Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-222

Page 222

ਤਨਿ ਮਨਿ ਸੂਚੈ ਸਾਚੁ ਸੁ ਚੀਤਿ ॥ પવિત્ર શરીરથી પવિત્ર મનથી પ્રેમમાં જોડાઈને પરમાત્માની મહિમા કરે છે,
ਨਾਨਕ ਹਰਿ ਭਜੁ ਨੀਤਾ ਨੀਤਿ ॥੮॥੨॥ હે નાનક! તું પણ આ રીતે હંમેશા હંમેશા તે પરમાત્માનું ભજન કર ॥૮॥૨॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੧ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૧॥
ਨਾ ਮਨੁ ਮਰੈ ਨ ਕਾਰਜੁ ਹੋਇ ॥ જ્યાં સુધી મનમાંથી તૃષ્ણા મરતી નથી અને ત્યાં સુધી પરમાત્માની સાથે એક-રૂપ થવાનો જન્મ હેતુ પણ સંપૂર્ણ થતો નથી.
ਮਨੁ ਵਸਿ ਦੂਤਾ ਦੁਰਮਤਿ ਦੋਇ ॥ ત્યાં સુધી મનુષ્યનું મન કામાદિક વિકારોથી વશમાં છે, તુચ્છ મતીને આધીન છે, દ્વૈતના કાબુમાં છે,
ਮਨੁ ਮਾਨੈ ਗੁਰ ਤੇ ਇਕੁ ਹੋਇ ॥੧॥ જયારે ગુરુથી શિક્ષા લઈને મનુષ્યનું મન મહિમામાં રમી જાય છે, ત્યારે આ પરમાત્માની સાથે એક-રૂપ થઇ જાય છે ॥૧॥
ਨਿਰਗੁਣ ਰਾਮੁ ਗੁਣਹ ਵਸਿ ਹੋਇ ॥ પરમાત્મા માયાના ત્રણેય ગુણોથી ઉપર છે અને ઊંચા આધ્યાત્મિક ગુણોના વશમાં છે.
ਆਪੁ ਨਿਵਾਰਿ ਬੀਚਾਰੇ ਸੋਇ ॥੧॥ ਰਹਾਉ ॥ જે મનુષ્ય સ્વયં ભાવ દૂર કરી લે છે તે શુભ ગુણોને પોતાના મનમાં વસાવે છે ॥૧॥વિરામ॥
ਮਨੁ ਭੂਲੋ ਬਹੁ ਚਿਤੈ ਵਿਕਾਰੁ ॥ માયાને આધીન થઈને જ્યાં સુધી મન ખોટા માર્ગ પર રહે છે, ત્યાં સુધી આ વિકાર જ વિકાર હેરાન કરતો રહે છે.
ਮਨੁ ਭੂਲੋ ਸਿਰਿ ਆਵੈ ਭਾਰੁ ॥ અને મનુષ્યના માથા પર વિકારોનો ભાર એકત્રિત થઇ જાય છે.
ਮਨੁ ਮਾਨੈ ਹਰਿ ਏਕੰਕਾਰੁ ॥੨॥ પરંતુ જ્યારે ગુરૂથી શિક્ષા લઈને મન પ્રભુની મહિમામાં ઉતરતો રહે છે, ત્યારે આ પરમાત્માની સાથે એક-સુર થઇ જાય છે ॥૨॥
ਮਨੁ ਭੂਲੋ ਮਾਇਆ ਘਰਿ ਜਾਇ ॥ માયાના પ્રભાવમાં આવીને ખોટા માર્ગે પડનાર મન માયાના ઘરે વારંવાર જાય છે,
ਕਾਮਿ ਬਿਰੂਧਉ ਰਹੈ ਨ ਠਾਇ ॥ કામ-વાસનામાં ફસાયેલું મન ઠેકાણે નથી રહેતું.
ਹਰਿ ਭਜੁ ਪ੍ਰਾਣੀ ਰਸਨ ਰਸਾਇ ॥੩॥ આ માયાના પ્રભાવથી બચવા માટે હે પ્રાણી! પોતાની જીભને અમૃત રસમાં રસાવીને પરમાત્માનું ભજન કર ॥૩॥
ਗੈਵਰ ਹੈਵਰ ਕੰਚਨ ਸੁਤ ਨਾਰੀ ॥ સરસ હાથી, સરસ ઘોડા, સોનુ, પુત્ર, સ્ત્રી – આનો મોહ જુગારની રમત છે.
ਬਹੁ ਚਿੰਤਾ ਪਿੜ ਚਾਲੈ ਹਾਰੀ ॥ જેમ ચોપડની કાચી નર્દ વારંવાર માર ખાય છે. તેમ જ આ જુગારની રમત રમનારનું મન નબળું રહીને વિકારોની ઇજા ખાતો રહે છે.
