Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-914

Page 914

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਮਾਇ ਬਾਪ ਪੂਤ ॥ કોઈ માતા-પિતા તેમજ પુત્રની સાથે જીવન વિતાવી દે છે,
ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਰਾਜ ਮਿਲਖ ਵਾਪਾਰਾ ॥ કોઈ રાજ્ય, ધન-સંપત્તિ તેમજ વ્યાપારમાં જીવન વિતાવે છે,
ਸੰਤ ਬਿਹਾਵੈ ਹਰਿ ਨਾਮ ਅਧਾਰਾ ॥੧॥ પરંતુ સંતોનું જીવન હરિ-નામના આધાર પર વીતી જાય છે ॥૧॥
ਰਚਨਾ ਸਾਚੁ ਬਨੀ ॥ આ જગત-રચના પરમ-સત્યએ બનાવી છે
ਸਭ ਕਾ ਏਕੁ ਧਨੀ ॥੧॥ ਰਹਾਉ ॥ અને બધાનો માલિક પરમેશ્વર જ છે ॥૧॥વિરામ॥
ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਬੇਦ ਅਰੁ ਬਾਦਿ ॥ કોઈ વેદોના અભ્યાસ તેમજ વાદ-વિવાદમાં પોતાનું જીવન વિતાવી દે છે,
ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਰਸਨਾ ਸਾਦਿ ॥ કોઈ જીભના સ્વાદમાં જીવન વિતાવી દે છે.
ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਲਪਟਿ ਸੰਗਿ ਨਾਰੀ ॥ કોઈ કામુખ મનુષ્યનું જીવન સ્ત્રીની સાથે તૃષ્ણામાં જ વીતી જાય છે,
ਸੰਤ ਰਚੇ ਕੇਵਲ ਨਾਮ ਮੁਰਾਰੀ ॥੨॥ પરંતુ સંત ફક્ત પ્રભુના નામમાં જ જીવન ભર લીન રહે છે ॥૨॥
ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਖੇਲਤ ਜੂਆ ॥ કોઈનું જીવન જુગાર રમતા જ વીતી જાય છે.
ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਅਮਲੀ ਹੂਆ ॥ કોઈ નશામાં પોતાનું જીવન ગુમાવી દે છે,
ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਪਰ ਦਰਬ ਚੋੁਰਾਏ ॥ કોઈ પારકું ધન ચોરી કરવામાં જીવન વિતાવી દે છે,
ਹਰਿ ਜਨ ਬਿਹਾਵੈ ਨਾਮ ਧਿਆਏ ॥੩॥ પરંતુ ભક્તજન પરમાત્માના નામ-ધ્યાનમાં પોતાનું જીવન સફળ કરી લે છે ॥૩॥
ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਜੋਗ ਤਪ ਪੂਜਾ ॥ કોઈનું જીવન યોગ સાધના, તપસ્યા તેમજ પૂજામાં જ વીતી જાય છે,
ਕਾਹੂ ਰੋਗ ਸੋਗ ਭਰਮੀਜਾ ॥ કોઈ રોગ-શોક તેમજ ભ્રમમાં પડીને જીવન વિતાવી દે છે,
ਕਾਹੂ ਪਵਨ ਧਾਰ ਜਾਤ ਬਿਹਾਏ ॥ કોઈ યોગાસનથી પ્રાણાયામ કરીને જીવન વિતાવી દે છે,
ਸੰਤ ਬਿਹਾਵੈ ਕੀਰਤਨੁ ਗਾਏ ॥੪॥ પરંતુ સંતોનું જીવન પ્રભુનું ભજન-કિર્તન કરતા જ વીતી જાય છે ॥૪॥
ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਦਿਨੁ ਰੈਨਿ ਚਾਲਤ ॥ કોઈનું જીવન દિવસ-રાત સફર કરતા જ વીતી જાય છે,
ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਸੋ ਪਿੜੁ ਮਾਲਤ ॥ કોઈ રણભુમિમાં સખત લડતા જ જીવન વિતાવી દે છે,
ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਬਾਲ ਪੜਾਵਤ ॥ કોઈ લોકો શિક્ષક બનીને બાળકોને વિદ્યા આપવામાં જ સમય વિતાવી દે છે,
ਸੰਤ ਬਿਹਾਵੈ ਹਰਿ ਜਸੁ ਗਾਵਤ ॥੫॥ પરંતુ સંતોનું જીવન પરમાત્માનું યશોગાન કરવામાં વીતી જાય છે ॥૫॥
ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਨਟ ਨਾਟਿਕ ਨਿਰਤੇ ॥ કોઈનું જીવન કલાકાર બનીને નાટક તેમજ નૃત્યમાં જ વીતી જાય છે,
ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਜੀਆਇਹ ਹਿਰਤੇ ॥ કોઈ જીવ-હત્યા તેમજ લૂંટફાટમાં જીવન વિતાવી દે છે,
ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਰਾਜ ਮਹਿ ਡਰਤੇ ॥ કોઈ પોતાનું જીવન રાજ-ભાગના કામોમાં ડરતા વિતાવી દે છે,
ਸੰਤ ਬਿਹਾਵੈ ਹਰਿ ਜਸੁ ਕਰਤੇ ॥੬॥ પરંતુ સંત પ્રભુનું યશોગાન કરતાં જ જીવન વિતાવી દે છે ॥૬॥
ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਮਤਾ ਮਸੂਰਤਿ ॥ કોઈનો આખો સમય સલાહ તેમજ પરામર્શ દેવામાં જ કપાઈ જાય છે,
ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਸੇਵਾ ਜਰੂਰਤਿ ॥ કોઈ જીવનની જરૂરિયાતોને પૂર્ણ કરવા તેમજ સેવા કરતા જ સમય કાઢી દે છે,
ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਸੋਧਤ ਜੀਵਤ ॥ કોઈનું જીવન-સંશોધન કરવામાં જ સમય વીતી જાય છે,
ਸੰਤ ਬਿਹਾਵੈ ਹਰਿ ਰਸੁ ਪੀਵਤ ॥੭॥ પરંતુ સંતોનું સંપૂર્ણ જીવન હરિ-નામરૂપી રસને પીવામાં જ વીતી જાય છે ॥૭॥
ਜਿਤੁ ਕੋ ਲਾਇਆ ਤਿਤ ਹੀ ਲਗਾਨਾ ॥ સત્ય તો આ જ છે કે પ્રભુએ જીવને ક્યાં કાર્યમાં લગાવ્યો છે, તે તેમાં લાગી ગયો છે.
ਨਾ ਕੋ ਮੂੜੁ ਨਹੀ ਕੋ ਸਿਆਨਾ ॥ ન કોઈ મૂર્ખ છે અને ન તો કોઈ ચતુર છે.
ਕਰਿ ਕਿਰਪਾ ਜਿਸੁ ਦੇਵੈ ਨਾਉ ॥ પરમાત્મા કૃપા કરીને જેને પોતાનું નામ દે છે,
ਨਾਨਕ ਤਾ ਕੈ ਬਲਿ ਬਲਿ ਜਾਉ ॥੮॥੩॥ નાનક તેના પર બલિહાર જાય છે ॥૮॥૩॥
ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥ રામકલી મહેલ ૫॥
ਦਾਵਾ ਅਗਨਿ ਰਹੇ ਹਰਿ ਬੂਟ ॥ જેમ જંગલની આગમાં કોઈ છોડ બચીને લીલા રહી જાય છે,
ਮਾਤ ਗਰਭ ਸੰਕਟ ਤੇ ਛੂਟ ॥ જેમ માતાના ગર્ભની મુશ્કેલીમાંથી બાળક છૂટી જાય છે,
ਜਾ ਕਾ ਨਾਮੁ ਸਿਮਰਤ ਭਉ ਜਾਇ ॥ જેનું નામ સ્મરણ કરવાથી દરેક પ્રકારના ભય દૂર થઈ જાય છે,
ਤੈਸੇ ਸੰਤ ਜਨਾ ਰਾਖੈ ਹਰਿ ਰਾਇ ॥੧॥ પ્રભુ પોતાના સંતજનોની રક્ષા કરે છે ॥૧॥
ਐਸੇ ਰਾਖਨਹਾਰ ਦਇਆਲ ॥ દયાળુ પ્રભુ બધાની રક્ષા કરનાર છે.
