ગુમાવી દે છે.
ਸਚਾ ਸਤਿਗੁਰੁ ਸਾਚੀ ਜਿਸੁ ਬਾਣੀ ਭਜਿ ਛੂਟਹਿ ਗੁਰ ਸਰਣਾਈ ॥੭॥ સદ્દગુરુ સત્ય છે, જેની વાણી પણ સત્ય છે. ગુરૂની શરણમાં આવવાથી જ મનુષ્યની મુક્તિ થઈ જાય છે ॥૭॥
ਜਿਨ ਹਰਿ ਮਨਿ ਵਸਿਆ ਸੇ ਦਰਿ ਸਾਚੇ ਦਰਿ ਸਾਚੈ ਸਚਿਆਰਾ ॥ જેના હૃદયમાં પ્રભુનો વાસ થઈ ગયો છે, તે તેના દરબારમાં સાચો છે અને સત્યના દરબારમાં તે સત્યશીલ જ કહેવાય છે.
ਓਨਾ ਦੀ ਸੋਭਾ ਜੁਗਿ ਜੁਗਿ ਹੋਈ ਕੋਇ ਨ ਮੇਟਣਹਾਰਾ ॥ તેની શોભા યુગો-યુગાંતરોમાં લોકપ્રિય થાય છે અને કોઈ પણ આને મટાડી શકતું નથી.
ਨਾਨਕ ਤਿਨ ਕੈ ਸਦ ਬਲਿਹਾਰੈ ਜਿਨ ਹਰਿ ਰਾਖਿਆ ਉਰਿ ਧਾਰਾ ॥੮॥੧॥ જેને પરમાત્માને પોતાના હૃદયમાં ધારણ કરેલ છે; નાનક હંમેશા જ તેના પર બલિહાર જાય છે ॥૮॥૧॥
ਸੋਰਠਿ ਮਹਲਾ ੩ ਦੁਤੁਕੀ ॥ સોરઠી મહેલ ૩ બેતુકે॥
ਨਿਗੁਣਿਆ ਨੋ ਆਪੇ ਬਖਸਿ ਲਏ ਭਾਈ ਸਤਿਗੁਰ ਕੀ ਸੇਵਾ ਲਾਇ ॥ હે ભાઈ! સદ્દગુરૂની સેવામાં લાગીને પ્રભુ પોતે જ ગુણવિહીન જીવોને ક્ષમા કરી દે છે.
ਸਤਿਗੁਰ ਕੀ ਸੇਵਾ ਊਤਮ ਹੈ ਭਾਈ ਰਾਮ ਨਾਮਿ ਚਿਤੁ ਲਾਇ ॥੧॥ સદ્દગુરૂની સેવા ખુબ ઉત્તમ છે, ત્યારથી આના ફળ સ્વરૂપ જ મન રામ-નામમાં જોડાય જાય છે ॥૧॥
ਹਰਿ ਜੀਉ ਆਪੇ ਬਖਸਿ ਮਿਲਾਇ ॥ પરમેશ્વર પોતે જ જીવને ક્ષમા કરીને પોતાની સાથે મળાવી લે છે.
ਗੁਣਹੀਣ ਹਮ ਅਪਰਾਧੀ ਭਾਈ ਪੂਰੈ ਸਤਿਗੁਰਿ ਲਏ ਰਲਾਇ ॥ ਰਹਾਉ ॥ હે ભાઈ! અમે ખુબ ગુણવિહીન તેમજ ગુનેગાર છીએ પરંતુ સંપૂર્ણ સદ્દગુરૂએ કૃપા કરીને અમને પોતાની સાથે મળાવી લીધા છે ॥વિરામ॥
ਕਉਣ ਕਉਣ ਅਪਰਾਧੀ ਬਖਸਿਅਨੁ ਪਿਆਰੇ ਸਾਚੈ ਸਬਦਿ ਵੀਚਾਰਿ ॥ હે પ્રેમાળ! શબ્દ ગુરુની ચિંતન કરવાથી પરમાત્માએ કેટલાય ગુનેગારોને ક્ષમા કરી દીધા છે.
ਭਉਜਲੁ ਪਾਰਿ ਉਤਾਰਿਅਨੁ ਭਾਈ ਸਤਿਗੁਰ ਬੇੜੈ ਚਾੜਿ ॥੨॥ પરમાત્માએ સદ્દગુરુ રૂપી જહાજ પર સવાર કરાવીને કેટલાય જીવોને સંસાર સમુદ્રથી પાર કરી દીધો છે ॥૨॥
ਮਨੂਰੈ ਤੇ ਕੰਚਨ ਭਏ ਭਾਈ ਗੁਰੁ ਪਾਰਸੁ ਮੇਲਿ ਮਿਲਾਇ ॥ હે ભાઈ! ગુરુ રૂપી પારસના મેળાપમાં મિલન થવાથી અમે સળગેલા લોખંડથી સુવર્ણ અર્થાત ગુણવાન બની ગયા છીએ.