ਜੂਐ ਖੇਲਣੁ ਕਾਚੀ ਸਾਰੀ ॥੪॥ પુત્ર-સ્ત્રી વગેરેના મોહને કારણે મન ખુબ ચિંતાતુર રહે છે, અને, અંતે આ જગત અખાડાથી મનુષ્ય રમત હારીને જાય છે ॥૪॥
ਸੰਪਉ ਸੰਚੀ ਭਏ ਵਿਕਾਰ ॥ જેમ જેમ મનુષ્ય ધન જોડે છે મનમાં વિકાર ઉત્પન્ન થતા જાય છે.
ਹਰਖ ਸੋਕ ਉਭੇ ਦਰਵਾਰਿ ॥ ક્યારેક ખુશી ક્યારેક ગમ આ ખુશી તેમજ સહમ હંમેશા મનુષ્યના દરવાજા પર ઉભા રહે છે.
ਸੁਖੁ ਸਹਜੇ ਜਪਿ ਰਿਦੈ ਮੁਰਾਰਿ ॥੫॥ પરંતુ હૃદયમાં પરમાત્માનું સ્મરણ કરવાથી મન સ્થિર સ્થિતિમાં ટકી જાય છે અને આધ્યાત્મિક આનંદ મેળવે છે ॥૫॥
ਨਦਰਿ ਕਰੇ ਤਾ ਮੇਲਿ ਮਿਲਾਏ ॥ પરંતુ જીવના હાથમાં પણ શું ? જયારે પરમાત્મા કૃપાની નજર કરે છે, ત્યારે ગુરુ આને પોતાના શબ્દોમાં જોડીને પ્રભુ ચરણોમાં મિલાવી દે છે.
ਗੁਣ ਸੰਗ੍ਰਹਿ ਅਉਗਣ ਸਬਦਿ ਜਲਾਏ ॥ ગુરુની સન્મુખ થઈને જીવ આધ્યાત્મિક ગુણ પોતાની અંદર એકત્રિત કરીને ગુરુ શબ્દ દ્વારા પોતાની અંદરથી અવગુણોને સળગાવી દે છે.
ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਪਦਾਰਥੁ ਪਾਏ ॥੬॥ ગુરુની સન્મુખ થઈને મનુષ્ય નામ-ધન શોધી લે છે ॥૬॥
ਬਿਨੁ ਨਾਵੈ ਸਭ ਦੂਖ ਨਿਵਾਸੁ ॥ પ્રભુના નામમાં જોડાયા વગર મનુષ્યના મનમાં બધા દુઃખ-કષ્ટોનો અડ્ડો આવી લાગે છે, મૂર્ખ મનુષ્યના મનનો વસવાટ માયાના મોહમાં રહે છે.
ਮਨਮੁਖ ਮੂੜ ਮਾਇਆ ਚਿਤ ਵਾਸੁ ॥ ધૂરથી જ પરમાત્માની કૃપાથી જે માથા પર કરેલા કર્મોના સંસ્કારોના લેખ ઉઘાડે છે,
ਗੁਰਮੁਖਿ ਗਿਆਨੁ ਧੁਰਿ ਕਰਮਿ ਲਿਖਿਆਸੁ ॥੭॥ તે મનુષ્ય ગુરુની સન્મુખ થઈને પરમાત્માની સાથે ગાઢ સંધિ નાખે છે ॥૭॥
ਮਨੁ ਚੰਚਲੁ ਧਾਵਤੁ ਫੁਨਿ ਧਾਵੈ ॥ આધ્યાત્મિક ગુણોથી વંચિત મન ચંચળ રહે છે, માયાની પાછળ દોડે છે વારંવાર ભાગે છે.
ਸਾਚੇ ਸੂਚੇ ਮੈਲੁ ਨ ਭਾਵੈ ॥ હંમેશા સ્થિર રહેનાર અને વિકારોનું અસત્ય, અપવિત્રતાથી સ્વચ્છ પરમાત્માને મનુષ્યના મનની આ ગંદકી સારી નથી લાગતી, આ માટે આ પરમાત્માથી અલગ રહે છે.
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਗੁਣ ਗਾਵੈ ॥੮॥੩॥ હે નાનક! જે મનુષ્ય ગુરુની શરણ પડે છે, તે પરમાત્માના ગુણ ગાય છે અને તેનો જન્મ હેતુ સફળ થઇ જાય છે ॥૮॥૩॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੧ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૧॥
ਹਉਮੈ ਕਰਤਿਆ ਨਹ ਸੁਖੁ ਹੋਇ ॥ પોતાના મનના નેતૃત્વમાં રહીને દરેક સમયે પોતાની જ ઉદારતા તેમજ સુખની વાતો કરવાથી સુખ નથી મળી શકતું.
