Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-224

Page 224

ਨਰ ਨਿਹਕੇਵਲ ਨਿਰਭਉ ਨਾਉ ॥ મનુષ્ય નિર્ભય પરમાત્માનું નામ જપીને માયાના હુમલાથી નિર્ભય થઈને વાસના-રહિત શુદ્ધ થઈ જાય છે.
ਅਨਾਥਹ ਨਾਥ ਕਰੇ ਬਲਿ ਜਾਉ ॥ તે પતિ-વગરનાને પતિવાળા બનાવી દે છે, તે છે વાસ્તવિક જોગી, અને આવા જોગીથી હું કુરબાન છું.
ਪੁਨਰਪਿ ਜਨਮੁ ਨਾਹੀ ਗੁਣ ਗਾਉ ॥੫॥ તેને વારંવાર જન્મ નથી લેવો પડતો, તે હંમેશા પ્રભુની મહિમા કરે છે ॥૫॥
ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਏਕੋ ਜਾਣੈ ॥ તે જોગી પોતાની અંદર તેમજ બહાર આખા જગતમાં એક પરમાત્માને જ વ્યાપક જાણે છે.
ਗੁਰ ਕੈ ਸਬਦੇ ਆਪੁ ਪਛਾਣੈ ॥ ગુરુના શબ્દમાં જોડાઈને તે પોતાની વાસ્તવિકતાને ઓળખે છે.
ਸਾਚੈ ਸਬਦਿ ਦਰਿ ਨੀਸਾਣੈ ॥੬॥ ગુરુના સાચા શબ્દની કૃપાથી તે જોગી પરમાત્માના ઓટલા પર મહિમાની રાહદારી લઈને જાય છે ॥૬॥
ਸਬਦਿ ਮਰੈ ਤਿਸੁ ਨਿਜ ਘਰਿ ਵਾਸਾ ॥ જે મનુષ્ય ગુરુના શબ્દ દ્વારા વિકારો તરફથી મરી જાય છે તે છે વાસ્તવિક જોગી, અને તેનું નિવાસ હંમેશા પોતાની અંતરાત્મામાં રહે છે.
ਆਵੈ ਨ ਜਾਵੈ ਚੂਕੈ ਆਸਾ ॥ તેની આશા સમાપ્ત થઇ જાય છે, તે ભટકણમાં નથી પડતો.
ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਕਮਲੁ ਪਰਗਾਸਾ ॥੭॥ ગુરુના શબ્દમાં જોડાવાથી તેનું કમળરૂપી હૃદય હંમેશા ખીલી રહે છે ॥૭॥
ਜੋ ਦੀਸੈ ਸੋ ਆਸ ਨਿਰਾਸਾ ॥ જગતમાં જે પણ દેખાઈ દે છે, તે જ પડેલી આશાઓવાળો નિરાશામાં ડૂબેલો જ દેખાય છે, કોઈની બધી આશાઓ ક્યારેય પણ પૂરી નથી થઈ.
ਕਾਮ ਕ੍ਰੋਧ ਬਿਖੁ ਭੂਖ ਪਿਆਸਾ ॥ દરેકને કામનું ઝેર, ક્રોધનું વિષ મારતું જઈ રહ્યું છે, દરેકને માયાની ભૂખ માયાની તરસ લાગેલી છે.
ਨਾਨਕ ਬਿਰਲੇ ਮਿਲਹਿ ਉਦਾਸਾ ॥੮॥੭॥ હે નાનક! જગતમાં થોડા દુર્લભ લોકો જ એવા મળે છે, જે આશા-તૃષ્ણાને આધીન નથી અને તે જ વાસ્તવિક જોગી છે ॥૮॥૭॥
ਗਉੜੀ ਮਹਲਾ ੧ ॥ ગૌરી રાગ મહેલ ૧॥
ਐਸੋ ਦਾਸੁ ਮਿਲੈ ਸੁਖੁ ਹੋਈ ॥ પરમાત્માનો એવો દાસ મનુષ્યને મળી જાય છે, તેની અંદર આધ્યાત્મિક આનંદ ઉત્પન્ન થાય છે.
ਦੁਖੁ ਵਿਸਰੈ ਪਾਵੈ ਸਚੁ ਸੋਈ ॥੧॥ તે મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુની પ્રાપ્તિ કરી લે છે, દુઃખ તેની નજીક નથી ભટકતું ॥૧॥
ਦਰਸਨੁ ਦੇਖਿ ਭਈ ਮਤਿ ਪੂਰੀ ॥ હરિનો દાસ, ગુરુના દર્શન કરીને મનુષ્યની અક્કલ સંપૂર્ણ સમજવાળી થઇ જાય છે.