ਜਤ ਕਤ ਦੇਖਉ ਤੁਮ ਪ੍ਰਤਿਪਾਲ ॥੧॥ ਰਹਾਉ ॥ હે દીનદયાળુ! જ્યાં-ક્યાંય પણ જોવ છું, ફક્ત તું જ અમારો પ્રતિપાલક છે ॥૧॥વિરામ॥
ਜਲੁ ਪੀਵਤ ਜਿਉ ਤਿਖਾ ਮਿਟੰਤ ॥ જેમ પાણી પીવાથી તરસ મટી જાય છે,
ਧਨ ਬਿਗਸੈ ਗ੍ਰਿਹਿ ਆਵਤ ਕੰਤ ॥ જેમ પતિના ઘરમાં આવવાથી પત્ની ખુશ થઈ જાય છે,
ਲੋਭੀ ਕਾ ਧਨੁ ਪ੍ਰਾਣ ਅਧਾਰੁ ॥ જેમ લોભી મનુષ્યનું ધન જ તેના પ્રાણોનો આધાર હોય છે,
ਤਿਉ ਹਰਿ ਜਨ ਹਰਿ ਹਰਿ ਨਾਮ ਪਿਆਰੁ ॥੨॥ તેમ જ ભક્તજનોનો હરિ-નામથી પ્રેમ હોય છે ॥૨॥
ਕਿਰਸਾਨੀ ਜਿਉ ਰਾਖੈ ਰਖਵਾਲਾ ॥ જેમ ખેડૂત પોતાની ખેતીની રક્ષા કરે છે,
ਮਾਤ ਪਿਤਾ ਦਇਆ ਜਿਉ ਬਾਲਾ ॥ જેમ માતા-પિતા પોતાના બાળક પર દયા કરે છે,
ਪ੍ਰੀਤਮੁ ਦੇਖਿ ਪ੍ਰੀਤਮੁ ਮਿਲਿ ਜਾਇ ॥ જેમ પ્રિયતમને જોઈને પ્રિયતમા તેમાં જ મોહિત થઈ જાય છે,
ਤਿਉ ਹਰਿ ਜਨ ਰਾਖੈ ਕੰਠਿ ਲਾਇ ॥੩॥ તેમ જ ભક્તજનોને પરમાત્મા પોતાના કંઠથી લગાડીને રાખે છે ॥૩॥
ਜਿਉ ਅੰਧੁਲੇ ਪੇਖਤ ਹੋਇ ਅਨੰਦ ॥ જેમ અંધને જોવા પર આનંદ થાય છે,
ਗੂੰਗਾ ਬਕਤ ਗਾਵੈ ਬਹੁ ਛੰਦ ॥ જેમ કોઈ મૂંગો બોલવા લાગી જાય તો તે ખુશ થઈને ગીત ગાવા લાગે છે,
ਪਿੰਗੁਲ ਪਰਬਤ ਪਰਤੇ ਪਾਰਿ ॥ જેમ કોઈ લંગડો મનુષ્ય પર્વત પર ચઢીને ખુશી વ્યક્ત કરે છે,
ਹਰਿ ਕੈ ਨਾਮਿ ਸਗਲ ਉਧਾਰਿ ॥੪॥ તેમ જ હરિનું નામ જપવાથી બધાનો ઉદ્ધાર થઈ જાય છે ॥૪॥
ਜਿਉ ਪਾਵਕ ਸੰਗਿ ਸੀਤ ਕੋ ਨਾਸ ॥ જેમ આગ સળગવાથી શીતનો પ્રકોપ નાશ થઈ જાય છે,
ਐਸੇ ਪ੍ਰਾਛਤ ਸੰਤਸੰਗਿ ਬਿਨਾਸ ॥ આમ જ સંતોની સંગતિ કરવાથી દરેક પ્રકારના પાપ નાશ થઈ જાય છે.
ਜਿਉ ਸਾਬੁਨਿ ਕਾਪਰ ਊਜਲ ਹੋਤ ॥ જેમ સાબુ લગાવીને કપડાં ધોવાથી પ્રકાશિત થઈ જાય છે,
ਨਾਮ ਜਪਤ ਸਭੁ ਭ੍ਰਮੁ ਭਉ ਖੋਤ ॥੫॥ તેમ જ નામ જપવાથી બધા ભ્રમ દૂર થઈ જાય છે ॥૫॥
ਜਿਉ ਚਕਵੀ ਸੂਰਜ ਕੀ ਆਸ ॥ જેમ સુરખાબને સૂર્યોદયની આશા રહે છે,
ਜਿਉ ਚਾਤ੍ਰਿਕ ਬੂੰਦ ਕੀ ਪਿਆਸ ॥ જેમ બપૈયાને સ્વાતિ ટીપાની તરસ લાગેલી રહે છે,
ਜਿਉ ਕੁਰੰਕ ਨਾਦ ਕਰਨ ਸਮਾਨੇ ॥ જેમ હરણને સંગીતના સ્વરથી સુખ પ્રાપ્ત થાય છે,
ਤਿਉ ਹਰਿ ਨਾਮ ਹਰਿ ਜਨ ਮਨਹਿ ਸੁਖਾਨੇ ॥੬॥ તેમ જ પ્રભુનું નામ ભક્તોના મનમાં સુખ આપે છે ॥૬॥


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top