ਮਨਮਤਿ ਝੂਠੀ ਸਚਾ ਸੋਇ ॥ મનની સમજદારી નાશવાન પદાર્થોમાં જોડે છે, તે પરમાત્મા હંમેશા સ્થિર રહેનાર છે અને સુખનો સ્ત્રોત છે
ਸਗਲ ਬਿਗੂਤੇ ਭਾਵੈ ਦੋਇ ॥ ‘મન મતી’ અને ‘પરમાત્મા’નો સ્વભાવ અલગ અલગ છે, બંનેનો મેળ નથી. સુખ ક્યાંથી આવે? જેને નામ ભૂલીને મારુ-તારુ સારું લાગે છે, તે બધા ખુવાર જ થાય છે.
ਸੋ ਕਮਾਵੈ ਧੁਰਿ ਲਿਖਿਆ ਹੋਇ ॥੧॥ પરંતુ જીવનું પણ શું વશ? કરેલ કર્મોને અનુસાર જીવન માથા પર જે ધૂરથી લેખ લખેલ હોય છે, તેના જ અનુસાર અહીં કમાણી કરે છે, નામ-સ્મરણ છોડીને નાશવાન પદાર્થોમાં સુખની શોધનો વ્યર્થ પ્રયત્ન કરે છે ॥૧॥
ਐਸਾ ਜਗੁ ਦੇਖਿਆ ਜੂਆਰੀ ॥ મેં જોયું છે કે જગત જુગારની રમત રમે છે, એવી રમત રમે છે કે સુખ તો બધા જ માંગે છે.
ਸਭਿ ਸੁਖ ਮਾਗੈ ਨਾਮੁ ਬਿਸਾਰੀ ॥੧॥ ਰਹਾਉ ॥ મેં જોયું છે કે જગત જુગારની રમત રમે છે, એવી રમત રમે છે કે સુખ તો બધા જ માંગે છે.
ਅਦਿਸਟੁ ਦਿਸੈ ਤਾ ਕਹਿਆ ਜਾਇ ॥ પરંતુ જે નામથી સુખ મળે છે તે નામને ભુલી રહ્યો છે ॥૧॥ વિરામ॥
ਬਿਨੁ ਦੇਖੇ ਕਹਣਾ ਬਿਰਥਾ ਜਾਇ ॥ પરમાત્મા આ આંખોથી દેખાઈ દેતો નથી. જો આંખથી દેખાય, તો જ તેનાથી મળવાની પીડા ઉત્પન્ન થાય, અને તેનું નામ લેવાનું મન કરે.
ਗੁਰਮੁਖਿ ਦੀਸੈ ਸਹਜਿ ਸੁਭਾਇ ॥ આંખોને જોયા વગર તેના દર્શનની ખેંચ નથી બનતી અને ચાહથી તેનું નામ નથી લઈ શકાતું, દેખાય દેતા પદાર્થોથી ખેંચ બની રહે છે. ગુરુની સન્મુખ રહેવાથી મનુષ્યનું મન દેખાતા પદાર્થોથી હટીને સ્થિરતામાં ટકે છે,
ਸੇਵਾ ਸੁਰਤਿ ਏਕ ਲਿਵ ਲਾਇ ॥੨॥ પ્રભુના પ્રેમમાં લીન થાય છે અને આ રીતે અંતરાત્માનો તે પ્રભુ દેખાય પડે છે.ગુરુની સન્મુખ મનુસ્ષ્યની ભાવના ગુરુની બતાવેલી સેવામાં જોડાય છે, તેની લગન એક પરમાત્મામાં જ લાગે છે ॥૨॥
ਸੁਖੁ ਮਾਂਗਤ ਦੁਖੁ ਆਗਲ ਹੋਇ ॥ પ્રભુનું નામ ભૂલીને સુખ માંગવાથી ઉલટાનું ખુબ દુઃખ વધે છે કારણ કે મનુષ્ય બધા વિકારોનો હાર પરોવીને પોતાના ગળામાં નાખી લે છે.
ਸਗਲ ਵਿਕਾਰੀ ਹਾਰੁ ਪਰੋਇ ॥ નાશવાન પદાર્થોના મોહમાં ફસાયેલાને પરમાત્માના નામ વગર દુઃખો તેમજ વિકારોથી છુટકારો મળતો નથી.
ਏਕ ਬਿਨਾ ਝੂਠੇ ਮੁਕਤਿ ਨ ਹੋਇ ॥ નાશવાન પદાર્થોના મોહમાં ફસાયેલાને પરમાત્માના નામ વગર દુઃખો તેમજ વિકારોથી છુટકારો મળતો નથી.