ਆਪੁ ਛੋਡਿ ਨਾਉ ਮਨਿ ਵਸਿਆ ਭਾਈ ਜੋਤੀ ਜੋਤਿ ਮਿਲਾਇ ॥੩॥ આત્મ અભિમાનને ત્યાગી દેવાથી નામ અમારા હૃદયમાં વસી ગયું છે અને અમારો પ્રકાશ પરમ-પ્રકાશમાં વિલીન થઈ ગયો છે ॥૩॥
ਹਉ ਵਾਰੀ ਹਉ ਵਾਰਣੈ ਭਾਈ ਸਤਿਗੁਰ ਕਉ ਸਦ ਬਲਿਹਾਰੈ ਜਾਉ ॥ હે ભાઈ! હું ગુરુ પર હંમેશા બલિહાર જાવ છું.
ਨਾਮੁ ਨਿਧਾਨੁ ਜਿਨਿ ਦਿਤਾ ਭਾਈ ਗੁਰਮਤਿ ਸਹਜਿ ਸਮਾਉ ॥੪॥ જેને અમને નામનો ભંડાર આપ્યો છે, ગુરુ-ઉપદેશ દ્વારા અમે સરળ સ્થિતિમાં સમાઈ ગયા છીએ ॥૪॥
ਗੁਰ ਬਿਨੁ ਸਹਜੁ ਨ ਊਪਜੈ ਭਾਈ ਪੂਛਹੁ ਗਿਆਨੀਆ ਜਾਇ ॥ ગુરુ વગર સરળ સ્થિતિ ઉત્પન્ન થતી નથી; ભલે આ વિશે જ્ઞાનીઓથી જઈને પૂછી લે.
ਸਤਿਗੁਰ ਕੀ ਸੇਵਾ ਸਦਾ ਕਰਿ ਭਾਈ ਵਿਚਹੁ ਆਪੁ ਗਵਾਇ ॥੫॥ હે ભાઈ! પોતાના મનથી પોતાના આત્મ અભિમાનને દૂર કરીને હંમેશા જ સદ્દગુરૂની સેવા કર ॥૫॥
ਗੁਰਮਤੀ ਭਉ ਊਪਜੈ ਭਾਈ ਭਉ ਕਰਣੀ ਸਚੁ ਸਾਰੁ ॥ ગુરુની શિક્ષા દ્વારા પ્રભુનો ભય-પ્રેમ ઉત્પન્ન થયો છે અને પ્રભુના ભય-પ્રેમમાં કરવામાં આવેલ બધા કર્મ સત્ય તેમજ શ્રેષ્ઠ છે.
ਪ੍ਰੇਮ ਪਦਾਰਥੁ ਪਾਈਐ ਭਾਈ ਸਚੁ ਨਾਮੁ ਆਧਾਰੁ ॥੬॥ ત્યારે મનુષ્યને પ્રભુના પ્રેમનો પદાર્થ ધન પ્રાપ્ત થઈ જાય છે અને સત્ય નામ જ તેનો આધાર બની જાત્ય છે ॥૬॥
ਜੋ ਸਤਿਗੁਰੁ ਸੇਵਹਿ ਆਪਣਾ ਭਾਈ ਤਿਨ ਕੈ ਹਉ ਲਾਗਉ ਪਾਇ ॥ હે ભાઈ! જે પોતાના સદ્દગુરૂની નિષ્કામ સેવા કરે છે, અમે તેના ચરણ સ્પર્શ કરીએ છીએ.
ਜਨਮੁ ਸਵਾਰੀ ਆਪਣਾ ਭਾਈ ਕੁਲੁ ਭੀ ਲਈ ਬਖਸਾਇ ॥੭॥ અમે પોતાનું કીમતી મનુષ્ય-જન્મ સફળ કરી લીધું છે અને પોતાના વંશ માટે પણ ક્ષમા-દાન પ્રાપ્ત કરી લીધું છે ॥૭॥
ਸਚੁ ਬਾਣੀ ਸਚੁ ਸਬਦੁ ਹੈ ਭਾਈ ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਹੋਇ ॥ હે ભાઈ! વાણી સત્ય છે અને ગુરુના શબ્દ પણ સત્ય છે અને તેની ઉપલબ્ધતા ગુરુની કૃપાથી જ થાય છે.
ਨਾਨਕ ਨਾਮੁ ਹਰਿ ਮਨਿ ਵਸੈ ਭਾਈ ਤਿਸੁ ਬਿਘਨੁ ਨ ਲਾਗੈ ਕੋਇ ॥੮॥੨॥ હે ભાઈ! નાનકનું કહેવું છે કે જેના મનમાં હરિ-નામનો વાસ થઈ ગયો છે, તેને કોઈ પણ ખલેલ લાગતી નથી ॥૮॥૨॥
Scroll to Top
https://teknikinformatika-fasilkom.mercubuana.ac.id/libraries/gdemo/ https://teknikinformatika-fasilkom.mercubuana.ac.id/libraries/ https://emasn.kaltaraprov.go.id/emutasi/css/ http://eagenda.padangpariamankab.go.id/formulir/ akun slot demo situs slot gacor
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/ jp1131 as1131
https://opd.saburaijuakab.go.id/thai/
https://teknikinformatika-fasilkom.mercubuana.ac.id/libraries/gdemo/ https://teknikinformatika-fasilkom.mercubuana.ac.id/libraries/ https://emasn.kaltaraprov.go.id/emutasi/css/ http://eagenda.padangpariamankab.go.id/formulir/ akun slot demo situs slot gacor
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/ jp1131 as1131
https://opd.saburaijuakab.go.id/thai/