ਅਠਸਠਿ ਮਜਨੁ ਚਰਨਹ ਧੂਰੀ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુના ચરણોની ધૂળ જ અડસઠ તીર્થોનું સ્નાન છે ॥૧॥વિરામ॥
ਨੇਤ੍ਰ ਸੰਤੋਖੇ ਏਕ ਲਿਵ ਤਾਰਾ ॥ તેની આંખો પારકુ રૂપ દેખવા તરફથી તૃપ્ત રહે છે, તેના ધ્યાનનો તાર એક પરમાત્મામાં રહે છે.
ਜਿਹਵਾ ਸੂਚੀ ਹਰਿ ਰਸ ਸਾਰਾ ॥੨॥ પરમાત્માના નામનો શ્રેષ્ઠ રસ ચાખીને તેની જીભ પવિત્ર થઇ જાય છે ॥૨॥
ਸਚੁ ਕਰਣੀ ਅਭ ਅੰਤਰਿ ਸੇਵਾ ॥ પરમાત્માનો એવો દાસ, ગુરુ જે મનુષ્યને મળે છે, પ્રભુનું સ્મરણ તેની નિત્યની કરણી બની જાય છે.
ਮਨੁ ਤ੍ਰਿਪਤਾਸਿਆ ਅਲਖ ਅਭੇਵਾ ॥੩॥ અલખ અને અભેવ પરમાત્માની પોતાની અંદર સેવા-ભક્તિ કરીને તેનું મન માયા તરફથી તૃપ્ત થઇ જાય છે ॥૩॥
ਜਹ ਜਹ ਦੇਖਉ ਤਹ ਤਹ ਸਾਚਾ ॥ તે ગુરુના દર્શનની કૃપાથી જ હું જ્યાં જોવ છું ત્યાં મને હંમેશા સ્થિર પ્રભુ દેખાય છે.
ਬਿਨੁ ਬੂਝੇ ਝਗਰਤ ਜਗੁ ਕਾਚਾ ॥੪॥ પરંતુ માયાની સરખામણીએ નબળા મનવાળું જગત આ જ્ઞાનથી વંચિત હોવાને કારણે ખી ખી કરે છે ॥૪॥
ਗੁਰੁ ਸਮਝਾਵੈ ਸੋਝੀ ਹੋਈ ॥ આ સમજ કેપરમાત્મા દરેક જગ્યાએ હાજર છે તેને જ હોય છે જેને ગુરુ આ સમજ દે.
ਗੁਰਮੁਖਿ ਵਿਰਲਾ ਬੂਝੈ ਕੋਈ ॥੫॥ કોઈ દુર્લભ મનુષ્ય ગુરુની સન્મુખ થઈને આ સમજ પ્રાપ્ત કરે છે ॥૫॥
ਕਰਿ ਕਿਰਪਾ ਰਾਖਹੁ ਰਖਵਾਲੇ ॥ હે રાખણહાર પ્રભુ! કૃપા કર, અને જીવોને ખી ખીથી તું પોતે બચાવ.
ਬਿਨੁ ਬੂਝੇ ਪਸੂ ਭਏ ਬੇਤਾਲੇ ॥੬॥ ગુરુથી પ્રાપ્ત કર્યા વગર જીવ પશુ-સ્વભાવ બની રહ્યા છે, ભૂત થઇ રહ્યા છે ॥૬॥
ਗੁਰਿ ਕਹਿਆ ਅਵਰੁ ਨਹੀ ਦੂਜਾ ॥ મને સતગુરુએ સમજાવી દીધું છે કે પ્રભુ વગર તેના જેવું કોઈ નથી.
ਕਿਸੁ ਕਹੁ ਦੇਖਿ ਕਰਉ ਅਨ ਪੂਜਾ ॥੭॥ કહો, હે ભાઈ! હું કોને તેના જેવું જોઈને કોઈ બીજાની પૂજા કરી શકું છું? ॥૭॥
ਸੰਤ ਹੇਤਿ ਪ੍ਰਭਿ ਤ੍ਰਿਭਵਣ ਧਾਰੇ ॥ પરમાત્મએ મનુષ્યોને સંત બનાવવા માટે આ સૃષ્ટિ રચેલી છે.
ਆਤਮੁ ਚੀਨੈ ਸੁ ਤਤੁ ਬੀਚਾਰੇ ॥੮॥ જે મનુષ્ય ગુરુની શરણ પડીને પોતાને ઓળખે છે, તે આ હકીકતને સમજી લે છે ॥૮॥
ਸਾਚੁ ਰਿਦੈ ਸਚੁ ਪ੍ਰੇਮ ਨਿਵਾਸ ॥ ગુરુનું દર્શન કરીને જ હંમેશા સ્થિર રહેનાર પરમાત્મા મનુષ્યના હૃદયમાં નિવાસ કરે છે, પરમાત્માનો પ્રેમ હૃદયમાં ટકે છે.