ਕਰਿ ਕਰਿ ਕਰਤਾ ਦੇਖੈ ਸੋਇ ॥੩॥ પ્રભુની આવી જ રજા છે, તે કર્તાર પોતે જ બધું કરીને પોતે જ આ રમતને જોઈ રહ્યો છે ॥૩॥
ਤ੍ਰਿਸਨਾ ਅਗਨਿ ਸਬਦਿ ਬੁਝਾਏ ॥ જે મનુષ્ય ગુરુના શબ્દમાં જોડાઈને પોતાની અંદરથી તૃષ્ણાની આગ ઠારે છે,
ਦੂਜਾ ਭਰਮੁ ਸਹਜਿ ਸੁਭਾਏ ॥ સ્થિર સ્થિતિમાં ટકીને પ્રભુના પ્રેમમાં જોડાઈને તેની માયાવી પદાર્થો તરફની ભટકણ સમાપ્ત થઇ જાય છે.
ਗੁਰਮਤੀ ਨਾਮੁ ਰਿਦੈ ਵਸਾਏ ॥ ગુરુની શિક્ષા પર ચાલીને તે પરમાત્માનું નામ પોતાના હૃદયમાં વસાવે છે.
ਸਾਚੀ ਬਾਣੀ ਹਰਿ ਗੁਣ ਗਾਏ ॥੪॥ પ્રભુની મહિમાની વાણી દ્વારા તે પરમાત્માના ગુણ ગાય છે અને તેની અંદર આધ્યાત્મિક આનંદ ઉત્પન્ન થાય છે ॥૪॥
ਤਨ ਮਹਿ ਸਾਚੋ ਗੁਰਮੁਖਿ ਭਾਉ ॥ આમ તો દરેક શરીરમાં હંમેશા સ્થિર પ્રભુ વસે છે, પરંતુ ગુરુના શરણે પડવાથી જ તેની સાથે પ્રેમ જાગે છે અને મનુષ્ય નામ સ્મરણ કરે છે.
ਨਾਮ ਬਿਨਾ ਨਾਹੀ ਨਿਜ ਠਾਉ ॥ નામ વગર મન એક ઠેકાણા પર આવી શકતું નથી.
ਪ੍ਰੇਮ ਪਰਾਇਣ ਪ੍ਰੀਤਮ ਰਾਉ ॥ પ્રીતમ પ્રભુ પણ પ્રેમને આધીન છે,
ਨਦਰਿ ਕਰੇ ਤਾ ਬੂਝੈ ਨਾਉ ॥੫॥ જે તેની સાથે પ્રેમ કરે છે, પ્રભુ તેના ઉપર કૃપાની નજર કરે છે અને તે તેના નામની કદ્ર સમજે છે ॥૫॥
ਮਾਇਆ ਮੋਹੁ ਸਰਬ ਜੰਜਾਲਾ ॥ માયાનો મોહ બધા માયાવી બંધન ઉત્પન્ન કરે છે.
ਮਨਮੁਖ ਕੁਚੀਲ ਕੁਛਿਤ ਬਿਕਰਾਲਾ ॥ આ કરવાથી મનના મુરીદ મનુષ્યનું જીવન ગંદુ, ખરાબ તેમજ ભયાનક બની જાય છે.
ਸਤਿਗੁਰੁ ਸੇਵੇ ਚੂਕੈ ਜੰਜਾਲਾ ॥ જે મનુષ્ય ગુરુએ બતાવેલા રાહ પકડે છે, તેના માયાવાળા બંધન તૂટી જાય છે.
ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਸਦਾ ਸੁਖੁ ਨਾਲਾ ॥੬॥ તે આધ્યાત્મિક જીવન દેનાર નામ જપે છે, અને હંમેશા જ આધ્યાત્મિક આનંદ પોતાની અંદર મેળવે છે ॥૬॥
ਗੁਰਮੁਖਿ ਬੂਝੈ ਏਕ ਲਿਵ ਲਾਏ ॥ ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય નામની કદ્ર સમજે છે, એક પરમાત્મામાં ધ્યાન જોડે છે,
ਨਿਜ ਘਰਿ ਵਾਸੈ ਸਾਚਿ ਸਮਾਏ ॥ પોતાના સ્વયં સ્વરૂપમાં ટકી રહે છે, હંમેશા સ્થિર પ્રભુના ચરણોમાં લીન રહે છે.
ਜੰਮਣੁ ਮਰਣਾ ਠਾਕਿ ਰਹਾਏ ॥ તે પોતાના જન્મ મરણનું ચક્ર રોકી લે છે.
ਪੂਰੇ ਗੁਰ ਤੇ ਇਹ ਮਤਿ ਪਾਏ ॥੭॥ પરંતુ આ બુધ્ધિ તે સંપૂર્ણ ગુરૂથી જ પ્રાપ્ત કરે છે ॥૭॥
ਕਥਨੀ ਕਥਉ ਨ ਆਵੈ ਓਰੁ ॥ જે પરમાત્માના ગુણોનો અંત આવી શકતો નથી , હું તેના ગુણ ગાવ છું.
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html