Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-588

Page 588

ਤਿਸੁ ਗੁਰ ਕਉ ਸਦ ਬਲਿਹਾਰਣੈ ਜਿਨਿ ਹਰਿ ਸੇਵਾ ਬਣਤ ਬਣਾਈ ॥ હું તે ગુરુ પર હંમેશા બલિહાર છું, જેને હરિની ઉપાસનાનો શુભ અવસર બનાવ્યો છે.
ਸੋ ਸਤਿਗੁਰੁ ਪਿਆਰਾ ਮੇਰੈ ਨਾਲਿ ਹੈ ਜਿਥੈ ਕਿਥੈ ਮੈਨੋ ਲਏ ਛਡਾਈ ॥ તે પ્રેમાળ સદ્દગુરુ હંમેશા મારી સાથે છે તેમજ જ્યાં-ક્યાંય પણ હું હોવ છું, મને મુક્ત કરાવી દે છે.
ਤਿਸੁ ਗੁਰ ਕਉ ਸਾਬਾਸਿ ਹੈ ਜਿਨਿ ਹਰਿ ਸੋਝੀ ਪਾਈ ॥ તે ગુરુને શાબાશ છે, જેને મને હરિનું જ્ઞાન આપ્યું છે.
ਨਾਨਕੁ ਗੁਰ ਵਿਟਹੁ ਵਾਰਿਆ ਜਿਨਿ ਹਰਿ ਨਾਮੁ ਦੀਆ ਮੇਰੇ ਮਨ ਕੀ ਆਸ ਪੁਰਾਈ ॥੫॥ હે નાનક! હું તે ગુરુ પર બલિહાર જાઉં છું, જેને મને હરિનું નામ આપીને મારા મનની અભિલાષા પૂર્ણ કરી છે ॥૫॥
ਸਲੋਕ ਮਃ ੩ ॥ શ્લોક મહેલ ૩॥
ਤ੍ਰਿਸਨਾ ਦਾਧੀ ਜਲਿ ਮੁਈ ਜਲਿ ਜਲਿ ਕਰੇ ਪੁਕਾਰ ॥ તૃષ્ણામાં સ્તબ્ધ થઈને આખી દુનિયા સળગીને મરી ગઈ છે અને સળગી-સળગીને રાડો પાડી રહી છે.
ਸਤਿਗੁਰ ਸੀਤਲ ਜੇ ਮਿਲੈ ਫਿਰਿ ਜਲੈ ਨ ਦੂਜੀ ਵਾਰ ॥ જો શાંતિ આપનાર સદ્દગુરુથી મેળાપ થઈ જાય તો તેને ફરીથી બીજી વાર સળગવું પડશે નહીં.
ਨਾਨਕ ਵਿਣੁ ਨਾਵੈ ਨਿਰਭਉ ਕੋ ਨਹੀ ਜਿਚਰੁ ਸਬਦਿ ਨ ਕਰੇ ਵੀਚਾਰੁ ॥੧॥ હે નાનક! જ્યાં સુધી મનુષ્ય ગુરુના શબ્દ પર વિચાર કરતો નથી, ત્યાં સુધી પરમાત્માના નામ વગર કોઈ પણ ભય-રહિત થઈ શકતું નથી ॥૧॥
ਮਃ ੩ ॥ મહેલ ૩॥
ਭੇਖੀ ਅਗਨਿ ਨ ਬੁਝਈ ਚਿੰਤਾ ਹੈ ਮਨ ਮਾਹਿ ॥ ખોટો વેશ અર્થાત ઢોંગ ધારણ કરવાથી તૃષ્ણાની આગ ઠરતી નથી અને મનમાં ચિંતા જ બની રહે છે.
ਵਰਮੀ ਮਾਰੀ ਸਾਪੁ ਨਾ ਮਰੈ ਤਿਉ ਨਿਗੁਰੇ ਕਰਮ ਕਮਾਹਿ ॥ જેમ સાપના ભોંને નષ્ટ કરવાથી સાપ મરતો નથી તેમ જ અશિક્ષિત કર્મ કરતો રહે છે.
ਸਤਿਗੁਰੁ ਦਾਤਾ ਸੇਵੀਐ ਸਬਦੁ ਵਸੈ ਮਨਿ ਆਇ ॥ દાતા સદ્દગુરૂની સેવા કરવાથી મનુષ્યના મનમાં શબ્દનો નિવાસ થઈ જાય છે.
ਮਨੁ ਤਨੁ ਸੀਤਲੁ ਸਾਂਤਿ ਹੋਇ ਤ੍ਰਿਸਨਾ ਅਗਨਿ ਬੁਝਾਇ ॥ આનાથી મન-શરીર શીતળ તેમજ શાંત થઈ જાય છે અને તૃષ્ણાની આગ ઠરી જાય છે.