ਪ੍ਰਣਵਤਿ ਨਾਨਕ ਹਮ ਤਾ ਕੇ ਦਾਸ ॥੯॥੮॥ નાનક વિનંતી કરે છે, હું પણ તે ગુરુનો દાસ છું ॥૯॥૮॥
ਗਉੜੀ ਮਹਲਾ ੧ ॥ ગૌરી રાગ મહેલ ૧॥
ਬ੍ਰਹਮੈ ਗਰਬੁ ਕੀਆ ਨਹੀ ਜਾਨਿਆ ॥ બ્રહ્માએ અહંકાર કર્યું કે હું આટલો મોટો છું, હું કમળની નાભિમાંથી કેમ ઉત્પન્ન થઇ શકું છું? તેને પરમાત્માની અનંતતાને ના સમજી.
ਬੇਦ ਕੀ ਬਿਪਤਿ ਪੜੀ ਪਛੁਤਾਨਿਆ ॥ જયારે તેનો ઘમંડ તોડવા માટે વેદ ચોરાઈ જવાની આફત તેના પર આવી પડી ત્યારે તે પસ્તાણો કે મેં પોતાને વ્યર્થ જ આટલો મોટો સમજ્યો.
ਜਹ ਪ੍ਰਭ ਸਿਮਰੇ ਤਹੀ ਮਨੁ ਮਾਨਿਆ ॥੧॥ જયારે તે આફત વખતે તેને પરમાત્માને સ્મરણ કર્યા તો પરમાત્માએ તેની સહાયતા કરી ત્યારે તેને વિશ્વાસ આવ્યો કે પરમાત્મા જ સૌથી મોટો છે ॥૧॥
ਐਸਾ ਗਰਬੁ ਬੁਰਾ ਸੰਸਾਰੈ ॥ જગતમાં અહંકાર એક એવો વીકાર છે, જે ખુબ ખરાબ છે. મોટા-મોટા કહેવડાવનારા પણ જ્યારે જ્યારે અહંકારમાં આવ્યા, તો ખુબ નષ્ટ થયા.
ਜਿਸੁ ਗੁਰੁ ਮਿਲੈ ਤਿਸੁ ਗਰਬੁ ਨਿਵਾਰੈ ॥੧॥ ਰਹਾਉ ॥ જે ભાગ્યશાળી મનુષ્યને ગુરુ મળી જાય છે, ગુરુ તેનો અહંકાર દૂર કરી લે છે ॥૧॥વિરામ॥
ਬਲਿ ਰਾਜਾ ਮਾਇਆ ਅਹੰਕਾਰੀ ॥ રાજા બલિને માયાનું ગુમાન થઇ ગયું. તેને ઘણા યજ્ઞ કર્યા. અહંકાર પ્રચંડ થઇ ગયો. ઈન્દ્રનું સિંહાસન છીનવા માટે તેને એકત્રીસો યજ્ઞ કર્યા. જો અંતિમ યજ્ઞ નિર્વિઘ્ન માથે ચઢી જાત, તો ઈન્દ્રનું રાજ પણ છીનવી લેત.
ਜਗਨ ਕਰੈ ਬਹੁ ਭਾਰ ਅਫਾਰੀ ॥ ઈન્દ્રએ વિષ્ણુથી સહાયતા માંગી. વિષ્ણુ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને દાન માંગવા આવી ગયા. બલિના ગુરુ શુક્રએ બળીને સમજાવ્યો કે આ છલ છે, આમાં ના ફસા.
ਬਿਨੁ ਗੁਰ ਪੂਛੇ ਜਾਇ ਪਇਆਰੀ ॥੨॥ પરંતુ માયાના મનમાં પોતાના ગુરુની સલાહ લીધા વગર તેને બ્રાહ્મણ-રૂપ ધારી વિષ્ણુને દાન દેવા માની લીધું અને પાતાળમાં ચાલ્યો ગયો ॥૨॥
ਹਰੀਚੰਦੁ ਦਾਨੁ ਕਰੈ ਜਸੁ ਲੇਵੈ ॥ રાજા હરિશ્ચંદ્ર પણ ખુબ દાની હતો, દાનની શોભામાં જ મસ્ત રહ્યો.
ਬਿਨੁ ਗੁਰ ਅੰਤੁ ਨ ਪਾਇ ਅਭੇਵੈ ॥ ગુરુ વગર તે પણ આ ના સમજી શક્યો કે પરમાત્માના ગુણોનો અંત નથી મેળવી શકાતો,
ਆਪਿ ਭੁਲਾਇ ਆਪੇ ਮਤਿ ਦੇਵੈ ॥੩॥ તેનો તફાવત નથી મેળવી શકાતો, તેની દૃષ્ટિમાં અનંત દાની છે, પરંતુ જીવનું પણ શું વશ? પરમાત્મા પોતે જ અક્કલ દે છે ॥૩॥
ਦੁਰਮਤਿ ਹਰਣਾਖਸੁ ਦੁਰਾਚਾਰੀ ॥ ખરાબ બુદ્ધિને કારણે હિરણ્યકશ્યપ દુરાચારી થઇ ગયો, અત્યાચાર કરવા લાગી પડ્યો.
ਪ੍ਰਭੁ ਨਾਰਾਇਣੁ ਗਰਬ ਪ੍ਰਹਾਰੀ ॥ પરંતુ, નારાયણ પ્રભુ પોતે જ અહંકારીઓનો અહંકાર દૂર કરનાર છે.
ਪ੍ਰਹਲਾਦ ਉਧਾਰੇ ਕਿਰਪਾ ਧਾਰੀ ॥੪॥ તેને કૃપા કરી અને પ્રહલાદની રક્ષા કરી, હિરણ્યકશ્યપનું ગુમાન તોડ્યું ॥૪॥
ਭੂਲੋ ਰਾਵਣੁ ਮੁਗਧੁ ਅਚੇਤਿ ॥ મૂર્ખ રાવણ બેસમજીમાં ખોટા માર્ગ પર પડી ગયો.
ਲੂਟੀ ਲੰਕਾ ਸੀਸ ਸਮੇਤਿ ॥ પરિણામ એ નીકળ્યું કે તેની લંકા લુંટાઈ ગઈ, અને તેનું માથું પણ કાપવામાં આવ્યું.
ਗਰਬਿ ਗਇਆ ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਹੇਤਿ ॥੫॥ અહંકારને કારણે, ગુરુની શરણ પડ્યા વગર અહંકારના નશામાં જ રાવણ બરબાદ થયો ॥૫॥
ਸਹਸਬਾਹੁ ਮਧੁ ਕੀਟ ਮਹਿਖਾਸਾ ॥ સહસબહુને પરશુરામે માર્યો, મધુ અને કૈટભને વિષ્ણુએ મારી દીધા,
ਹਰਣਾਖਸੁ ਲੇ ਨਖਹੁ ਬਿਧਾਸਾ ॥ મહિસાસુર દુર્ગાનાં હાથે મરાયો, હિરણ્યકશ્યપને નર સિંહે નખોથી મારી દીધો.
ਦੈਤ ਸੰਘਾਰੇ ਬਿਨੁ ਭਗਤਿ ਅਭਿਆਸਾ ॥੬॥ આ બધા દાનવ પ્રભુ ભક્તિને અભ્યાસથી વંચિત રહેવાને કારણે પોતાની મૂર્ખતાની સજા ભોગતા માર્યા ગયા ॥૬॥
ਜਰਾਸੰਧਿ ਕਾਲਜਮੁਨ ਸੰਘਾਰੇ ॥ પરમાત્માએ દાનવ મારીને સંતોની રક્ષા કરી.જરાસંધ તેમજ કાજળમૂન કૃષ્ણના હાથે માર્યા ગયા.
ਰਕਤਬੀਜੁ ਕਾਲੁਨੇਮੁ ਬਿਦਾਰੇ ॥ રક્તબીજ દુર્ગાના હાથે મરાયો. કાળનેમ વિષ્ણુના ત્રિશુળથી ચીરાઇ ગયો
ਦੈਤ ਸੰਘਾਰਿ ਸੰਤ ਨਿਸਤਾਰੇ ॥੭॥ આ અહંકારીઓને આના અહંકારે જ લઇ લીધા ॥૭॥
ਆਪੇ ਸਤਿਗੁਰੁ ਸਬਦੁ ਬੀਚਾਰੇ ॥ આ બધી રમતનો માલિક પરમાત્મા પોતે જ ગુરુ રૂપ થઈને પોતાની મહિમાની વાણીને વિચારે છે,
error: Content is protected !!
Scroll to Top
http://kompen.jti.polinema.ac.id/system/ http://kompen.jti.polinema.ac.id/application/thaigacor/ http://kompen.jti.polinema.ac.id/application/ https://dinkes.pacitankab.go.id/comm/pandemo/ https://dinkes.pacitankab.go.id/comm/smaxwin/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/situs-gacor/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/demo-slot/ https://pdp.pasca.untad.ac.id/apps/akun-demo/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/
https://jackpot-1131.com/ jp1131
http://kompen.jti.polinema.ac.id/system/ http://kompen.jti.polinema.ac.id/application/thaigacor/ http://kompen.jti.polinema.ac.id/application/ https://dinkes.pacitankab.go.id/comm/pandemo/ https://dinkes.pacitankab.go.id/comm/smaxwin/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/situs-gacor/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/demo-slot/ https://pdp.pasca.untad.ac.id/apps/akun-demo/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/
https://jackpot-1131.com/ jp1131