ਸੁਖਾ ਸਿਰਿ ਸਦਾ ਸੁਖੁ ਹੋਇ ਜਾ ਵਿਚਹੁ ਆਪੁ ਗਵਾਇ ॥ જયારે મનુષ્ય પોતાના હૃદયથી અહંકારને કાઢી દે છે તો તેને સર્વ સુખોનું પરમ સુખ મળી જાય છે.
ਗੁਰਮੁਖਿ ਉਦਾਸੀ ਸੋ ਕਰੇ ਜਿ ਸਚਿ ਰਹੈ ਲਿਵ ਲਾਇ ॥ તે જ ગુરુમુખ મનુષ્ય ત્યાગી હોય છે જે પોતાની વૃત્તિ સત્યની સાથે લગાવે છે.
ਚਿੰਤਾ ਮੂਲਿ ਨ ਹੋਵਈ ਹਰਿ ਨਾਮਿ ਰਜਾ ਆਘਾਇ ॥ તેને જરા પણ ચિંતા હોતી નથી અને હરિના નામથી તે તૃપ્ત તેમજ સંતુષ્ટ રહે છે.
ਨਾਨਕ ਨਾਮ ਬਿਨਾ ਨਹ ਛੂਟੀਐ ਹਉਮੈ ਪਚਹਿ ਪਚਾਇ ॥੨॥ હે નાનક! પરમાત્માના નામ વગર મનુષ્યની મુક્તિ થતી નથી અને અહંકારને કારણે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે ॥૨॥
ਪਉੜੀ ॥ પગથિયું॥
ਜਿਨੀ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਇਆ ਤਿਨੀ ਪਾਇਅੜੇ ਸਰਬ ਸੁਖਾ ॥ જેને હરિના નામનું ધ્યાન કર્યું છે, તે લોકોને બધું સુખ પ્રાપ્ત થઈ જાય છે.
ਸਭੁ ਜਨਮੁ ਤਿਨਾ ਕਾ ਸਫਲੁ ਹੈ ਜਿਨ ਹਰਿ ਕੇ ਨਾਮ ਕੀ ਮਨਿ ਲਾਗੀ ਭੁਖਾ ॥ તે લોકોનું આખું જીવન સફળ છે, જેના મનમાં હરિના નામની તીવ્ર લાલચ લાગેલી છે.
ਜਿਨੀ ਗੁਰ ਕੈ ਬਚਨਿ ਆਰਾਧਿਆ ਤਿਨ ਵਿਸਰਿ ਗਏ ਸਭਿ ਦੁਖਾ ॥ જેને ગુરુના વચન દ્વારા હરિની પ્રાર્થના કરી છે, તેના બધા દુઃખ-કલેશ મટી ગયા છે.
ਤੇ ਸੰਤ ਭਲੇ ਗੁਰਸਿਖ ਹੈ ਜਿਨ ਨਾਹੀ ਚਿੰਤ ਪਰਾਈ ਚੁਖਾ ॥ તે સંતજન, ગુરૂના શિષ્ય સારા છે, જેને પરમાત્મા સિવાય કોઈની પણ થોડી પણ ચિંતા નથી.
ਧਨੁ ਧੰਨੁ ਤਿਨਾ ਕਾ ਗੁਰੂ ਹੈ ਜਿਸੁ ਅੰਮ੍ਰਿਤ ਫਲ ਹਰਿ ਲਾਗੇ ਮੁਖਾ ॥੬॥ તેનો ગુરુ ધન્ય-ધન્ય છે, જેના મુખારબિંદ પર હરિના નામનું અમૃત-ફળ લાગેલું છે ॥૬॥
ਸਲੋਕ ਮਃ ੩ ॥ શ્લોક મહેલ ૩॥
ਕਲਿ ਮਹਿ ਜਮੁ ਜੰਦਾਰੁ ਹੈ ਹੁਕਮੇ ਕਾਰ ਕਮਾਇ ॥ આ કળિયુગમાં યમરાજ પ્રાણોનો શત્રુ છે પરંતુ તે પણ પ્રભુની રજા પ્રમાણે કાર્ય કરે છે.
ਗੁਰਿ ਰਾਖੇ ਸੇ ਉਬਰੇ ਮਨਮੁਖਾ ਦੇਇ ਸਜਾਇ ॥ જે લોકોની ગુરુએ રક્ષા કરી છે, તેનો ઉદ્ધાર થઈ ગયો છે. પરંતુ સ્વેચ્છાચારી જીવોને તે સજા આપે છે.
ਜਮਕਾਲੈ ਵਸਿ ਜਗੁ ਬਾਂਧਿਆ ਤਿਸ ਦਾ ਫਰੂ ਨ ਕੋਇ ॥ આખી દુનિયા યમકાળના વશમાં કેદ છે અને તેને કોઈ પણ પકડી શકતું નથી.
ਜਿਨਿ ਜਮੁ ਕੀਤਾ ਸੋ ਸੇਵੀਐ ਗੁਰਮੁਖਿ ਦੁਖੁ ਨ ਹੋਇ ॥ જે પરમેશ્વરે યમરાજને ઉત્પન્ન કર્યો છે, ગુરુમુખ બનીને તેની પ્રાર્થના કરવી જોઈએ, પછી કોઈ દુઃખ-કષ્ટ હેરાન કરતું નથી.
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਜਮੁ ਸੇਵਾ ਕਰੇ ਜਿਨ ਮਨਿ ਸਚਾ ਹੋਇ ॥੧॥ હે નાનક! જેના મનમાં સાચો પરમેશ્વર હોય છે, તે ગુરુમુખોની યમરાજ પણ સેવા કરતો રહે છે ॥૧॥
ਮਃ ੩ ॥ મહેલ ૩॥
ਏਹਾ ਕਾਇਆ ਰੋਗਿ ਭਰੀ ਬਿਨੁ ਸਬਦੈ ਦੁਖੁ ਹਉਮੈ ਰੋਗੁ ਨ ਜਾਇ ॥ આ કોમળ શરીર અહંકારના રોગથી ભરેલું છે અને શબ્દ-બ્રહ્મા વગર આનો અહંકારનો રોગ તેમજ દુઃખ નાશ થતાં નથી.
ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਤਾ ਨਿਰਮਲ ਹੋਵੈ ਹਰਿ ਨਾਮੋ ਮੰਨਿ ਵਸਾਇ ॥ જો સદ્દગુરુથી મેળાપ થઈ જાય તો આ શરીર નિર્મળ થઈ જાય છે અને હરિના નામનો પોતાના મનમાં વસાવી લે છે.
ਨਾਨਕ ਨਾਮੁ ਧਿਆਇਆ ਸੁਖਦਾਤਾ ਦੁਖੁ ਵਿਸਰਿਆ ਸਹਜਿ ਸੁਭਾਇ ॥੨॥ હે નાનક! સુખ દેનાર પરમાત્માના નામનું ધ્યાન કરવાથી સરળ-સ્વભાવ જ દુઃખ-કલેશ સમાપ્ત થઈ જાય છે ॥૨॥
ਪਉੜੀ ॥ પગથિયું॥
ਜਿਨਿ ਜਗਜੀਵਨੁ ਉਪਦੇਸਿਆ ਤਿਸੁ ਗੁਰ ਕਉ ਹਉ ਸਦਾ ਘੁਮਾਇਆ ॥ હું તે ગુરુ પર હંમેશા બલિહાર જાવ છું, જેને મને જગતના જીવનદાતા પ્રભુની ભક્તિનો ઉપદેશ આપ્યો.
ਤਿਸੁ ਗੁਰ ਕਉ ਹਉ ਖੰਨੀਐ ਜਿਨਿ ਮਧੁਸੂਦਨੁ ਹਰਿ ਨਾਮੁ ਸੁਣਾਇਆ ॥ હું તે ગુરુ પર ખંડ-ખંડ થઈને બલિહારી થાવ છું, જેને મધુસુદન હરિનું નામ સંભળાવ્યુ છે.
ਤਿਸੁ ਗੁਰ ਕਉ ਹਉ ਵਾਰਣੈ ਜਿਨਿ ਹਉਮੈ ਬਿਖੁ ਸਭੁ ਰੋਗੁ ਗਵਾਇਆ ॥ હું તે ગુરુ પર શત-શત બલિહાર જાવ છું, જેને અહંકાર રૂપી ઝેર તેમજ બધા રોગોને મટાડી દીધા છે.
ਤਿਸੁ ਸਤਿਗੁਰ ਕਉ ਵਡ ਪੁੰਨੁ ਹੈ ਜਿਨਿ ਅਵਗਣ ਕਟਿ ਗੁਣੀ ਸਮਝਾਇਆ ॥ તે ગુરુનો મારા પર ઘણો ઉપકાર છે, જેને અવગુણોને મટાડીને ગુણોના ભંડાર પરમાત્માનું જ્ઞાન આપ્યું છે.
Scroll to Top
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/